SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ દો - - એ બંને અહંકાર છે. બે અહંકારમાં માત્ર એક લોકિક છે અને બીજો પારમાર્થિક અહંકાર છે. જડ પ્રકૃતિના ઉદયથી થતાં કાર્યને જીવે પોતાનું માની લીધું છે. તે ક્રિયાનો પોતે કર્તા છે એવું માને છે અને તેથી જીવ બંધાય છે. અહંકારથી મૂઢ આત્મા જીવને કર્તા માને છે. અહંકાર એટલે હું છું – “” બોલો એટલે – “હું બોલવું જ પડે છે. આ “છું' સાથે હું વણાયેલો છે. માટે જ સંસાર છે. “છું' ને ભગાડવું હોય તો હું ને કાઢવું પડે, “હું ને ભગાડવું પડે. સિદ્ધાવસ્થામાં શું છે? ના, કેમ? હું નથી માટે ત્યાં છું નીકળી ગયો છે. હું'નું સ્થાન પહેલું છે “છું' નું સ્થાન છેલ્લે છે, આમાં છું ના વિસર્જન માટે હું નું વિસર્જન અત્યંત જરૂરી છે. સિદ્ધાવસ્થામાં “છું' નું સ્થાન છે' લે છે. જીવ ક્યાં ક્યાં અહંકાર કરે છે ? (૧) શરીરના અહંકાર – હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું દેવ છું વિ. યોગ્યતાને કારણે અહંકાર – હું વિદ્વાન છું, હું સમજદાર છું. હું ભણેલો છું હું ઉપદેશક છું. વિ. (૩) અવસ્થાને કારણે અહંકારઃ હું બાળ, હું યુવાન, હું વૃદ્ધ છું વિ. સંબંધના કારણે અહંકાર હું પિતા છું પુત્ર છું, શેઠ છું. ભાગીદાર છું વિ. વ્યવસાયના કારણે અહંકારઃ હું વકીલ છું, ડોક્ટર છું, વેપારી છું, શિક્ષક છું વિગેરે. ધર્મને કારણે અહંકારઃ હું હિંદુ છું, હું બ્રાહ્મણ છું વિ. ઉપાસનાના કારણે અહંકારઃ હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છું, હું સગુણ બ્રહ્મનો ઉપાસક છું, હું રામનો ઉપાસક છું, હું મહાવીરનો ઉપાસક છું. વિ. (૮) આશ્રમને કારણે અહંકાર – હું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું. વાનપ્રસ્થ છું. વિ. જગતના બધા ભેદો અહંમાં છે. તત્ત્વમાં ભેદ નથી. અહંકાર અનેક સ્વરૂપ ધારણ કરે છે. “છું' સર્વત્ર એક જ રહ્યું છે, અને વ્યવહારમાં હું અનેક પ્રકારે છે. સિદ્ધમાં કેમ ભેદ નથી ? સિદ્ધમાં “હું ગયું એટલે “હું” એ “છે' બની ગયું છે. “છે' એટલે અસ્તિત્વ, સત્તા કેવી? મોક્ષમાં આત્મા સત્ અવસ્થામાં છે – સત્તા છે. તે રહેશે. તેનું સૈકાલિક અસ્તિત્વ છે. અહંકારમાં ઢગલાબંધ ભેદો છે. આત્મામાં અહં નથી. આત્મા તત્ત્વ સ્વરૂપ છે. સિદ્ધને હું કેમ નથી ? હું એ એકદેશીપણું છે. હું એ વ્યાપક અર્થનો સૂચક નથી. આત્મા તાદાગ્ય રૂપે શરીર સાથે ભળ્યો છે માટે હું આવે છે. આત્માનું જ્ઞાનથી સર્વવ્યાપીપણું છે, તે શરીર સાથે ભળવાથી એકદેશી બની ગયો છે. એકદેશીપણું આવ્યું તે અહંકાર છે. આ અહંકાર અને આસક્તિ એટલે કે “અહ” અને “મમ'. આ અત્યંતર સંસાર છે. અને તેના કારણે જ બાહ્ય સંસાર છે. વિકલ્પોની હારમાળા છે. આ વિકલ્પોની હારમાળાને મોહનું બળ મળતાં તે ચિરંજીવી બની રહે છે. જો શાસ્ત્રનું બળ મળે અને આત્મા જાગૃત બને તો તે વિકલ્પોથી વિકલ્પોનો નાશ થાય છે. જીવ નિર્વિકલ્પક બને છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy