SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. ૨૮૦ જાય છે. મનમાં એમ છે કે સાધુને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત છે. વાપરવા દેવું નથી. સાથે જતાં જતાં કહે છે, ભગવન્! પુરિમનું પચ્ચખાણ આપો. પચ્ચખાણની કેટલી વાર છે સાહેબ? ત્યાં ઉપર જુએ છે તો ચંદ્ર! અરે ! મેં કેવી ભૂલ કરી હજી તો સૂર્યોદય નથી થયો. ચમકી ગયા. પાછા ફર્યા. શ્રાવકને કહે છે કે તેં મને બચાવ્યો છે, મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તારા જેવો જગતમાં કોઈ ઉપકારી નથી. સમજી લે કે આને હવે હું વાપરીશ નહીં, પણ પરઠવી દઈશ. છતાં શ્રાવકને વિશ્વાસ નથી, કદાચ મહાત્મા ભૂલ કરી બેસશે તો? માટે પાછળ સાથે ગયો. મહાત્માને જાત પ્રત્યે તીવ્ર નફરત છૂટી. આટલો બધો હું નીચ ! પાપી! અધમ ! આટલી હદ સુધી હું નીચે ઉતરી ગયો? રખિયા લઈને લાડવાને ચોળે છે. હાથથી મસળતા જાય છે, લાડવા માંગતા જાય છે અને અંદરથી કર્મના ચૂરેચૂરા થતાં જાય છે. આ પારિષ્ઠાપનિકા પણ એક સમિતિ છે. પરઠવવું એ પણ ધર્મ છે. હું રખિયામાં નાખું તો તમને શું થાય ? તમને એમ થાય કે બીજાને આપે તો શું વાંધો છે? પણ ના અપાય. ધર્મલાભ શબ્દનો વિશ્વાસઘાત થાય છે. અવિરતિધરને ન અપાય, ખાનદાન માણસ ભૂલ કરતાં કરે. પણ તેની ખાનદાની તેનો બચાવ પણ કરે છે. ભૂલ થવી એ મોટી ચીજ નથી. પણ ભૂલનો સ્વીકાર કરી તેમાંથી બહાર નીકળવું એ મોટી ચીજ છે. ભૂલના ખ્યાલ ઉપર મહાત્મા કેવા પરાક્રમ કરી શકે છે? એની ભૂલની ટીકા ટીપ્પણ કરીએ તો આપણા જેવા અધમ કોઈ નથી. લાડવા ચૂરતાં ચૂરતાં મહાત્માના કર્મોના ચૂરેચૂરા ઉડી ગયા. ક્ષપકશ્રેણી મંડાઈ ગઈ. કેવળજ્ઞાન થઈ ગયું. પ્રશનઃ રાત્રે કેવળજ્ઞાન થઈ શકે? ઉત્તર : હા, સાધના માટે કોઈ અકાળ નથી. હા, વિષય-સેવનમાં તલ્લીન હોવું, નિદ્રાધીન હોય, અણિમાદિ લબ્ધિનો ઉપયોગ કરતાં હોય ત્યારે ક્ષપકશ્રેણી ન મંડાય. બાકી બધી ક્રિયા કરતાં ક્ષપકશ્રેણી માંડી શકાય. એ જ બતાવે છે કે કોઈપણ ક્રિયામાં સ્વરૂપનો રસ તીવ્ર ઠાલવવાનો છે તો ક્ષપકશ્રેણી મંડાય છે. નાગકેતુને પુષ્પપૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન થયું છે. કુમારપાળને પૂર્વભવમાં પુષ્પપૂજાના પ્રભાવે અઢાર દેશનું રાજ્ય મળ્યું છે. ક્રિયા કોઈ મોટી ચીજ નથી. પણ ક્રિયામાં ભાવ ભળે છે. માટે ક્રિયાને ધર્મ કહીએ છીએ, પરઠવવાની પણ એક ક્રિયા છે. જ્ઞાનીએ બતાવેલી બધી ક્રિયા શ્રેષ્ઠ છે. ધર્મરુચિ પરઠવવા ન ગયા હોત તો? ગુરુની આજ્ઞાએ કામ કર્યું તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. રત્નાકરસૂરિએ સંસ્કૃતમાં રત્નાકર પચ્ચીસી લખીને કેવી આત્મવેદના ઠાલવી છે? આત્મનિંદાથી ભરેલી આ સ્તુતિનો અનુવાદ કરનાર શ્યામજી માસ્તર તે અમૃતસૂરી મ. સા. ના સંસારી ભાઈ થાય છે, અમૃતસૂરી મ.સા. પણ કવિ હતાં. કુમારપાળની સ્તુતિનો અનુવાદ કર્યો છે. જેમાં આત્મનિંદા ભરેલી હોય તે ચીજ આત્માને જેટલી સ્પર્શે છે તેવી બીજી સ્પર્શતી નથી. અપૂર્વભાવમાં રચેલી આ સ્તુતિઓ બોલતાં આપણી આંખોમાં આંસુ આવી જાય છે. આ દષ્ટિમાં આવેલા જીવને પ્રકૃતિથી નિર્ગુણ સંસારમાંથી ક્યારે છૂટું? આ જ વિચારણા હોય છે. સંસાર એને ત્રાસ રૂપ લાગે છે પોતાના કરેલા વિકલ અનુષ્ઠાનમાં અહીં ત્રાસ હોય છે. બીજાના તેવા અનુષ્ઠાનમાં તેને ત્રાસ ન થાય, દ્વેષ ન થાય પણ આ દૃષ્ટિના બોધના સામર્થ્યથી જીવ પાસે સમાધાનની કળા હોય છે એટલે બીજાની ભૂલ જોઈને દ્વેષ ન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy