SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ? ૨૯૨ બીજાઓ ગુન્હા કરીને આવે અને સજા કરવા માટે પોતાને કુર બનવું પડે તો તે રાજય શું કામનું? સુદર રાજા છે. રાજસભા ભરી બેઠો છે. પંડિતો, વિદ્વાનો, સાક્ષરો બેઠેલા છે. પોતે સિંહાસન પર બેઠેલો છે. તે વખતે રાજપુરુષો એક ગુન્હેગાર પકડીને લાવ્યા છે. અને કહે છે કે આણે બે ગુન્હા કર્યા છે. એક તો ભયંકર હિંસા કરી છે અને બીજું ભયંકર હિંસા કરનારને ઉત્તેજન આપ્યું છે. રાજા પંડિતોને પૂછે છે કે શું સજા કરવી? વિદ્વાનો જવાબ આપે તે પહેલાં રાજા વિચારે છે. કે “પાપ કરનાર એના પાપે મરી રહ્યો છે. તેને સજા કરવા માટે મારે ફૂર બનવાનું? તો એવા રાજયથી ફાયદો શું? અને મારે જીવનમાં પાપો કરીને ભારે થવું!” આવો વિચાર કોને આવે? જેને આ સંસાર દુઃખ રૂપ લાગે તેને "વરૂપો ભવ: સર્વ:” નિર્વિચારકને કયારે ય સંસાર દુઃખ રૂપ લાગતો નથી. દુઃખરૂપ સંસાર રહેવા લાયક નથી. એવું સમજનારને પણ સાચો વૈરાગ્ય આવ્યો ન કહેવાય. દુઃખરૂપ સંસારને કોઇ પણ પાસાથી જોતાં સારો ન લાગે તે સાચું જ્ઞાન છે. ચક્રવર્તીનો સંસાર દુઃખરૂપ લાગે? ત્યાં દુઃખ શું છે ? સત્તાના સિંહાસન પર બેસીને ગમે તેને સજા કરવાની, આ પરિણતિ જ કરવાની હોય તો શુભ પરિણતિ કયાંથી ટકે? કોઈ પણ ભોગે પરિણતિને ન બગાડવી એ ડાહ્યા માણસનું મન્તવ્ય છે. અંદરમાં જરાક વૈરાગ્ય જાગે, તો ત્યાગ સિવાય કોઇ પણ માર્ગ છે જ નહીં. સંસારમાં રહીને શુભ પરિણામ ટકાવવા બહુ મુશ્કેલ છે. જરાક વૈરાગ્ય જાગે તો આત્મકલ્યાણ સિવાય બીજો માર્ગ નથી. સંસારના સ્વરૂપનો વિચાર નથી આવતો તે મૂઢતા છે. નિર્વિચારક અને મૂઢને સંસાર દુઃખ રૂપ ક્યાંથી લાગે? આજના બાપને દીકરાનો ગમે તેટલો ત્રાસ હોય તો તેણે કોણિકને યાદ કરવો. આજના બાપે એક જ વિચાર કરવા જેવો છે કે મારો દીકરો ગમે તેટલો ખરાબ હોય તો પણ કોણિક જેટલો તો ખરાબ નથીને.? મને ઘરમાં તો રાખે છે ને? ઘરની બહાર તો કાઢી મૂકતો નથી ને? રોજ હંટરથી માર મારતો નથી ને? શ્રેણિકને તો કોણિક રોજ ૧૦૦-૧૦૦ ફટકા મરાવે છે, અને તે પણ મીઠા-મરચા પાયેલા. છતાં શ્રેણિકને લેશમાત્ર કોણિક ઉપર દુર્ભાવ નથી. આ પરિણતિ જ બાપે કેળવવાની છે. સંસાર ભાવનામાં આવે છે. બાપ મરીને દીકરો બને છે. મા મરીને દીકરી બને છે. દીકરી મારીને મા બને છે. સાસુ મરીને વહુ બને છે, વહુ મરીને સાસુ બને છે. આવા ભાવો બને છે, તે તો બીજા ભવને આશ્રયીને છે. આ દુષ્ટને સીધું તો કહેવાય એમ નથી. આ દીકરો તો તે જ ભવમાં બાપનો વૈરી બને છે. ચેલણાની આજીજી પાસે કોણિક જરા નમતું મુકે છે અને કહે છે ચાલ, તને બાપનો મેળાપ કરાવું. ચેલણા કહે છે, મેં શણગાર સજ્યા નથી, સ્નાન કર્યું નથી, વસ્ત્રો પરિધાન કર્યા નથી. આ સ્ત્રીની જાત ! એક બાજુ પતિને મળવાની વાત અને બીજી બાજુ શણગારની વાત. આવું સુઝે છે? તમને એવું થશે, પણ હકીકત જુદી છે. પતિના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy