SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ? ૨૯૦ શ્રેણિક રાજ સોંપી દેવાની વિચારણા કરે છે. પણ વિલંબ થાય છે. ભવિતવ્યતાએ આ પ્રસંગ બની ગયો છે. કોણિકનો ક્રોધ આસમાને ચઢયો છે. કારાગારમાં પણ રોજ સો સો મીઠા પાયેલા હંટરના માર મરાવે છે. કારાગારની દિવાલો પણ મોટી છે. છતાં તેને ચીરીને શ્રેણિકની ચીસો રાજગૃહમાં સર્વત્ર સંભળાઇ રહી છે. છતાં કોઈ શ્રેણિકની વહારે આવવા તૈયાર નથી. શ્રેણિકની ચીસો રાજગૃહીની પ્રજા સાંભળી રહી છે. પણ શ્રેણિકનો પુણ્યોદય ખતમ થયો છે. પાપના ઉદયે આ સંસાર એટલો બધો બીભત્સ, બીહામણો, ખરાબ છે કે જેની કલ્પના આજે આપણને આવતી નથી. દુઃખની પણ સીમા હોય છે. દુ:ખ સહન કરવાની પણ સીમા હોય છે. આજે સો ફટકા મારે, કાલે ત્યાં જ સો ફટકા પડે, લોહીની ધારા વહેવા માંડે, માંસના લોચાઓ બહાર નીકળી પડે ત્યાં માખીઓ બણબણ કરે છે. શ્રેણિક સાવધ હોવા છતાં, અંદરમાં ક્ષાયિક સમકિત હોવા છતાં, અસહ્ય દુઃખના કારણે ચીસો પડી જાય છે. તે બધા જ સાંભળી રહ્યા છે. મગધનો આખો ય પ્રજાજન જોઈ રહ્યો છે. કોણિક ભયંકર સજા કરી રહ્યો છે. છતાં કોણિકના પુણ્યોદયથી કોઇ બોલવા તૈયાર નથી. જો બોલીએ તો આપણને પણ મોતને ઘાટ ઉતારી દે તેમ છે. માટે કોઈ બોલી શકતું નથી. ચેલણા પણ બોલી શકે તેમ નથી. ચેલણાનું હદય કાપો તો લોહી ન નીકળે તેવું બન્યું છે. છતાં ચૂપ છે. જુઓ અહીં પણ ભયંકર પાપના ઉદયમાં કોઈ બોલી શકતું નથી. બચાવી શકતું નથી. તો નરકમાં જયાં ચારે બાજું ફટકા પડશે, ચીસો પડશે, પરમાધામીના માર પડશે ત્યારે કોણ રક્ષણ કરી શકશે ? શ્રેણિક ક્ષાયિક સમકિતી છે. અંદરમાં સમાધિ છે. શિક સ્વરૂપની અનુભૂતિ થયેલી છે. ભયંકર પાપોદય ચાલુ છે. છતાં અંતરની જાગૃતિ તેને બચાવે છે. આજે કોણિકનો પુણ્યોદય છે, અને શ્રેણિકનો પાપોદય છે. આ દશ્યથી ચલણાની અંગત દાસી હચમચી જાય છે, તેને કમકમાટી આવે છે. દાસી ચેલણાને કહે છે. તમે કેમ ઉપેક્ષા કરી રહ્યા છો? તમારા પતિને ભયંકર જુલમ ગુજારાઈ રહ્યો છે. તો તમે કોણિકને નહીં કહેશો તો કોણ કહેશે? ચેલણા કહે છે. સંસારનું સ્વરૂપ જોયા પછી મને જીવવાનો મોહ નથી, સંસારનો રસ નથી, મૃત્યુનો ડર નથી, પણ મને ભય છે કે આ દુષ્ટ, આ કજાત, આજે ફટકા જ મારે છે, હું કંઈ કહીશ તો કદાચ કાલે તેને મારી પણ નાંખે. દાસી કહે છે, તમે ચિંતા ન કરો, આનો માર્ગ કાઢવો જ જોઈએ. જગતમાં આવું દ્રષ્ટાંત જોવા નહીં મળે, એક દિવસ મારે, બે દિવસ મારે ત્રણ દિવસ મારે, છતાં તેને અંતરમાં કંઈ ન થાય! આવું શી રીતે ચલાવી લેવાય? તેનું નામ અજાતશત્રુ છે, પણ આપણે તેને કહેવું તો જોઇએ જ! ચલણાએ કહાં સારું, કોણિક જમવા આવશે ત્યારે કંઈક કહીશ, મધ્યાહુને બાર વાગ્યા છે. ચેલણા ચોધાર આંસુએ રડી રહી છે. કોણિકને ચેલણા પ્રત્યે માન છે. કારણ કે તેને ખબર છે કે મારી માતા મહાસતી છે. બાપ લંપટ છે. ચેલાએ કહ્યું કે બાપને કારાવાસમાંથી મુકત કર. ત્યારે કોણિક કહે છે કે તને મારા બાપની બહુ દયા આવે છે. પણ એ લંપટ છે. હજી એને કોઈ - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy