SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજો ગયો, સમજી ગયો કે ગુરુ ફસાયા છે. સાચું શ્રાવકપણે અહીં છે. દયા આવે, કરુણા આવે, પણ દ્વેષ ન જ આવે. ઠેષ ધર્મનો નાશ કરે છે. દ્વેષ ધર્મની યોગ્યતાનો નાશ કરે છે. સંસારમાં એકે ક્ષેત્ર એવું નથી કે જ્યાં તમે દ્વેષ કરો તો આગળ વધી શકો. સંસારમાં પણ જો ષ ન ચાલે તો ધર્મના ક્ષેત્રે દ્વેષ ક્યાંથી ચાલે? આ શ્રાવક સમજે છે કે આ દોષ જરૂર છે. પણ બીજા ઘણા જમા પાસા તેમની પાસે છે. બીજાના દોષોનું ગેઝેટીંગ ન કરાય. શ્રાવકમાં કુશાગ્ર બુદ્ધિ અને ગંભીરતા હોવી જરૂરી છે. સમક્તિના સડસઠ બોલની સજઝાયમાં કહ્યું છે કે, “ગુણ સ્તુતિ - અવગુણ ઢાંકવા જી, આશાતનની ખાણ” સમકિતીના દોષો ઢાંકવાના છે, કોઈના પણ દોષને ખુલ્લા કરવા તે માર્ગ નથી. ગુણસંપન્ન આત્મા છે. કલિકાલમાં ગમે તેટલો આરાધક આત્મા હોય તો પણ તેમાં કોઈ ને કોઈ સ્કૂલના રહેવાની છે. પણ તે વખતે ગંભીરતા, ઉદારતા, પ્રેમ, વાત્સલ્ય ન હોય અને નિંદા કરવા બેસી જઈએ તો ધર્મ હારી જવાય છે. મુંબઈમાં લાલબાગમાં એક આચાર્ય મ.સા. હતા. સાધુએ વ્યાખ્યાન આપ્યું. તપનો એવો સુંદર ઉપદેશ આપ્યો કે ઘણા આરાધકો તપમાં જોડાયા. તેમાં એક શ્રાવક હતો. તે બોલ્યો કે જોયું, તપની મોટી વાતો કરે છે પણ જો જો, કાલે સવાર થાય કે તરપણી લઈને નીકળી પડશે. તરત જ પેલાને જીભનો લકવા પડી ગયો. ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ તત્કાળ ફળે છે. પંચ પરમેષ્ઠીની કોઈ પણ આશાતના કરો તો કાં તો મૃત્યુ આવે, કાં તો ભયંકર રોગ આવે. કોઈની આશાતના ચાલે ? ન જ ચાલે. દોષ જરૂર છે, પણ સીધો દોષ ન બતાવાય. સ્પોટ ઉપર ઘા ન કરાય, મર્મસ્થાન ઉપર ઘા કરો તો જે સુંદર પરિણામ લાવવું છે તે ન આવી શકે. શ્રાવક આચાર્ય ભગવંતને વિનંતિ કરે છે કે મારે અપરિગ્રહ વ્રત સમજવું છે. મહારાજ ઘણું સમજાવે છે પણ આ શ્રાવક તો મોઢાના ભાવ એવા જ કરે કે જાણે કંઈ સમજાતું નથી. ઘણી દલીલ, તર્કશક્તિથી સમજાવવા છતાં તે સમજતો નથી. તે પણ ગમગીન થઈને કહે છે કે બીજું બધું સમજાય છે પણ એવો ભારે કર્મ છું કે આ જ સમજાતું નથી. શ્રાવક વિચારે છે કે ગુરુને જાતે અંદરથી જડે તો સારું, મારે સામેથી કંઈ કહેવું નથી. કેવી મર્યાદા છે? ગુરુને પણ ચિંતા થાય છે કે આ મારા ભક્તને કેમ સમજાતું નથી ? મારે એને કોઈ પણ ભોગે સમજાવવો જ છે. શું કરું? વિચાર કરતાં ઉહાપોહ થયો. કારણ જડી ગયું. કહ્યું, કાલે સવારે આવજે, અને પોતે વિચારે છે કે હું પરિગ્રહના ભાર નીચે દબાયેલો છું. મને રત્નની મૂચ્છ પડેલી છે કહેવાતો સાધુ, હું આ રનની પાછળ ગાંડો થયો છું રાત્રે ઉઠયા, પથરો લઈને રત્નોનાં ચૂરેચૂરા કરી ફુફદ્ સ્વાહા - કરી નાંખ્યું. બીજે દિવસે તેને સમજાઈ ગયું. જેમ જેમ જડ પદાર્થો પાસેથી ઉધાર શક્તિઓ જીવ લે છે, તેમ તેમ ચૈતન્ય હણાય છે. આવું ચેતન્યનું હણાવાપણું તે ચૈતન્યની સ્મશાનયાત્રા છે. આપણે બીજાની સ્મશાનયાત્રામાં જઈએ છીએ પણ અહિંયા તો આપણે આપણી જ સ્મશાનયાત્રામાં હાજર છીએ. માનવી પાસે ઘણી શક્તિ છે પણ પોતાની શક્તિઓ ક્યાં હણાય છે તે જાણવાની તેની પાસે શક્તિ નથી. પર પદાર્થમાં આનંદ માને છે પણ શક્તિનો હાસ જોઈ શકતો નથી. પરપદાર્થની ઇચ્છા, આસક્તિ, તૃષ્ણા ઘટાડવી પડશે અને તે ઘટશે તો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy