SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ જ સુખી થઈશું. જીવનની જરૂરીયાતો ઓછી હોય તો જ સુખનો અનુભવ થશે. અંગ્રેજીમાં કહેવત છે કે, 'That man is richest whose needs are cheapest, 8-1 જરૂરીયાતો સસ્તી છે, (ઓછી છે,) તે માણસ શ્રીમંત છે. સુખી છે. ગાંધીજી પણ જીવનમાં સાદગીનો આદર્શ અપનાવતા અને તેથી જ તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતના મેં જે સ્વપ્ન સેવ્યા હતા તેની આજે કલ્પના પણ થઈ શકે તેમ નથી. આજે યંત્રવાદ વિકસ્યો. સાદું જીવન નાશ પામ્યું. ખેતીપ્રધાન દેશને ઉદ્યોગપ્રધાન દેશ બનાવવા જતાં ભારતે પોતાની અસ્મિતાનું બલિદાન કર્યું છે. આદર્શ ભારતનો માનવ ખેડૂત હોય, ખેતી તેનું જીવન હોય, ભજન તેનું લક્ષ્ય હોય, તે આપમેળે પોતાની જરૂરિયાતો મેળવી લેતો હોય, એને કોઈની ગુલામી ન હોય. એને તાર-ટપાલ, રેલ્વે - બસની જરૂર જ ન હોય. પણ આજે ભારતીય જનતા પુલની ગુલામ બનેલી દેખાય છે. આપણે કેટલું બધું ખોયું છે ? દેવો જે જીવનને ઇચ્છે છે તેવી સ્થિતિને તો તમે નથી ઇચ્છતા, પણ પોતાનું બધું સત્ત્વ અન્યત્ર, પદાર્થમાં નિચોવીને માનવી નિ:સત્ત્વ બની રહ્યો છે. ભૌતિક સાધનો વધે, બંધ બંધાય એ દેશની આબાદી છે કે માનવ સંસ્કારી બને એ આબાદી છે? તમને જ્યાં જ્યાં જનાજ્ઞા વિરુદ્ધતા દેખાય, વિરાધના દેખાય ત્યાં ત્યાં પોતાની જાત અધમ લાગે છે ? પોતાની જાત ઉપર સૂગ છૂટે છે ? તિરસ્કાર થાય છે ? દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. એક મહાત્મા છે. માસક્ષમણને પારણે ગોચરી ગયા છે. સામે બધું પડેલું છે. તેમાં લાડવા પણ પડેલા છે. પેલા ભાઈએ બધું કહ્યું પણ એ મોદક વહોરાવવાનું ભૂલી ગયા. શ્રાવક ઘરમાં જેટલી જેટલી ચીજ હોય તે બધાની વિનંતી કરે, ન કરે તો શ્રાવક ચૂક્યો કહેવાય. સાધુના મનમાં લાડવા પેસી ગયા. વિપરીત કર્મના ઉદયે, પાપોદયે આ વાત એના મનમાં ચોંટી ગઈ, ભૂલ કોણ ન કરે? ભૂલ વીતરાગ ન કરે, ભગવાન ન કરે. બાકી બધા જ કરે; કરી શકે, થઈ શકે. તમને એમ ન થવું જોઈએ કે સાધુથી આવું કરાય? સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી જીવનની તમે અમારી પાસે અપેક્ષા રાખો તો તે આજે બહુધા શક્ય નથી. ક્ષતિ દેખાય ત્યાં નિંદા નહિ કરવાની. નિંદા કરવાથી હારી જવાય છે. મહાત્મા ગયા. મુકામમાં ગોચરી વાપરી પણ આખો ઉપયોગ મોદકમય બની ગયો છે. મહાત્માના મનનો સિંહ કેસરીયા મોદકે કબજો લીધો, જબરજસ્ત ઘેરો ઘાલી દીધો. અડધી રાત થઈ, બાર વાગે સાધુ ઉઠયા. પ્રતિક્રમણ, પડિલેહણ વિ. બધું કરી લીધું ને રાત્રે વહોરવા નીકળ્યા. શ્રાવકનું બારણું ઠોકયું ને ધર્મલાભના બદલે સિંહ કેસરીયા બોલ્યા. શ્રાવકને થયું કે આ મારી ભૂલ છે. સમજી ગયો કે મેં લાડવા વહોરાવ્યા નહીં તેનું આ પરિણામ છે આમાં એમની ભૂલ નથી પણ મારી છે એમ માનીને સાધુને ઘરમાં લઈ ગયા. ત્રણે પાતરા મોદકથી ભરી દીધા. જે જોઈતું હતું તે મળી ગયું. એમને પોતાને કંઈ ખબર નથી. થિણદ્ધિ નિદ્રાવાળો જેમ બધું કરે તેમ તે કરે છે. પોતાને કંઈ ખબર નથી. કે હું શું કરી રહ્યો છું. શ્રાવક પાછો વળાવવા માટે જાય છે. ઉપર આકાશમાં ચંદ્ર દેખાય ત્યાં સુધી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy