SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭. યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કરી ઘાતી કર્મનું પોષણ કર્યું તો આત્માને નુકશાન છે અને માનવભવ નિષ્ફળ જાય છે. ઘાતી કર્મનું શોષણ કરવા માટે આ ભવ મળ્યો છે. સારો જન્મ મળવો, સારું કુળ મળવું એ પુણ્યનો પ્રભાવ છે. તમારો પુરુષાર્થ નથી. સંસારનું સ્વરૂપ સમજીને તેનાથી છૂટવા માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. મહાપુરુષોને પ્રતિકૂળતામાં ક્ષમા કેમ રહે? ઉપદેશમાળાકાર લખે છે કે મહાપુરુષોને જન્મ, જરા, મૃત્યુ, ગર્ભાવસ્થાનો ભય સતત દેખાયા કરે છે એના કારણે ક્ષમા આવે છે. એમને જન્માદિનો ભય સહજ આવે છે માટે ચન્દન-ગંધ ન્યાયે તેમની ક્ષમા સહજ બની રહે છે. ગમે તે પરિસ્થિતિમાં એમની મનઃસ્થિતિ બદલાતી નથી. સંસારનું બિહામણું સ્વરૂપ સતત દેખાયા કરે છે. ગર્ભાવસ્થામાં ઊંધા મસ્તકે નવ મહીના લટકવાનું, સિદ્ધરાજ બાર વર્ષ માતાના પેટમાં રહ્યો છે. વધુમાં વધુ ૨૪ વર્ષ સુધી રહેવાનું થઇ શકે છે. બાર વર્ષ ગર્ભમાં રહીને, મરીને ફરી ત્યાં ઉત્પન્ન થાય તો બીજા બાર વર્ષ રહેવું પડે છે. દુર્યોધન અઢાર મહિના રહ્યો છે. સાધકને બીજી પીડાઓ સતત દેખાય છે માટે ક્ષમા સહજ બને છે તેથી નોકર, હાલી-મવાલીના ઉપસર્ગો સમભાવે સહન કરે છે. જો સહન નહીં કરું તો નરકાદિમાં મારે સહન કરવું પડશે, દુર્ગતિમાં જવું પડશે. જેને દુર્ગતિના દુઃખ દેખાય તેને સહન કરવામાં લાભ દેખાય. ગજસુકુમાલે પ્રાણાંત ઉપસર્ગને સહન કર્યા, તેમાં એક જ ગણિત હતું કે આ વેઠું તો જ સુખ છે. અહીં ચૂકયો, આ ચૂકયો તો પછી ઘણું સહન કરવું પડશે. તમને કોઈ સામો માણસ કહે કે જો એક અક્ષર બોલ્યા તો આ તલવારથી માથું ઉડાડી દઇશ, તો ક્ષમા રહે છે? ત્યાં એક પણ અક્ષર બોલતા નથી. સામે લાભ દેખાય તો ક્ષમા રહેવી સહેલી છે. આપણે તો નિર્વિચારપણે જીવીએ છીએ. સંસારના સ્વરૂપની વિચારણા ન કરવાની જાણે આપણે બાધા લીધી છે ! આ ન ખાવું, તે ન ખાવું એવી બાધા છે ને !- તેમ આત્માનું સ્વરૂપ જાણવાની પ્રતિજ્ઞા કરો. જેને આત્માનું સ્વરૂપ સમજાયું છે, તેને ચેન ન પડે, તેને એમ થયા કરે કે આ સંસારમાં બધો ખોટનો વેપાર છે. કષાયનો વેપાર છે. એક ચક્રવર્તી સાધુ છે. સામાન્ય સાધુ તેમને ઉપદેશ આપે છે. હંમેશા કુલીન આત્માઓ જગતમાં નમવાના સ્વભાવવાળા હોય છે. અકુલીન ઉદ્ધત હોય છે અને અક્કડ રહેનારા હોય છે. કુળના આચારો વિગેરેને સમજીને તે રીતે ચાલે છે તે કુલીન છે, કુટુંબાદિના ભારને વહન કરનારા કુલીન હોય છે. તે કાર્ય કરતાં વિચારે કે મારા માતા-પિતા કોણ? મારું કુળ કયું? હું કોણ? કુલીન નમવામાં જ ધર્મ સમજે છે. સારા કુળની માન્યતા છે કે અભિમાન કરાય નહીં, અહંકાર કરાય નહીં, અક્કડ રહેવાય નહીં, નીચા કુળમાં અહંકાર સહજ હોય છે. તે અક્કડ રહે છે. અભિમાન એ તેનું વ્યકિતત્વ છે. સામાન્ય સાધુ, ચક્રવર્તી સાધુને કહે છે કે તમે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy