SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ દ્રવ્યને અનિત્ય કહેલ છે, તેનું પણ આ તાત્પર્ય છે. પૂર્ણ અને અપૂર્ણનો આજ મોટો તફાવત છે કે પૂર્ણજ્ઞાન અનંતભૂત અને અનંતભવિષ્યને એક સમયરૂપ બનાવે છે જ્યારે અપૂર્ણજ્ઞાન એક સમયને અનંતભૂત અને અનંતભવિષ્યરૂપે બનાવે છે.આવા આત્મા ઉપર જે શ્રદ્ધા તે દૃષ્ટિ છે. આત્મામાં જ આનંદ છે. આત્મામાં જ સુખ છે. અન્યત્ર સુખ-આનંદ નથી, પદાર્થમાં સુખ આનંદ નથી જ, પુગલમાં સુખ આનંદ નથી. પાંચે ઈન્દ્રિયોનાં વિષયોમાં સુખ નામનું તત્ત્વ નથી જ, આવી શ્રદ્ધા અને શ્રદ્ધાયુક્ત જ્ઞાન તે દૃષ્ટિ છે. આ દષ્ટિ “ નિપ્પત્યપાય છે. અનર્થ રહિત છે. તે અસતુ. પ્રવૃત્તિનો વ્યાઘાત કરે છે. શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિનો વ્યાઘાત કરે છે. જે પ્રવૃત્તિઓ આત્માનું અહિત કરે તે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ કહેવાય. સંસારની તમામ પ્રવૃત્તિઓ જો દષ્ટિ ખુલી નથી તો અહિત કરે છે. દષ્ટિ એ પ્રકાશ છે. એનાથી મોહ નો અંધકાર ચીરાય છે. શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. સમ્યગ પ્રવૃત્તિને વહન કરે છે. સતુ પ્રવૃત્તિને પામવા માટે અસતુ પ્રવૃત્તિનો ત્યાગ કરાવનાર દૃષ્ટિ છે. અવેધસંવેદ્યપદનો ત્યાગ કરવા વડે આ દૃષ્ટિબોધ જીવને વેદ્ય-સંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર છે. દષ્ટિ અનર્થ રહિત બની છે એટલે અનર્થ કરવાની શક્તિ તેમાંથી ચાલી ગઈ છે. અવેદ્યસંવેદ્યપદ = 1 વેદ્યસંવેદ્યપદ = આત્માના ભાવો, પરિણામો જે રીતે | આત્માના ભાવો, પરિણામો જે રીતે વેદન કરવા વેદન કરવા યોગ્ય છે તે રીતે યોગ્ય નથી, તે રીતે જે પદમાં = જે આશય સ્થાનમાં, જે આશય સ્થાનમાં જે અધ્યવસાયમાં વેદાય છે, અધ્યવસાયમાં વેદાય છે તે અવેદ્યસંવેદ્ય- પદ કહેવાય છે. તે વેદ્યસંવેદ્યપદ છે. પહેલી ચાર દષ્ટિમાં – મિત્રા - તારા | વેદ્ય એટલે વેદન કરવાયોગ્ય - - બલા - દિપ્રામાં અવેદ્ય આત્માના ગુણોનું અહીં સંવેદ્ય પદ છે. અહીં મિથ્યાત્વ આત્મા સંવેદન કરે છે. પડેલું છે. અનંતાનુબંધી કષાયો પાછળની ચાર દૃષ્ટિમાં, સ્થિરા દૃષ્ટિથી પડેલા છે. બોધમાં વિપરીતતા છે. | વેધસંવેદ્યપદ છે. અહીં પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો નથી. સ્પર્શનું સંવેદન હોય છે, જે તેથી બોધ સમ્યગ છે. અવેદ્ય છે. આત્માને કષાય રહિત પરિણામ વેદન કરવા યોગ્ય છે. અને કષાય ભાવો વેદવા યોગ્ય નથી. પહેલી ચાર દષ્ટિમાં, નહીં વેદવા યોગ્ય એટલે કે કષાય તત્ત્વ - જે શુદ્ધ આત્મામાં નથી તે કષાયને જીવ ઓછા-વત્તા અંશે વેદે છે. કષાયનો અનુભવ કરે છે. ત્યારે જીવ સ્વરૂપને અનુભવતો નથી. કષાય પ્રેમ તત્વનો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy