SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ જયાં કમિકતા ત્યાં વિકલ્પ ૨૮. જયાં ક્રમિકતા ત્યાં વિકલ્પ સંસારને ઓળખવો છે.? સંયોગ ઓળખાય તો સંસાર ઓળખાય તેમ છે. સંસાર દુઃખરૂપ ઓળખાય છે? અહં અને મમ સ્વરૂપ સંસાર છે. અહંકાર કોને ઓળખાય? આ “હું” પણું એ આત્માની વિકલ્પમય અવસ્થા છે વિકલ્પમાં સુખ હોય નહીં. વિકલ્પ આત્માની કમિક અવસ્થા છે. અને ક્રમિક અવસ્થા હોય ત્યાં વિકલ્પ આવે છે. પ્રશ્નઃ સિદ્ધોમાં વિકલ્પ કેમ નહીં? ઉત્તર : ત્યાં ક્રમિકતા નથી જયાં મિકતા હોય ત્યાં વિકલ્પ પડે છે. જે વસ્તુ ખંડિત હોય ત્યાં વિકલ્પ આવે છે. જ્ઞાન અને વેદન ખંડિત થવાથી જ્ઞાન વિકારી બન્યું તેથી વિકાર વિકલ્પ, વેદન વિકલ્પ અને આવરણ વિકલ્પ ત્રણ પ્રકાર પડ્યા. વેદન અને જ્ઞાનમાં વિકલ્પ લાવનાર વિકારો છે. જો વિકારો નીકળી જાય તો જ્ઞાન અને વેદનમાં સુખ અનુભવાય છે. કેવળજ્ઞાન નિર્વિકલ્પક છે. છાવસ્થિત જ્ઞાન વિકલ્પમય છે માટે ત્યાં સુખ નથી. કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન, ભવિષ્યના સૈકાલિક પર્યાયો એક જ સમયમાં જણાય છે. તેમાં કોઈ ભેદ નથી. ક્રમિકતા નથી. છદ્મસ્થને ભૂત - ભવિષ્ય વિ. ના ભેદ પડે છે. થયું, થશે, આ ભેદો છઘસ્થાને છે. કેવળજ્ઞાનમાં આ સંભવે નહીં ત્યાં કેમિકતા જ નથી. એકી સાથે બધું પ્રતિબિંબિત થાય છે. હું અને મારું એ છઘસ્થાને છે. આપણો આત્મા મહાન છે. સુંદર છે તેની આપણને કલ્પના નથી તેથી ઈટ ચુનાના ફલેટમાં આપણે પાગલ બનીએ છીએ આત્માની સિદ્ધાવસ્થા પાસે આ બધું આત્માનું અપમાન છે, જગતમાં બે બંગલા મળી ગયા. એક હજાર વારના ફલેટને બદલે બે હજાર વારના ફલેટમાં આનંદ આવે છે-આ બધું આત્માનું અપમાન છે એમ માનો છો? સંસારની ઊંચામાં ઊંચી પદવી એ પણ સિદ્ધાવસ્થા પાસે તુચ્છ છે, અસાર છે, અપમાન છે. તમને અપમાન ગમે કે સન્માન ગમે? સિદ્ધાવસ્થામાં સતત સુખ છે, સંસારમાં સુખ નથી. આ સમજાઈ જાય તો જીવ ફસાય જ નહીં, જગતમાં જીવને ખ્યાતિ, પ્રતિષ્ઠા મળે, તે સમયે તેની જાણકારી થાય તેમાં વાંધો નથી પણ રતિ, ઉલ્લાસ, અહંકાર થાય છે તે મોહના વિકારો છે. વેદન ખંડિત થયું છે. કેવળજ્ઞાન જે સમયે થાય છે તે જ સમયે આનંદ વેદન પણ થઈ જાય છે, જ્ઞાન પૂર્ણ થાય છે. માટે આનંદ વેદન પણ પૂર્ણ બને છે. વિકારો નથી માટે નિર્વિકલ્પકતા છે. વિકાર વિકલ્પ, વેદન વિકલ્પ, આવરણ વિકલ્પ આ ત્રણ સંસારી અવસ્થા છે. સ્થાન અને જન્મ પુણ્યના પ્રભાવે મળે છે. યોગ્યતા, પાત્રતા અને ગુણોનો વિકાસ પુરુષાર્થના આધારે પ્રાપ્ત થાય છે. અવળા પુરુષાર્થથી અંદરમાં સંસાર ઉભો કર્યો છે. હવે સવળા પુરુષાર્થથી એ સંસારને કાઢવાનો છે. આ સવળો પુરુષાર્થ માનવભવમાં જ મળે છે અને તેના દ્વારા ઠેઠ સિદ્ધાવસ્થા સુધી પહોંચી શકાય છે. એ જ માનવભવની ઉજજવલતા છે. માનવભવ ગમે તેટલો મહાન હોય પણ તેમાં વિપરીત પુરુષાર્થ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy