SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યયોનિમાં જીવનું કર્તવ્ય ૨૯૮ કરવાનું મન થતું નથી. પણ બુદ્ધિશાળીએ વિચારવું જોઈએ કે પુરૂષાર્થ કર્યા કામ લાગે અને કયાં કામ ન લાગે ? સ્વક્ષેત્રે પુરૂષાર્થ ક૨વાનો છે. ૫૨ક્ષેત્રે પુરૂષાર્થ ક૨વા જવાનો નથી. પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. પરક્ષેત્રે પુરૂષાર્થ કરીએ તો માર જ ખાઈએ. આત્મા ઉપર ઘાતી કર્મો ચોંટ્યા છે તેનો નાશ કરવાનો તને અધિકાર છે એ ઘાતીકર્મના નાશમાં વીર્ય ફોરવવાનું છે. એના બદલે સંસારની ચીજ માટે વીર્ય ફોરવો છો. હજી ત્યાં સુધી એટલું ખરાબ નથી પણ તેમાં કર્તા-ભોક્તા ભાવ કરો છો ત્યાં ખોટા છો. મનુષ્યયોનિમાં જીવનું કર્તવ્ય. મનુષ્યયોનિ પામ્યા પછી મોક્ષે જવા માટે સ્વક્ષેત્રે વ્યવહારથી ત્યાગ, તપ, સંયમ વિગેરે કરવાના છે અને નિશ્ચયથી જ્ઞાન-ધ્યાનનો પુરૂષાર્થ કરવાનો છે. આના દ્વારા ઘાતી કર્મનો અંત લાવી શકાય છે. પુણ્ય ઠીકરા જેવું છે. કોડીયા જેવા પુણ્યથી શાલિભદ્રની ઋદ્ધિની અપેક્ષા રાખીએ તો તે પુરૂષાર્થ ૫૨ક્ષેત્રે છે. સ્વક્ષેત્રે નથી. આ ખોટું છે. હકીકતમાં માત્ર પ્રવૃત્તિ કરી લેવાની છે અને પછી જે ચીજ મળે તેમાં સંકલ્પ-વિકલ્પ કરવાના નથી. તેમાં અ ં-મમ ભાવ કરવાનો નથી. અને પ્રવૃત્તિ કર્યા પછી મળી જાય તો આસક્તિ ક૨વાની નથી, રાજમાર્ગે પરક્ષેત્રે પ્રવૃત્તિ ક૨વાની નથી. કરવી પડે તો ડાહ્યા, શાણા બનીને ક૨વાની છે. કર્મના ઉદયની બળવત્તા હોય તો પુરૂષાર્થ કરવાનો છે. તે વખતે જે સમયે જે મળે તેને મેળવી લ્યો. પણ તેમાં શીર્ષાસન નહીં કરવાનું. ૫૦૦૦ રૂ।. મળે છે. તેનાથી જીવન ચાલે છે, તે પુરૂષાર્થ તમારે લલાટે લખાયો છે. ઠીક છે, પણ તમે ૨૫૦૦૦ રૂપિયા મેળવવા જાવ છો, એ શીર્ષાસન છે. વળી તેમાં અહંના ભાવ કરીને ભાવમરણને પામો છો. ઓધદૃષ્ટિમાં સંસારના પદાર્થો પ્રત્યે બહુમાન હતું, ભોગદૃષ્ટિ હતી, એમાં સર્વસ્વ દેખાતું હતું, એ જ પોતાનું લાગતું હતું માટે એના ખાતર જીવ બધું કરી છૂટતો હતો. આસક્તિ તૂટતાં તીવ્ર ભાવે પાપ અકરણ આવ્યું. ભાવમલ ઘટે છે પછી મળેલા સંયોગોમાં વીર્ય ઉછળે છે. કષાયમંદત્વ આવે છીએ. સુખની આસક્તિ તૂટે છે. વળી ઔચિત્યનું પાલન પણ બની રહે છે. મારાથી બીજાને દુઃખ ન અપાય, હેરાન ન કરાય, બીજાને ત્રાસ ન પમાડાય - આ ઔચિત્યનું પાલન છે જ્યારે બીજી દૃષ્ટિમાં ઔચિત્યનો ખ્યાલ હોય છે કે વૈષયિક સુખોમાં જે વીર્ય ફોરવું છું તે મારો પ્રમાદ છે. અહિત કરનાર છે. પ્રભુની સાધનામાંથી આપણે સંદેશ મળે છે કે સંયોગોનો સામનો નહીં પણ સ્વીકાર કરો. સંઘર્ષ નહીં પણ સમાધાન કરો. પ્રતિકાર નહીં પણ આવકારની લાગણી ઉપસાવો. પાંચકલ્યાણકની ઉજવણી તત્ત્વદષ્ટિથી આ પ્રમાણે છે પ્રભુના આત્માએ મિથ્યાત્વનો નાશ કર્યો છે અને પ્રભુના આત્મા ઉપર સમ્યક્ત્વ વર્તે છે અને તે પણ હવે નાશ પામવાનું નથી. તેનો આનંદ એટલે ચ્યવન અને જન્મ કલ્યાણકની ઉજવણી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy