SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પ્રભુના આત્માએ અવિરતિનો નાશ કર્યો અને દ્રવ્ય-ભાવ ઉભયથી સર્વવિરતિપણું પ્રભુ પામ્યા છે તેનો આનંદ એટલે દીક્ષા કલ્યાણકની ઉજવણી. પ્રભુના આત્માએ મહામોહ અને અજ્ઞાનનો નાશ કર્યો. જેમ સિંહ પાંજરામાંથી બહાર નીકળે તેમ પ્રભુનો આત્મા ઘાતીકર્મના પાંજરામાંથી છૂટ્યો અને વીતરાગતા-સર્વજ્ઞતા પામ્યો તેનો આનંદ એટલે કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી. ૨૯૯ અને પ્રભુનો આત્મા અઘાતીકર્મના બંધનો તોડી દેહના પાંજરામાંથી છૂટ્યો અને સિદ્ધાવસ્થાને પામ્યો તેનો આનંદ એટલે મોક્ષ કલ્યાણકની ઉજવણી. આ રીતે ૫૨માત્માના પાંચે કલ્યાણકો આપણને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો નાશ કરી સમ્યક્ત્વ, વિરતિ, કેવલજ્ઞાન અને મોક્ષને પામવાનો ઉપદેશ આપી રહ્યા છે. તેને આપણે પામીએ, પામવા માટે તલસીએ તો આપણે ૫૨માત્માના કલ્યાણકની ઉજવણી સાચી રીતે કરી કહેવાય. દૃષ્ટિના વિકાસને પામેલો આત્મા, બીજી દૃષ્ટિમાં આવ્યા પછી કેવા પ્રકારનો વિકાસ પામે છે તે કહે છે. બીજી દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ વિચાર્યા પછી વિચારે છે કે અમારી પ્રજ્ઞા મહાન નથી એટલે અમારા વિચારો શાસ્ત્ર સાથે મળતાં આવે જ એવું નથી. અમારી વિચારણા શાસ્ત્રો સાથે talley થતી નથી. ઘણો વિરોધ દેખાય છે. શાસ્ત્રનો પાર પામવો તે વિરલાનું કામ છે. આ જીવને મોક્ષ પામવો છે. આત્માનું અનંત સુખ જોઈએ છે, આગળ વધવું છે, માર્ગને ઝંખી રહ્યો છે, ત્યાં તે સુંદર કોટિનો નિર્ણય લે છે કે મારે અહીં ‘શિષ્ટાઃ પ્રમાણમ્' મોક્ષમાર્ગમાં સજજન પુરૂષોને જે માન્ય છે તેમની પ્રવૃત્તિ માટે પણ માન્ય છે. જ્ઞાનીઓ શાસ્ત્રો કરતાં શિષ્ટ પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપે છે. પ્રશ્ન ઃ માર્ગાનુસા૨ી શુદ્ધ ક્ષયોપશમ પ્રાપ્ત કરવો હોય તો શું શું જોઈએ ? ઉત્તર : શાસ્ત્રોની પંક્તિના અર્થ સમજવા માટે શ્રુતજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ જોઈએ. પછી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. તેનાથી ચિંતન, મનન, ઉહ, અપોહ, તર્ક, વિતર્કથી બોધનો વિસ્તાર થાય છે. આ બોધ, દૃષ્ટિ સંવાદિની ક્યારે બને ? મતિજ્ઞાનમાં દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ ભળે ત્યારે બોધ માર્ગસ્થ બને છે. દર્શન મોહનીયકર્મના ક્ષયોપશમના અભાવમાં મતિ-શ્રુતજ્ઞાનથી ઘણું જાણી શકાય. પણ તે બોધ વિરૂદ્ધ દિશામાં પણ જતો રહેવાની સંભાવના રહે છે. દેખાય આ દિશા, પણ જવાતું હોય બીજી દિશામાં એવું પણ બની શકે છે. માર્ગસ્થ ક્ષયોપશમ પામવા માટે “શાસ્ત્ર અધ્યયન, ગુરુકૂળ વાસ, ગુરૂભક્તિ, ગુરૂકૃપા, તીક્ષ્ણ પ્રજ્ઞા, આચાર સંપન્નતા, ગુણસંપન્નતા જોઈએ.”શિષ્ટની પ્રવૃત્તિ કલ્યાણકર છે આ વાત બેસી જાય તો ઓછા બોધથી પણ કામ થઈ જાય છે. તેવી શક્તિ વિરલ આત્માઓને જ પ્રાપ્ત થાય છે. એક સાધુ છે, કાંઈ ભણતાં આવડતું નથી, ગુરૂએ ‘મારુષ, માતૃષ’ એ ગોખવાનું કહ્યું. એટલું પણ આવડતું નથી. માસતુષ થઈ જાય છે બસ, એ જ નામથી પ્રસિદ્ધ થઈ ગયા. ઘણી મહેનત કરે પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ઉદય બળવાન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy