SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ વિષયોમાંથી સુખ આવતું નથી. જો હાડકામાંથી લોહી આવે તો વિષયોમાંથી સુખ આવે... વિશ્વમાં સુખની બુદ્ધિનો આરોપ કર્યો છે. પર પદાર્થમાં સુખની બુદ્ધિ એ મિથ્યાત્વ છે. વિષયોમાં સુખ કેમ લાગે છે ? પર પદાર્થમાં સુખ માની ભોગવવાની વૃત્તિ એ અવિરતિ છે. જેટલી સુખબુદ્ધિ તીવ્ર, તેટલી ભોગવવાની વૃત્તિ તીવ્ર બને છે. જીવ વિષય ભોગવે છે ત્યારે સુખ ક્યાંથી આવે છે ? સુખનો કંદ – આનંદનો કંદ આત્મા છે. મિથ્યાદષ્ટિ જીવો શું માને છે? કે આ બધા વિષયોમાંથી સુખ આવે છે. સુખમાં પેલો પદાર્થ નિમિત્ત થતો દેખાય છે. પદાર્થ જડ છે. તેમાં સુખ આપવાની શક્તિ, તાકાત નથી. પણ ચૈતન્ય અને ઇન્દ્રિય બંને નિકટમાં આવી ગયા છે લોહાગ્નિ ન્યાયે, ક્ષીરનીર ન્યાયે બંને મળેલા છે. એકમેક થયા છે. જ્યાં ઇન્દ્રિય ત્યાં ચેતના, જ્યાં દેહ ત્યાં આત્મા - આ બધો ખીચડો થયો છે. વિપરીત સંબંધનો ખીચડો એજ સંસાર છે. દેહ જડ છે, આત્મપ્રદેશ ચૈતન્ય છે. લોહાગ્નિ ન્યાયે સંયોગ થયો છે. દેહના પુલો, આત્માના પ્રદેશો - શરીરના ગુણધર્મો, આત્માના ગુણધર્મો એક ઠેકાણે આવી મળ્યા છે તેના કારણે ઇન્દ્રિય જે વિષયોને ઉપભોગમાં લે છે, ત્યાં જીવ પોતે, તેમાં સુખ માની લે છે, આ બધું એક ક્ષેત્રમાં આવીને ઊભું રહી ગયું છે માટે જીવને તેમાં સુખની બુદ્ધિ થઈ જાય છે. દા.ત., સુધાવેદનીયનો ઉદય થયો, એટલે શું થયું? શરીરની સાતે ધાતુમાં વિષમ પરિણામ પેદા થયો. પુગલો ચૈતન્યની હાજરીમાં સમ-વિષમ થયા કરે છે. તેમાં બીજા અનુકૂળ પુદ્ગલો, ભોજનનાં પુગલો નાંખવામાં આવે તો વિષમ પરિણામ શાંત થાય છે, વિષમ પરિણામ સમ બને છે. એટલે કે શાતા વેદનીય.. વિષમતા તે અશાતા વેદનીય છે. ફરી પાછો વિષમ પરિણામ ઉભો થઈ શકે છે. પુદ્ગલ, પુદ્ગલનાં ધર્મો બજાવ્યા જ કરે છે. કેવળીને - તીર્થકરોને કેવળજ્ઞાન પછી પણ સુધા વેદનીયનો ઉદય હોય છે. ચેતન મૂળ સ્વરૂપમાં છે પણ શરીરના ધર્મ શરીર બજાવે છે. આવું કેમ બને છે ? શરીર અને ચેતન એક ક્ષેત્રે મળેલા છે. તેના કારણે આપણા ઉપયોગમાં વિષમતા ઊભી થઈ છે, તે મોહનીયનો ઉદય છે. ઉપયોગમાં જે વિહવળતા પેદા થાય છે, તે મોહનીયના ઉદયથી છે. અનંતકાળથી જીવે દેહમાં “હું પણાનો” આરોપ કરેલો છે. પરમાં “મારાપણાનો આરોપ કરેલો છે માટે દેહાદિમાં જે ફેરફાર થાય છે તેને ચેતન, પોતાના માની લે છે અને તે જ સંસાર છે. કેવલી પરના જ્ઞાતા અને સ્વના ભોક્તા હોય. કેવળજ્ઞાન થાય ત્યારથી અનંત આનંદનું વેદન શરૂ થઈ જાય છે. ત્યાં સ્વરૂપનું જ વેદના હોય છે.કેવળી દૂધપાક ખાય અને આપણે દૂધપાક ખાઈએ તેમાં તેના વેદનમાં કંઈ ફરક ખરો ? કેવળી દૂધપાકના જ્ઞાતા હોય, દુધપાક પર પદાર્થ છે તેથી કેવળી દુધપાકના ભોકતા ન હોય. ઉપયોગમાં મોહનીય હોય ત્યાં સુધી જ પર પદાર્થનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy