SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિધાન છે. અને તે પણ ઉત્સર્ગને ટકાવી રાખવા માટે જ છે. માટે સંમતિતર્ક વિ. ગ્રંથો ભણવા માટેનું વિધાન છે. તે પણ ઉત્સર્ગથી સંયમની રક્ષા માટે છે કારણ કે આ દ્રવ્યાનુયોગના ગ્રન્થો ભણવાથી સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત સમ્યગુદર્શન નિર્મળ બને છે. અન્ય દર્શનનો એકાંત સમજાય છે. સ્યાદ્વાદ પ્રત્યે અહોભાવ વધતો જાય છે. જૈન દર્શનના સિધ્ધાંતોની ખૂબી જણાતાં જૈન શાસન સંબંધી દઢતા વધે છે. અને આ સંપ્રત્યયાત્મક શ્રદ્ધાથી પાળેલું ચારિત્ર નિર્મળ બને છે, એટલે આખરે પરંપરાએ સંયમની વૃદ્ધિ કરે છે. માટે અપવાદ કહેવાય છે. આમ જૈન શાસન પાસે ઉત્સર્ગ અને અપવાદની મૌલિકતા સંગીનતા રહેલી છે. “અન્યયોગ દ્રાવિંશિકા”માં લખ્યું છે કે “નાન્યાર્થ” બીજા ઉદ્દેશથી કરેલો અપવાદ, અપવાદની કોટિમાં ન આવી શકે, પ્રાયશ્ચિત, છેદગ્રંથોની મૂડી ઉત્સર્ગ અપવાદની સમજ ચારેય ફીરકામાં ફક્ત વેતાંબર સંપ્રદાય પાસે જ છે. દિગંબરો બધા આગમ નથી માનતા. સ્થાનકવાસી ૩૨ આગમ જ માને. જીનમૂર્તિની વાત જેમાં આવે તે આગમોને કાઢી નાખ્યા. તેરાપંથી ઘર્મના પાયાભૂત દયા દાનને નથી માનતા. આ દૃષ્ટિમાં તો શિષ્ટા પ્રમાણમુ એક જ વાત છે. એજ અમારા માટે આધાર છે. આનંદઘનજી મહારાજે પણ શ્રી અજીતનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, “તર્ક વિચારે ૨ વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય.” તર્કની શ્રેણી ઉપર ચઢવા જઈએ તો વાદની પરંપરા સર્જાય છે. તર્કથી તારા આગમનો મર્મ પામી શકાતો નથી. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને કહેનારા વિરલા જ હોય છે. તેઓશ્રી આગળ જતાં કહે છે કે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે વિરહ પડયો નિરધાર, તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.” ચર્મચક્ષુ થી માર્ગ જોઈ શકાતો નથી. સમ્યગુદર્શન એ દિવ્યચક્ષુ છે. વિવેક ચક્ષુ છે. એનાથી જાણી શકાય છે. પણ આજે લગભગ દિવ્યચક્ષુનો અભાવ વર્તે છે તેથી હવે સાધુજનને માન્ય એવા શિષ્ટ પુરુષોની પ્રવૃત્તિ એ જ આધાર છે. પણ શિષ્ટ પુરુષોની પ્રવૃત્તિમાં તરતમતા ઘણી છે. શિષ્ટ પુરુષોના બોધના આધારે તેઓની પ્રવૃત્તિ હોય છે. અને બોધમાં તરતમતા છે, માટે પ્રવૃત્તિમાં પણ તરતમતા છે. તો કઇ રીતે તારો માર્ગ જાણી શકાય? આ બધા પ્રશ્નોના સમાધાનમાં છેલ્લે યોગીરાજ જણાવે છે કે “કાળલબ્ધિ લડી પંથ નિહાળશું, એ આશા છે અવલંબ, તે જન જીવે રે જનજી! જાણજો રે, આનંદઘન મત અંબ.” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy