SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ્યસંવેદ્યપદ વેધસંવેધપદ सच्छ्रद्धासङ्गत्तो बोधो, दृष्टिरित्यभिधीयते असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावहः ॥ १७॥ દષ્ટિ શું છે ? તે પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સમજાવી રહ્યા છે. “સત્ શ્રદ્ધા સંતો વોઘ:' એ દષ્ટિ છે. સમ્યમ્ શ્રદ્ધા યુક્ત જે બોધ, તે દૃષ્ટિ છે. અધ્યાત્મની દષ્ટિએ ત્રણે કાળે જે રહે છે તે સત્ છે. સંસાર આખો ય અસતુ છે. જે પહેલાં નથી, આજે છે, પછી નથી, પૂર્વ-પશ્ચિાતમાં જે નથી, જે નથી દેખાતું. તે આજે છે છતાં અસત્ છે. ક્ષણભંગુર છે. આત્મા સત્ છે. આત્મા પહેલાં હતો, અત્યારે છે, પછી પણ રહેવાનો છે. જેનું સ્વરૂપ ત્રણે કાળમાં એક સરખું હોય તે સત્ છે. આ સત્ શબ્દ અસત્ એવા પુલની સામે મૂકવામાં આવ્યો છે. પુદ્ગલ રૂપી છે, બહુરૂપી છે, અનિત્ય છે. જ્યારે આત્મા અરૂપી છે. નિત્ય છે, એક સ્વરૂપવાળો છે. દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ જડ, ચેતન બધા જ દ્રવ્યો દ્રવ્યાર્થિક નયે નિત્ય છે. અને પર્યાયાર્થિક નયે અનિત્ય છે. છતાં પણ અધ્યાત્મની દૃષ્ટિએ વિચારતા પુદ્ગલદ્રવ્ય અસત્ પ્રધાન છે જ્યારે આત્મદ્રવ્ય સત્ પ્રધાન છે. પુદ્ગલદ્રવ્ય પુદ્ગલરૂપે નિત્ય હોવા છતાં પરમાણુ, અંધાદિ રૂપે તેમજ વર્ણ, ગંધ, રસાદિ રૂપે અનિત્ય છે, અસત્ છે. જ્યારે આત્મા સંસારી અવસ્થામાં પુદ્ગલ નિમિત્તે, તજન્ય પરિસ્થિતિઓમાં અસત્ પ્રધાન બનતો હોવા છતાં આત્મગુણ, આત્મસ્વરૂપ અવસ્થાનમાં મુખ્યતયા નિત્ય છે. સત્ છે. આત્મા એના શુદ્ધસ્વરૂપમાં નિત્ય છે, સતુ છે. કારણ કે એના જ્ઞાનાદિ ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. આજ વસ્તુને જણાવતા જ્ઞાનપંચમીના સ્તવનમાં કહ્યું છે કે, છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નહિ બદલાય; શયની નવિ નવિ વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિયા.... આત્માના જે મૌલિક પર્યાયો પૂર્ણતા, મગ્નતા, નિર્મોહતા, પ્રમેયતા, કેવલદર્શિતા, સ્વચ્છતા, નિર્વિકલ્પતા, અખંડતા, પૂર્ણાનંદતા વગેરે બદલાતા નથી. તે તો એવાને એવા જ રહે છે. જ્યારે શેયમાં ફેરફાર થવાના કારણે જે જ્ઞાનમાં પર્યાયો બદલાતા દેખાય છે તે ઓપચારિક છે, અર્થાત અન્યદ્રવ્યકત તે ફેરફાર છે. આથી આત્મદ્રવ્ય એ પ્રધાનતયા - મુખ્યતયા સત્ છે પરંતુ પુદ્ગલ સંગે જીવ પોતાનું આ મૌલિક સ્વરૂપ ખોઈ બેઠો છે, ભૂલી ગયો છે અને પ્રધાન રૂપે અસતું એવા પુદગલ ઉપર પોતાની દૃષ્ટિને - ઉપયોગને ચોંટાડી અનંતકાળથી દુઃખની પરંપરા અનુભવે છે. તેનાથી જીવને છોડાવવા માટે જ્ઞાનીઓ સતુ એવા આત્મા ઉપર વારંવાર દષ્ટિપાત કરવાનું કહે છે. સત્ ચિ અને આનંદ સ્વરૂપ આત્માના આ લક્ષણમાં સહુનું આ તાત્પર્ય છે. તેમજ નવતત્ત્વમાં અરૂપી દ્રવ્યને નિત્ય અને રૂપી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy