SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઉત્તર : એના પાલનથી સંયમ રૂપી પુત્રનો જન્મ થાય છે. અષ્ટપ્રવચનમાતાનું પાલન સંયમની પરિણતિ ઊભી કરે છે, ટકાવે છે, નિર્મળ કરે છે, ઉપર ઉપરના અધ્યવસાયને પ્રાપ્ત કરાવે છે. જેમ માતા પુત્રને જન્મ આપે છે, પાલન કરે છે, મોટો કરે છે તેમ આ માતાથી સંયમવૃદ્ધિ થાય છે. કોઈ પણ યોગ પકડો. પણ શુદ્ધિ તો જિજ્ઞાસાના આધારે છે. કોઈપણ યોગથી, જ્ઞાનયોગથી, ભક્તિ યોગથી, કર્મયોગથી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. ભક્તિયોગીના જીવનમાં પરમાત્મા કેન્દ્ર સ્થાને હોય છે. પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું. જગતમાં પરમાત્મા સિવાય મારું કોઈ નથી આવી તેની મનોવૃત્તિ હોય છે. જ્ઞાનયોગીને શુદ્ધ આત્મસ્વરૂપનું આલંબન હોય છે. મારું સ્વરૂપ નિર્વિકારી છે, ચોવીસ કલાક તેને સ્વરૂપનો ખ્યાલ હોય છે, જ્ઞાન યોગનો સાધક જગતની વચ્ચે રહેવા છતાં ઉપયોગના બળે પોતાના આત્માને વિકારથી બચાવે છે. કર્મયોગીના જીવનમાં પરોપકાર કેન્દ્રસ્થાને હોય છે તેની સમજ છે કે પુણ્યના ઉદયથી મળેલી સુખની સામગ્રી મારી નથી અને મારા માટે નથી, પણ બીજા માટે છે. તમે તમારા માટે માની લીધી માટે કર્મયોગ ખોયો. પુણ્યોદયથી મળેલી ભોગસામગ્રી મારી માને, મારા માટે છે એવું માને તે દાનાદિ ધર્મ ન કરી શકે. મોક્ષમાર્ગમાં ગતિ ન કરી શકે. એકલી ક્રિયા એ ધર્મ નથી. એ દાનાદિ ક્રિયાને યોગ બનાવવાનો છે. આજે જીવથી છુટતું નથી તે કદાચ આપે તો એને અનુરૂપ ભાવ નથી આવતો. પારકી ચીજ પોતાની લાગી ગઈ એટલે મૂછ આવી ગઈ. જીવ સંસારની બધી પ્રવૃત્તિમાં મૂર્ષિત થઈને જીવે છે. જે જેમાં મૂર્શિત બન્યો ત્યાં તેનો સદુપયોગ ગયો. પદાર્થમાંથી મૂછ નીકળે તો તેનો સદુપયોગ થઈ શકે છે. મમ્મણ સંપત્તિમાં મુર્ણિત હતો તો દાન ન દઈ શકયો, એટલું જ નહીં પણ પોતાની ચીજને પોતા માટે પણ વાપરી ન શક્યો, અને અર્થની કાતિલ મુચ્છથી સાતમી નરકનો મહેમાન બન્યો. તુત્યે નિને”. જે કાર્ય પોતે કરે છે, તે દાન, વંદન, કાયોત્સર્ગાદિ કાર્યો બીજા પણ કરે છે. હવે બીજાની અપેક્ષાએ પોતાના કાર્યોમાં વિકળતા – અપૂર્ણતા દેખાય છે. ત્યારે તેને ત્રાસ છુટે છે. પોતાની જાત વિરાધક લાગે છે. એને દુઃખ થાય છે કે જ્ઞાનીએ બતાવેલા કલ્યાણના માર્ગે હું વ્યવસ્થિત ચાલી શકતો નથી. વિકલ અનુષ્ઠાન હજુ ચાલે, પણ વિકલ અનુષ્ઠાન થયા પછી આપણને દુઃખ નથી થતું તે ન ચાલે. મન ચંચળ છે. વિકલ અનુષ્ઠાન થઈ જાય. ઇચ્છાયોગમાં પણ વિકલ અનુષ્ઠાન મુકેલું છે, પણ તે અનુષ્ઠાન ક્યારે બને? પોતાની નબળાઈનો, ક્ષતિનો સતત ખ્યાલ અને તેમાંથી બચવાની સતત જાગૃતિ એ અનુષ્ઠાનને ઊભું રાખે છે. To err is human, to Confess is divine. HISIAL HIX 1441 પાત્ર છે, પણ ભૂલ કબૂલ કરવી તે દિવ્યતા છે. કર્મનો ઉદય જીવને પટકી દે છે. રત્નાકરસૂરી સંવિગ્ન, ગીતાર્થ આચાર્ય ભગવાન છે. સારા વક્તા, સારા વિદ્વાન છે. અનેક લોકોને ઉપદેશ આપવાની તેમની શક્તિથી તેમણે ઘણા લોકોને પ્રતિબોધ કરેલ, પણ રત્નની મૂર્છાથી ઠવણીમાં રત્ન રાખતા હતા. જ્યાં પંચમ પદે બિરાજમાન સાધુની પરિણતિ અને કયાં આ પરિગ્રહની મમતા? પરિગ્રહ ભયંકર છે. એક વખત કોઈ શ્રાવક આ જોઈ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy