SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્ગ અપવાદની યથાર્થ . પ્રરુપણા આચારમાર્ગના પાલનથી જેટલું પુણ્ય બંધાય છે તેના કરતાં સન્માર્ગની દેશનાથી ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. માર્ગસ્થ પ્રરુપણાનો લાભ અતિ મહાન છે. બીજા ઉપર ઉપકાર કરવા માટેના ચાર માર્ગોમાં સૌથી વધારે તાકાત ઉપદેશની છે. દૃષ્ટિપાતથી, શકિતપાતથી, ઇચ્છાશકિતથી અને ઉપદેશકિતથી બીજાને અધ્યાત્મ પમાડી શકાય છે. પણ ઉપદેશ એ સૌથી વધુ બળવાન છે. માટે પ્રભુ પણ કેવની બન્યા પછી રોજ બે પ્રહર=છ કલાક દેશના આપે છે. જગતમાં જેમ મહાત્માનું દર્શન થણી પુણ્યરાશિથી મળે છે. તેનાથી અધિક પુણ્યથી સન્માર્ગની દેશના સાંભળવા મળે છે. પ્રરૂપકની સૌથી વધુ જવાબદારી છે. વક્તાની, વિદ્વાનોની, લેખકોની જે જવાબદારી છે, તેટલી રાજા, મહારાજા, ચક્રવર્તીની પણ નથી, બાબરી મસ્જીદ તૂટી, બધા ધડાધડ એકસામટા બોલવા નીકળી પડેલા, જેનાથી લોકો યુદ્ધ માટે ઉશ્કેરાયા આપણા ઉપદેશથી, વચનથી એક પણ જીવ કષાયના રવાડે ચઢે તો ઘણું ખોટું છે. આપણા ઉપદેશને જે સાંભળે તે શાંત, પ્રશાંત, ઉપશાંત જ બનવો જોઇએ. આપણે સ્વયં શાંત, પ્રશાંત, ઉપશાંત જ બનવાનું છે. આજે જગતમાં સર્વત્ર અશાન્તિ છવાયેલી છે. જગત આખું કષાયથી તપ્ત છે, તેને કષાયનું જ દાન કરશું તો શાંત ઉપશાંત કોણ ક૨શે ? ઉપદેશકને દ્રવ્યાદિનો બધો જ બોધ જોઇએ, એટલું જ નહીં પણ સાથે બોધની સૂક્ષ્મતા જોઇએ. જ ૩૦૪ ઉત્સર્ગ અપવાદની યથાર્થ પ્રરુપણા ઉત્સર્ગ અને અપવાદ કઈ રીતે ઘટે છે, તે સમજાવે છે. જે ઉદ્દેશથી ઉત્સર્ગ બતાવો તે જ ઉદ્દેશથી અપવાદ હોય તો જ તે અપવાદ એ અપવાદ કહેવાય. દા.ત. અન્યદર્શનમાં કોઇપણ જીવની હિંસા ન કરવી એ ઉત્સર્ગ વચન છે. બીજી બાજુ સ્વર્ગકામીએ યજ્ઞ કરવો. બકરાનો વધ ક૨વો, પુત્રકામીએ અશ્વમેધ યજ્ઞ કરવો, હવે આ યજ્ઞાદિમાં હિંસાનું વિધાન છે. તેને અપવાદ કહી શકાય ? ના, કારણ કે અહીં ઉત્સર્ગ અને અપવાદના ઉદ્દેશમાં ભિન્નતા આવી છે. અહીં અહિંસાના વિધાન પાછળ ઉદ્દેશ શું છે ? કે અહિંસાથી નિર્મળ બનેલો આત્મા મોક્ષ પામે છે. જો એ જ મોક્ષપ્રાપ્તિને અનુલક્ષીને બીજું વિધાન કરે તો તેને અપવાદ કહી શકાય. પણ અહીં તો બીજો ઉદ્દેશ છે અહીં મોક્ષના ઉદ્દેશને બદલે સંસારનો ઉદ્દેશ છે. એટલે અપવાદના સ્થાને આ ન આવી શકે. એવી જ રીતે જૈન દર્શનમાં કહ્યું છે કે આધાકર્માદિક દોષ (સાધુના માટે બનાવેલી વસ્તુ) રહિત ગોચરી વા૫૨વી જોઇએ, કારણ કે આધાકર્માદિ વાપરતાં જીવોની હિંસાનું પાપ લાગે છે. અને સંયમ મલિન બને છે. આ ઉત્સર્ગ માર્ગનું વિધાન થયું. હવે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસમાં લખ્યું છે કે સમ્મતિતર્ક કે ષડ્ દર્શનના અભ્યાસ માટે કયારેક સાધુને આધાકર્માદિક વાપરી શકાય છે. આ અપવાદનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy