SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સુંદરીની જરૂર છે! ચલણા કહે છે કે બેટા! સ્ત્રીને મન પતિ એ જ સર્વસ્વ છે. પતિ એ જ એનું સ્વર્ગ છે. તારી પ્રાણપ્યારી પટ્ટરાણી પદ્માવતીને પણ તું પૂછે તો આ જ જવાબ આપશે. કે મારો પતિ એ જ મારું સર્વસ્વ છે. દિકરા! આજે આખી દુનિયા જુદી જુદી વાતો કરે છે કે પોતાને માટે એક દંડીયો મહેલ બનાવરાવીને શ્રેણિકને જેલમાં પુરીને, તેનો બદલો આજે ચેલણા લઈ રહી છે. આવું બધું મારાથી સાંભળી શકાતું નથી. કોણિક કહે છે. - લોકોને જે બોલવું હોય તે બોલવા દે. તારું સતીપણું મહાન છે. દેવલોકના દેવો તારા પેટે જન્મ લેવા ઈચ્છે છે. ચલણા કહે છે, જો, તને મારા પ્રત્યે માન છે તો મને મારા પતિને મળવા જવા દે. તારા બાપ પાસે જવાની રજા આપ. કોણિકે એવો બંદોબસ્ત કર્યો છે કે એક માણસ ત્યાં જઈ ન શકે. નરકાવાસની જેમ કારાગૃહમાં પેલો પડ્યો રહે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરી, પણ કોઈ સગવડ નહીં, પૂરતું ન મળે. ભયંકર પાપના ઉદય વચ્ચે ધર્મ જ એને બચાવે છે. અને તે પરિણતિનો ધર્મ છે. આટલા બધા દુ:ખમાં પણ એણે કોણિક પ્રત્યે એક અસતુ વિકલ્પ પણ નથી કર્યો. શ્રેણિક વિચારે છે. મને મહાવીર પ્રભુ મળ્યા, તેમનો ઉપદેશ મળ્યો, છતાં મેં જીવનમાં ઘણી બધી ભૂલો કરી છે, તેમના ધર્મને પચાવ્યો નથી, તો આ ભૂલોનો ભોગ હું ભોગવી રહ્યો છું. એકલી ક્રિયારૂપ કોરો ઘર્મ અશુભના ઉદય વખતે આત્માને બચાવી શકતો નથી. આત્મપરિણતિ ઉભી કરી હોય તો તે ભવાંતરમાં સગતિ ઉભી કરશે. ૫. પૂ. આનંદઘનજી મ.સા. પણ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં કહે છે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે; જે ક્રિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ લહીએ રે ” જે ક્રિયા કરતાં કરતાં રાગાદિ પરિણતિ દૂર કરી, સ્વરૂપની નિકટમાં જાય છે તે અધ્યાત્મ છે. ક્રિયાથી અભિમાન વિગેરેની વૃદ્ધિ થવાથી ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણ જ થતું હોય તો તે અધ્યાત્મ નથી. શ્રેણિક પાસે પરિણતિ શુદ્ધ છે, અધ્યાત્મ છે, કષાય તૂટ્યા છે. પરિણતિ જુવલંત બની છે. પણ અવિરતિનો રાક્ષસ તેની પાછળ પડેલો છે. શ્રેણિકનું આવું dual Charactor વિવેકી અને સમજુ આત્માને સમજાય, બાકીનાને તો તેની પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉપર આક્ષેપ કરવાનું મન થઈ જાય. ચેલણા કહે, તારા બાપે ગમે તે કર્યું હોય, તો પણ મારા માટે પતિ એ પતિ જ છે. મારું સર્વસ્વ છે. જગત માટે ગમે તે હોય, છતાં તે મારું સર્વસ્વ છે. કોણિક કહે, જવાની છૂટ આપીશ, પણ મા! યાદ રાખજે, એક શરતે જવાની છૂટ મળશે. મોત સિવાય કારાગારમાંથી તે કયારેય છૂટી નહીં શકે, આ કષાય અનંતાનુબંધી સ્થિતિ અને અનંતાનુબંધીના રસ જેવો છે. આવો કષાય તીવ્ર બને છે, ત્યારે જીવ દુર્જન બને છે. બીજાના ગુન્હા ઉપર આપણે દુર્જન બનવું તે ઉચિત નથી. “જાવું નરાન્તમ' તેથી જ ડાહ્યો માણસ રાજય લેવા ઇચ્છતો નથી. રાજયમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy