SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે અને ચોથે ગુણઠાણે શું ફેર છે ? વેદન હોઈ શકે કેવળી પર પદાર્થના જ્ઞાતા હોય છે એટલે કે, કેવળજ્ઞાનથી જાણે છે. વેદન નથી. દા. ત. જેમ બીજો માણસ દૂધપાક ખાય છે ત્યારે બીજાના દૂધપાકનું આપણને જ્ઞાન હોય છે પણ વેદન નથી હોતું. બસ, તેવી જ રીતે કેવળી દૂધપાકને જાણે છે. વેદે નહીં. કેવળી જેમ જગતના જ્ઞાતા છે. તેમ દેહની ક્રિયાના પણ જ્ઞાતા છે. જગત જેમ પર છે. તેમ દેહ પણ પર છે. કેવળજ્ઞાનના બળે વિષમ પુદ્ગલો આ રીતે સમ થશે એમ જાણે છે. કેવળીને પુદ્ગલનો આનંદ હોય જ નહીં. એમને સતત સ્વરૂપનો જ આનંદ હોય છે. જીવ પર પદાર્થમાં સુખનો આરોપ કરે છે જ્યારે વસ્તુતઃ સુખ આત્મામાંથી મળે છે. જ્ઞાતા-દષ્ટ ભાવ પામવા માટે કર્તા-ભોક્તા ભાવને ખતમ કરવો પડશે. ઉપયોગમાંથી મોહનીય કર્મ જેમ જેમ તૂટે તેમ તેમ અંશે અંશે જ્ઞાતા-દષ્ટાભાવ પ્રગટ થાય. આપણા જ્ઞાતા-દૃષ્ટાભાવ ઉપર કર્તા-ભોક્તા ભાવ ચઢી બેઠો છે. એ જ્ઞાતાદૃષ્ટાભાવ પ્રગટ કરવા માટે આચાર ધર્મનું અણિશુદ્ધ પાલન જોઈએ. અને સાથે સાથે અંદરની જાગૃતિ જોઈએ. સ્વરૂપપ્રાપ્તિની જાગૃતિ જોઈએ. તપ-ત્યાગ-સંયમ આદિ આચારોનું પાલન કરતાં કરતાં વિશુદ્ધિ થતાં આંશિક જ્ઞાતા-દષ્ટાભાવ પ્રગટ થાય છે. વેદ્યસંવેદ્યપદની શરૂઆત સમ્યકત્વથી થાય છે. સમ્યકત્વને કષાયનું વેદન છે. અને મિથ્યાત્વીને પણ કષાયનું વેદન છે. બંનેને કષાયનું વદન હોવા છતાં ફરક ક્યાં છે ? બંનેના કષાયમાં જ વિજાતીયતા છે. ભિજાતીય છે. પહેલે અને ચોથે ગુણઠાણે શું ફેર છે ? સમકિતીને કષાય વેદાય છે. પણ એમાં જાગૃતિ હોવાથી બચાવ શક્ય છે. મિથ્યાત્વને કષાય વેદાય છે. પણ એમાં જાગૃતિ ન હોવાથી બચાવ શક્ય નથી. બંનેમાં આ તફાવત છે. સમકિતીને રાગાદિ સ્પર્શે છે. હેય માને છે. મિથ્યાત્વી રાગાદિમાં ખેંચે છે. ઉપાદેય માને છે. આ તફાવત છે, છઠે ગુણસ્થાનકે જ્ઞાન અને ચારિત્રનું સજોડે છે જ્યારે ચોથે ગુણસ્થાનકે જ્ઞાન અને ચારિત્રનું કજોડું છે. કારણ કે જેવું સમજે છે, જાણે છે તેવું આચરણ નથી માટે કજોડું કહ્યું છે. છ ગુણઠાણે જ્ઞાનને અનુરૂપ આચરણ છે. પાંચમી દષ્ટિથી વેદ્યસંવેદ્યપદ મુક્યું છે. કષાયો વિજાતીય થયા – હેયરૂપે વેદન થયું. ગ્રન્થિલંદજનિત આત્મપરિણામ આ કાર્ય કરે છે. જેવો કષાય થાય, જેવું વિષય સેવન થાય - તેવું તેની સાથે હેયપણે બોધ સ્પષ્ટ હોય છે. જો મારા જીવનમાં મારે વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરવું હોય તો મારે પરપદાર્થ, પર વ્યક્તિ જોડે લેપાવું નહીં. એકમેક ન થવું. પર પદાર્થ જોડે ચોંટવું એ અનંતાનુબંધી કષાય છે. ભરત-બાહુબલીને સમ્યકત્વ કેમ ટક્યું? બધું હેય રૂ૫ લાગે છે. પરમાંથી ઉખડવાનું છે. આ સમજ સતત જરૂરી છે. સ્વમાં લીન બનો. જ્ઞાનીની આ વાત છે. સભા- ભોગાવલી કર્મનો ઉદય હોય તો ? મહારાજ - ભોગાવલી કર્મનો ઉદય છે કે ભોગાવલીની પાછળ ભૂતની જેમ આપણે ભટકીએ છીએ? તીર્થંકર ભગવંતોને ભોગાવલીનો ઉદય કહેવાય. આપણને એ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy