SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ત્યાગ કરી સિદ્ધાવસ્થાને પામે છે. જેમ લોકને વિષે પ્રબળ અગ્નિ થકી પાષાણભાવને તજીને, જૂદી જૂદી ધાતુઓ થોડા સમયમાં સુવર્ણપણાને પામે છે તેમ. જે આત્મા ઉપર ઉપકાર કરે છે માટે ઉપકરણ છે. જીવ જેટલા ટાઈમ સુધી ઉપકરણના સાન્નિધ્યમાં રહે તેટલા ટાઈમ સુધી અધિકરણથી બચે છે એ ફાયદો છે. સામાયિક, પૂજા, સત્સંગ, પ્રતિક્રમણ વિગેરેના ઉપકરણમાં જેટલો સમય રહે તેટલો સમય વિરૂદ્ધ વિચારો આવવાની શક્યતા ઓછી હોય છે. આખરે ઉપકરણ અને ક૨ણ ભેગા થવા જોઈએ. બે ભેગા થયા પછી અંતઃક૨ણ સુધરવું જોઈએ. પ્રશ્ન : કોણ શિષ્ટ બની શકે છે ? ૨૯૭ ઉત્તર : જગતમાં એકલા ઉત્સર્ગની વાત કરે, એકલા અપવાદની વાત કરે તે શિષ્ટ ન બની શકે. પૂર્વ પ્રણાલિકાને માન્ય ન ક૨ે તે પણ શિષ્ટ ન હોઈ શકે. જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય, નિશ્ચય વ્યવહારના જાણકાર હોય, જેમની નય દૃષ્ટિ ખુલેલી હોય, દેશ અને કાલને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણનારા હોય છે. અવસરોચિત નિર્ણય લેવાની જેમનામાં શક્તિ હોય. વળી તે સંવિગ્ન, પાપભીરુ અને પૂર્વ પ્રણાલિકાને માન્ય કરનારા હોય તેઓ શિષ્ટ બની શકે છે. પૂર્વ પ્રણાલિકામાં કંઈ ફે૨ફા૨ ક૨વો હોય તો અનેકની સલાહ લેવી જોઈએ. પંચાસ્તિકાયની વિશ્વવ્યવસ્થામાં જીવનો ફાળો જે કર્મો ઉદયમાં આવે છે તેને સહન કરી લેવા છે. સામનો નથી કરવો. પાપના ઉદયે સહજભાવે, શાંતભાવે, સ૨ળ ભાવે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો એ મનોયોગની ઊંચામાં ઊંચી સાધના છે. આ ઊંચામાં ઊંચો અત્યંતર તપ છે. આખું સૃષ્ટિકાર્ય ચાલે છે તેમાં આપણો ફાળો એવો હોય કે આપણે આગળ વધી શકીએ. અને બીજાને પ્રતિબંધક ન બનીએ. પંચાસ્તિકાયમાં જીવ સિવાયના બધા તત્ત્વો શાંત ભાવે રહે. ધર્માસ્તિકાયે કદી હડતાલ પાડી છે ? અનંતકાળથી હું સર્વ જીવ અને પુદ્ગલ દ્રવ્યોને ગતિમાં સતત સહાય કરતો આવ્યો છું. હવે એક કલાક માટે કોઈને સહાય નહીં કરું ! એવું કહ્યું છે ? અનંતકાળથી સ્થિતિ આપનાર અધર્માસ્તિકાયે કદી એમ કહ્યું છે કે હવે હું સ્થિતિમાં સહાય નહીં કરું ! અનંતકાળથી આકાશાસ્તિકાયે કદી અવગાહના આપવાનો ઈન્કાર કર્યો છે ? પુદ્ગલાસ્તિકાયમાં માટીના ઘડાએ કહ્યું છે કે મારામાં હું પાણી ભરવા નહીં દઉં ! પગના જોડાએ કહ્યું કે હું અત્યારે આ ગરમીથી તમને રક્ષણ નહી આપું ? જગતના દ૨ેક તત્ત્વો શાંતભાવે, સરળભાવે, સહજ ભાવે, પોતાનું કાર્ય કરે છે. જીવ કેમ નથી ક૨તો ? એને ખબ૨ જ નથી કે મોક્ષ પામવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આ જ અત્યંતર શ્રેષ્ઠ તપ છે. આપણાં કર્મના ઉદયે જે આવે તેનો સ્વીકાર કરવો એ જ મનોયોગની શ્રેષ્ઠ સાધના છે. જગતની બધી વસ્તુને ઉથલ-પાથલ ક૨વાની નથી. ઉંધુ-ચત્ત ક૨વાનું નથી. જગતમાં બુદ્ધિજીવીઓને શીર્ષાસન કરવાની ટેવ હોય છે. પોતે સંયોગોને અનુકૂળ કેમ થવું ? એના બદલે સંયોગો ને કેમ ફેરવવા ? એ જ તેઓ વિચારતા હોય છે. પોતાના અહંથી એણે વિશ્વને ફેરવવાનું મન થાય છે પણ વસ્તુનો સ્વીકા૨ જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy