SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્રમ એજ સૌથી મોટું દુ:ખ છે. નાશ કરે છે. જીવ પોતાના ભાવોથી કષાય ભાવોને જૂદા તારવી શકતો નથી. વિવેક નહીં ખુલેલો હોવાથી કષાય ભાવ પણ સાથે વેદાય છે. એટલે આત્માનું આનંદ સ્વરૂપ વેદાતું નથી. જેનાથી કર્મબંધ થાય તેવા પરિણામો તે અધ્યવસાય કહેવાય છે. ચોથીથી આગળની દૃષ્ટિમાં કષાયો તો છે જ, પણ અનંતાનુબંધી કષાય નથી. અનંતાનુબંધી કષાય જીવોને વિષયોમાં રમાડે છે. વિષયોનું સ્વરૂપ જાણ્યા પછી તેમાં રુચિ થાય છે. ઉપયોગમાં રાગાદિ ભાવો રહે છે. તે જીવને વિષયોમાં રમાડે છે-જીવને તેમાં ચોંટાડે છે. એમાં સારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. વિષય હેય છે. વિષયો ત્યાજ્ય છે. વિષયો અહિત કરનાર છે. એવું વેદન પહેલી ચાર દષ્ટિમાં નથી. માટે અવેદ્યસંવેદ્યપદ છે. તે હેયમાં ઉપાદેય બુદ્ધિ કરાવે છે. (હેયનું હેય રૂપે વેદન થાય, ઉપાદેયનું ઉપાદેય રૂપે વેદન થાય તે વેધસંવેદ્યપદ છે.) આખો સંસાર હેય છે. વિષય કષાયના પરિણામો હેય છે, અહિત કરનાર છે. એનાથી નુકશાન શું ? વિષય - કષાય પ્રેમતત્ત્વનો નાશ કરે છે. પૂર્ણ પ્રેમ સ્વરૂપ આત્મા છે. પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છે. કષાયથી આ પ્રેમ તત્વનો નાશ થાય છે. કષાયથી દેહ – ઈન્દ્રિય- સ્વજન-પૈસા ટકામાં મમત્વ ઉભું થાય છે. તે પર હોવા છતાં જીવ સ્વ-રૂપે વેદન કરવા મથે છે. પરનું વેદન ન થાય. પરનો તો બોધ જ હોય. અને બોધને ભોગ માનવો એ ભ્રમણા છે. સુખ તો જ્યાંથી હોય ત્યાંથી મળે છે. સુખ પરના માધ્યમે વેદવા જાય છે, ત્યારે વિકૃત બની રાગાદિ રૂપે વેદન કરે છે. આ મિથ્યાત્વ છે. પરિણામે કર્મબંધ થાય છે. એના ફળ સ્વરૂપે દુઃખી થાય છે. આપણી સ્થિતિ કૂતરા જેવી છે. ભ્રમ એજ સૌથી મોટું દુઃખ છે. કૂતરો હાડકાને ચાવે છે. બટકા ભરે છે. હાડકું કઠીન છે તોડી શકાતું નથી. છતાં ચાવવા પ્રયત્ન કરે છે. તે વખતે પોતાના તાળવામાંથી જ લોહી નીકળે છે. કૂતરું સમજે છે કે હાડકામાંથી લોહી આવે છે. આ મૂઢતા છે. વિપરીતતા છે. લોહી ચાટવા માટે મથે છે. વારંવાર બટકા ભરે છે. અને લોહી ચાટે છે. ત્યાં દુઃખ છે, પીડા છે. છતાં સુખની ભ્રાંતિ થાય છે. કૂતરા પાસે સદ્ગદ્ધિ નથી. - (૧) તાળવું (૨) હાડકું બન્ને નિકટમાં છે. એટલે ભ્રમ થયો છે. કૂતરાને યથાર્થ બોધ નથી, કૂતરાને સુક્ષ્મ બોધ નથી, કૂતરાને વિવેક નથી એના પ્રભાવે હાડકાને જોરથી બટકા ભરી તાળવું છોલી નાંખ્યું છે, હવે હાડકાને ચાવીને લોહી ચાટવાનું સુખ માની રહ્યો છે. હાડકાને ચાવવામાં સુખ વધારે કે દુઃખ વધારે? હકીકતમાં લોહી પોતાની ચીજ છે છતાં હાડકાની માને છે. એ તો કૂતરો છે. આપણે તો મનુષ્ય છીએ. આપણી દશા બસ આવી છે. કૂતરા જેવી નથી લાગતી ? આપણે વિષયો ભોગવીએ છીએ અને તેમાંથી સુખ મળે છે, તેમ માનીએ છીએ. પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy