SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. પ્રક્રિયા થાય છે તે ભાવબંધ છે. આત્માને કર્મબંધ થતો રોકાઈ જવો તે દ્રવ્યસંવર અને જે પરિણામવિશેષથી આ કાર્ય થાય છે તે ભાવસંવર છે. કર્મો આત્મપ્રદેશોથી છુટા પડે છે તે દ્રવ્યનિર્જરા અને જે પરિણામ વિશેષથી આત્મપ્રદેશો ઉપરથી કર્મ ખરી પડે છે તે ભાવ નિર્જરા. જીવવિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથનો અભ્યાસ હોય તો તત્ત્વ સમજી શકાય. કુળાચારની શ્રદ્ધાને જીવંત કરવા માટે સમ્યજ્ઞાન એ અમોઘ ઉપાય છે. મન અને બુદ્ધિથી જીવ જેની સાથે તદાકાર બને તે સંસાર છે. સંયોગો જ સંસાર છે. સંયોગોનો અંત તે મોક્ષ છે. આત્માને પુદ્ગલ ભેગા થાય ત્યારે જીવ પોતાનો ભાવ મેળવે છે એમાં ચોંટી જાય છે માટે કર્મ બંધાય છે. કર્મો નવા નવા દશ્યો ઊભા કરે છે. આજે માનનું દૃશ્ય, આવતી કાલે અપમાનનું દૃશ્ય, સુખ-દુઃખના દૃશ્યો ઊભા થાય છે. મન, બુદ્ધિ, ઉપયોગ તેમાં ભળે છે. તે વખતે તેમાં વિશેષ ભાવ ઊભા કરે છે એટલે ફરી નવાં કર્મો ઊભા થાય છે. નવું દૃશ્ય, ફરી નવા કર્મ, આ પ્રમાણે જીવનું દોઢડહાપણ અનંતા કાળથી ચાલ્યાજ કરે છે. જીવ અહંકાર કરે છે, જીવ દૃષ્ટા બની રહેતો નથી પણ કર્તા- ભોક્તા ભાવ કરે છે. પણ હકીકતમાં તું કંઈ કરી શકતો નથી. everything happens - બધું થયા કરે છે. પણ સર્જાતા દૃશ્યોમાં જીવ અંદર ભળે છે, પોતે અંદર ભાગ લે છે. દાખલ થાય છે માટે કર્મ ચોંટે છે. જ્ઞાની દરેકમાં ભવિતવ્યતાને જુએ છે. સંસાર સાથેની ભાગીદારી બહુ ગમે છે ? ભાગીદારીમાં મજા છે કે એકલામાં મજા છે ? દરેક ભવેભવે જીવ પોતાની બેટ્રી ચાર્જ કર્યા કરે છે પણ એ ડીસ્ચાર્જ થાય ત્યારે શું ? ઘડીયાળમાં બેટ્રીનો પાવર ડીસ્ચાર્જ થાય છે ત્યારે તે અટકી જાય છે. પણ આ જીવ ડીસ્ચાર્જ થાય તે પહેલાં નવું નવું કાર્ય કરે છે.recharge - ફરીથી ચાર્જ કર્યા કરે છે એટલે સંસાર લાંબોલસ થઈને ઊભો છે. નવું ચાર્જ ન કરો તો સંસાર ખાલી થાય. બંધના હેતુનો અભાવ અને નિર્જરા કરવાથી સંસારનો અંત લાવી શકાય છે. ૨૮૪ ન જેમ ટાંકીમાં પાણી છે, નીકળ્યા કરે છે અને નવું ભરતા નથી તો ખાલી થઈ જાય છે; તેમ કર્મો ભર્યા છે તે ઉદયમાં આવીને નિર્જરા પામે છે. હવે કર્મનો પુરવઠો પુરવાનું બંધ કરો તો ખાલી થાય. નવા કર્મો ક્યારે ન બંધાય ? કર્મોનો ઉદય જે દૃશ્ય સર્જે છે તેમાં એકમેક ન થાવ ત્યારે. આ આમ કેમ થયું ? અને આમ કેમ ન થયું ? આવા વિકલ્પો કરવાના બંધ કરો અને કર્મની સાઇકલ પ્રમાણે બધું થયા કરે છે. તેમાં સારું ખરાબ ન માનો તો નવા કર્મો ન બંધાય. કર્મનો ઉદય આત્માને હોવા છતાં પણ તે આત્માથી ભિન્ન છે તેમાં સારું-ખરાબ માનવાની શી જરૂર છે ? વૃક્ષનું પાન પાકી પાકીને નીચે પડે છે પછી પવનથી આમતેમ થાય છે. ગતિ કરવાની સ્વયં શક્તિ નથી છતાં પવનના ઝપાટે આમ તેમ થાય છે. તેમ આત્માના વિવિધ રૂપો એ કર્મથી થાય છે. એ સ્વરૂપ આત્માનું નથી, આત્માથી ભિન્ન છે તેમાં ભળવાનું હોય કે છૂટું પડવાનું હોય ? કર્મના ઉદયથી સારું ખોટું થાય છે. જીવ કરતો નથી. પણ હું કરું છું એમ માને છે તે અહંકાર છે, ભ્રાંતિ છે. આત્મા ઉપર જેટલા અહંકારના થર વધારે તેટલા મન - બુદ્ધિના થર વધારે રહે છે. અહંકારનું વિલીનીકરણ કરવાનું છે. હું સંસારી છું, હું સાધક છું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy