SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષોને પ્રતિકૂળતામાં ક્ષમા કેમ રહે? - ૨૮૮ કુલીન છો, મહાન છો, તમારે તો પહેલાં નમવું જોઇએ. આ વખતે તે ગર્વ નથી કરતાં કે તમે મને કહેનારા કોણ? હું શેનો નમું? એમ નથી વિચારતા, પણ તમે મને સાચી સલાહ આપી. તમે મારા ગુરુ બન્યા. એમ માની આનંદથી બહુત્વ ભાવે તેમને વંદન કરે છે. તમે નમી શકો? તમારો ગર્વ તમને ધર્મના સ્થાનોમાં અક્કડાઈ કરાવે છે. ભવનો ભય હોય તે સહેજે નમ્ર બને છે. ઔદયિક ભાવ એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. પણ મારે તેમાંથી ક્ષયોપશમ ભાવની કમાણી કરી ક્ષપકશ્રેણી માંડવાની છે. તો કેવળી બની શકાશે. નમ્ર બન્યા સિવાય કર્મના મર્મને ભેદી શકાશે નહીં. જયાં કષાયોની હાનિ છે ત્યાં સુખ હોય છે. ચારિત્રમાં ઉપાધિ નથી માટે સુખ છે. ગૃહસ્થને અર્થ અને કામનો વ્યવસાય છે. અર્થ કામની ચિંતા છે. અર્થ કામનો પુરષાર્થ છે. આ બધી ઉપાધિઓ છે. ત્યાં કષાયોથી બચવું મુશ્કેલ બને છે. બહારની ઉપાધિ હોય ત્યાં સમાધિ મેળવી શકાતી નથી. બહારની ઉપાધિ ઘટે તો અંદરમાં સમાધિ આવે છે. બહારના યોગો જેમ ઘટશે તેમ ઉપાધિ ઘટશે ને સમાધિ મળશે, અંદરથી અહંકારાદિ નીકળતા જશે. શરીરાદિની અવસ્થાને કારણે કેટલી જાતના અહંકાર આપણી પાસે પાડ્યા છે ? સંસારના બધા ભેદોનો અભાવ, બધી મુશ્કેલીઓનો અભાવ તે સિદ્ધાવસ્થા છે અને ત્યાં આત્માના અનંત ગુણોની સંપત્તિ છે. આમ સિદ્ધાવસ્થાનું સુખ નેગેટીવ જ નથી પણ પોઝીટીવ પણ છે. સંસાર ભય, કલેશ, માન અપમાન, સંયોગ-વિયોગ આ બધાથી ભરેલો છે. દષ્ટિમાં આવેલો જીવ વિચારે છે કે આનો નાશ શેનાથી થાય? ક્ષમાદિ ધર્મના સેવનથી વિકૃતિનો નાશ થાય છે. આ ક્ષમાદિ ધર્મને પામવા માટે સજજનોની પ્રવૃત્તિ ચિત્ર એટલે અનેક પ્રકારે છે. સત્પરુષોની-મહાત્માની અવસ્થા ભેદ, ક્ષયોપશમ ભેદે પ્રવૃત્તિ જુદી જુદી હોય છે. એક દર્શનમાં પણ શ્રાવકની પ્રવૃત્તિ, સાધુની પ્રવૃત્તિ જુદી જુદી હોય છે. અન્યદર્શનની પણ જુદી જુદી પ્રવૃત્તિઓને કઈ રીતે જાણી શકાય કે આ સમ્યગુ છે કે મિથ્યા છે? સભ્યપ્રવૃત્તિના સ્વરૂપથી જે ભિન્ન સ્વરૂપ, તેના અપોહથી એટલે તેના ત્યાગ પૂર્વક જાણી શકાય છે. પણ તે મારા જેવો અલ્પણ કયાંથી જાણી શકે? મારી પાસે કંઈ જ્ઞાન નથી, હું અલ્પજ્ઞાની છું. ઘર્મની ભિન્નતા દેખાય એમાં સાચું શું? ખોટું શું? એ વિચારણા-મંથન કહેવાય છે. કયું લેવા જેવું. કયું છોડવા જેવું તેનો વિચાર બીજી દૃષ્ટિમાં કરે છે. સિધ્ધાવસ્થાનું સ્વરૂપ જેમ વિચારીએ તેમ મોહનીય ઘસાય છે. કર્મો ઘસાય છે. કર્મો બળવાન છે. એનું બળ આપણા ઉપર છે. તેની સામે ચિંતન મનનનો પુરુષાર્થ ઉભો કર્યા વિના અહીંથી જઈશું તો સીધી દુર્ગતિ છે. જેમ જેમ ચિંતન મનનથી અંદરના કચરા નીકળતા જાય તેમ તેમ કર્મો ખસવા વડે આત્મા શુદ્ધ બનતો જાય છે. બીજી દષ્ટિમાં રહેલા આત્માની લઘુતા કેટલી છે ! અહંકાર કેવો ઘટતો જાય છે. તે નીચેના શ્લોકથી જાણવા મળે છે. नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।४८|| Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy