SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ દેહની શોભા આત્માથી છે. ૩૧૪ પુદ્ગલનું સ્વરૂપ સમજાવતાં કહે છે, શરીર ઈન્દ્રિય વિગેરે પુદ્ગલનો વિશ્વાસ શું કરવો? કેમ? પુદ્ગલમાં ધરખમ પરિવર્તન થાય છે. સ્વપ્નમાં રાજ મળે, મહેલ મળે, સુખો મળે તે વાસ્તવિક નથી. આ જગતના બધાં સુખો આકાશમાં થતા ગંધર્વનગરના પુગલો જેવા છે. આજે જે જે પુદ્ગલ સારું લાગે છે. તે ક્ષણ પછી બીભત્સ બની શકે છે. હું અને તમે જેની ઉપર અનંતકાળથી પાગલ બન્યા છીએ, પણ જીવને ખબર નથી કે ચૈતન્યમય આત્માથી દેહની શોભા છે. તો તે આત્માનું સૌંદર્ય કેવું રોમાંચક હશે કંઈ કલ્પના કરી શકો છો? નવલાખ સ્પેરપાર્ટસુવાળા એપોલોયાનથી આશ્ચર્યચકિત થનારાએ વિચારવું જોઇએ કે એપોલો ની બનાવટ એ ચૈતન્યનું સર્જન છે. તે ચૈતન્ય કેવો અપ્રતિમ ગુણો વાળો છે ! વિજ્ઞાન બહિર્મુખ બની આવિષ્કારોથી ભોગેચ્છાને લાલાયિત કરે છે. અધ્યાત્મ અંતર્મુખ બની ગુણના સ્વતંત્ર સુખને માણવા પ્રેરે છે. સંસાર પુણ્યના ઉદયથી સુખરૂપ હોય અને પુણ્ય લાંબો કાળ ટકનારું હોય તો બીજી ક્ષણે ફેરફાર ન થાય તો ય ક્રમિક ફેરફાર થાય છે. આજે કરોડપતિ તે કાલનો રોડપતિ બની શકે છે. આ સંસારના નાટક છે. પાલેજ પાસે કરજણ છે. ત્યાં એક ભાઇએ ગાડીના પાટા નીચે આવી જઈ આપઘાત કર્યો. ભાઈ ખરેખર સજજન, ખૂબ સારો. આજના બજારની ઉથલપાથલથી તેણે આપઘાત કર્યો. એક મહારાજે તેની કુંડલી જોયેલી, તેમાં આપઘાતનો યોગ જોયેલો, તેમણે આપઘાત કર્યો તે ભવિતવ્યતા છે. ક્ષણ પહેલાંનો સજજન, ઘણો સારો દેખાતો માણસ પણ આપઘાત કરે છે. પાણીમાં મુકેલું પતાસું કેટલો કાળ રહે? જગતમાં જે ચમત્કારો દેખાય છે. તે વિજળી જેવા છે. પાણીમાં ઓગળતા પતાસાની જેમ માનવી ક્ષણે ક્ષણે આયુષ્ય ખપાવી રહ્યો છે. પ્રતિ સમયે આયુષ્યના દલિકો ખપી રહ્યા છે. બધી જ ચીજમાં આવી રીતે ફેરફાર થયા કરે છે. આ દેહનો ગર્વ કરવા જેવો નથી તેને જંગલમાં એક દિવસ બાળી નાંખવાનું છે. પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ થવાનો છે. તત્ત્વશુશ્રુષા તત્ત્વબોધ પામવા માટે છે. તમે બધા દોડીને આવો છો એટલે તત્ત્વની ગરજ તો છે જ પણ તમને જેમ હવા વિના ન ચાલે, પાણી, પ્રકાશ, પૈસા, ખોરાક, મકાન, વસ્ત્ર, કુટુંબ વગર ન ચાલે તેમ તત્ત્વ વિના ન ચાલે એવું છે? એકલા રહી શકો છો? તમને એકાંત ખટકે છે? જો હા, તો તે બતાવે છે કે તમે આત્માને સમજયા નથી. જીવવા માટે બીજાની શું જરૂર છે? આ બધી ચીજ વિના જેમ મુશ્કેલી થાય છે તેમ જીવનમાં શાંતિ અને સમાધિથી જીવવું હોય તો તત્ત્વ વિના પણ ન જ ચાલે અને એની જ આપણે સરિયામ ઉપેક્ષા કરી રહ્યા છીએ. આ નિતરાં ઉપેક્ષા કરવાથી આત્મકલ્યાણ દૂર થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy