SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ કરતાં કર્મની પરાધીનતાનો વિચાર કરે છે. છઘસ્થ જીવો ભૂલથી ભરેલા હોય છે. “સલ્વે જીવા કમ્યવસ” સર્વે જીવો કર્મને આધીન છે. પોતાની જાતને પ્રમાદથી બચાવવાની છે માટે નિંદા ગર્તા કરે છે અને સુધારવાનો પ્રયત્ન કરે છે. પોતાની જાત માટે નિંદા, ગહ આવશ્યક છે તો જ આત્મા જાગૃત બની શકે છે. જેને પોતાના દોષ જોતાં જ નથી આવડતા, તે નિંદા-ગહ કરી શકતા નથી. જેની આંતરખોજ ચાલી ગઈ તેની ક્રિયા માત્ર બાહ્ય અનુષ્ઠાન રૂપે રહે છે. ખાલી ક્રિયા કરવી તે અધ્યાત્મ નથી પરંતુ જાતતપાસ કરવી તેનું નામ અધ્યાત્મ છે. અધ્યાત્મથી ઉપયોગને અંદરમાં વાળી શકાય છે. બીજાના વિકલ અનુષ્ઠાન જોઈને કરુણા કરવાની છે. તે બચે તો બચાવવાનો છે અને ન બચે તો સમાધાન કરીને આગળ ચાલવાનું છે. પ્રતિક્રમણ કરતાં પહેલાં દસ મીનીટ તમારા પાપોનું આલોચન કરી જાવ. વિચાર કરી જાવ. પશ્ચાત્તાપ ઊભો કરો તો પ્રતિક્રમણમાં ભાવ આવશે. ઇચ્છામિ ઠામિ વિ. સૂત્રોમાં કેવા પશ્ચાત્તાપના શબ્દો છે ? ચઉવીસત્યો - પરમાત્માની સ્તવના કરતાં ભક્તિ - આદરબહુમાનના ભાવો ઉછળવા જોઈએ. ગુરુવંદન કરતાં ગુરુ પ્રત્યે ભક્તિ બહુમાનના ભાવોથી હયું ગદ્ગદ્ રહેવું જોઈએ. શબ્દોમાંથી અર્થ નીકળે છે તો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે અને શબ્દોમાંથી શુભ ભાવ નીકળે તો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ જાણવો. પદાર્થને જાણ્યા પછી જે લાગણીના ભાવો કરીએ છીએ તે મોહનીયના ભાવો છે. મતિજ્ઞાનમાં આ બંને પડ્યા છે. તે સંસાર છે. જ્ઞાનીએ મોહના ભાવો કર્યા વગર જ્ઞાન કરવાનું કહ્યું છે, નવા નવા ભાવો કર્યા કરીએ છીએ, માટે સંસાર ચક્ર ચાલે છે. ઘરમાં પડેલી વસ્તુને જાણો છો કે ભાવો પણ કરો છો ? ખાવું-પીવું, પહેરવું, ઓઢવું, વાતચીત કરવી, સુવું વિ. દેહની પ્રવૃત્તિઓ દેહ છે ત્યાં સુધી કરવાની જ છે. પણ આત્મઘરમાં રહીને કરવાની છે. પુદ્ગલના ઘરમાં રહીને જે પ્રવૃત્તિ કરવી તે અહંકાર છે, આત્માના ઘરમાં રહીને પ્રવૃત્તિ કરવી તે વિવેક છે. બીજી દૃષ્ટિમાં આટલો વિવેક મળ્યો છે. આત્મા ઘરમાં આવીને ઊભો રહ્યો છે. दुःखरुपो भव: सर्व उच्छेदोऽस्य कुतः कथम् ।। चित्रा सतां प्रवृत्तिश्चि साशेषा ज्ञायते कथम् ।। ४७ ।। - બીજી દૃષ્ટિમાં આવેલા જીવને આખો સંસાર, જન્મ, જરા મરણ રૂપ હોવાથી દુઃખ રૂપ લાગે છે. આખો સંસાર સંકલ્પ-વિકલ્પો, મન-વચન-કાયાની વિચિત્રતાથી ભરેલો છે. આવા સંસારમાં વ્યગ્રતા સિવાય બીજું કંઈ ન મળે, સંક્લેશ સિવાય કંઈ ન મળે. પર દ્રવ્યના સંક્લેશથી આત્મા વિકારી બને છે. ક્લેશથી યુક્ત મન તે સંસાર છે. ક્લેશથી રહિત મન તે જ મોક્ષમાર્ગ છે. આત્મા પરદ્રવ્યની આસક્તિથી વિકારી બને છે. વિકારી આત્મા સંસારમાં પરદ્રવ્યના યોગે સુખ શોધવા નીકળ્યો છે. આ મોટામાં મોટો ભ્રમ છે. પરદ્રવ્યના યોગે સુખ મળે જ નહી. પરદ્રવ્યના સંયોગે કર્મ વળગ્યા, કર્મોની વણઝાર ચાલી અને કર્મમાં પ્રધાન મોહનીય કર્મ વળગ્યું. કર્મથી દેહ વળગ્યો. માટે જન્મ આવ્યો. જન્મની સાથે જીવન વળગ્યું. અને જીવન વળગ્યું એટલે જીવન જીવવા માટે ઢગલાબંધ વસ્તુની જરૂર પડી. જીવન જીવવાની હાડમારી ઊભી થઈ. જીવન જીવવા માટે અનેક વ્યક્તિઓનો સમુદાય જોઈએ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy