SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજો ૨૭૬ પામ્યા હશો તો તમે આગળ જઈને મહાન થશો. ભલે વર્તમાનમાં કોઈ વિશેષતા ન હોય, માન-સન્માન ન હોય, પણ તમે જેને ઝંખો છો તેવા તમે બનો છો. તમે કોઈ મુફલીસ વ્યક્તિના હૃદયમાં હો અને તમે રાજી થતા હોય તો તમારું અંતઃકરણ બગડેલું છે. તમને જગતના માંધાતાના હૃદયમાં સ્થાન મળ્યું હોય તો પણ એ કાંઈ ભાવિ ઉજ્જવળતાની નિશાની નથી. પુણ્યના ઉદયમાં અને પુણ્યના ઝાકઝમાળમાં તમે અંજાઈ જાવ એ ખોટું છે. પુણ્ય અને શુદ્ધિનો ભેદ કરતાં શીખવું જોઈએ. પુણ્યની અંજામણ કરતાં આત્માની મંજામણમાં સલામતી છે. જગતને પુણ્યની અસર છે. સદ્બુદ્ધિ વગર શુદ્ધિ ઓળખી શકાતી નથી. શુદ્ધિ નથી, તો ગુણો નથી. જગત પુણ્યની અસરથી ખેંચાય છે. ધર્માત્મા શુદ્ધિથી પ્રાપ્ત થયેલા ગુણોની સંપત્તિ ઉપર ઓવારી જાય છે. દૃષ્ટિને સૂક્ષ્મ બનાવ્યા સિવાય આ ભેદ સમજાશે નહીં. જેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી તે માનવી જ નથી. મનુષ્યજીવન પરમાત્મા થવા માટે છે, જેને પરમાત્માનું લક્ષ્ય નથી અને પરમાત્મા થવામાં કારણભૂત સાધુ થવાનું લક્ષ્ય નથી તે કાંઈ જીવન છે ? તીવ્ર જીજ્ઞાસા હોય તો સામાન્ય માણસ પણ તત્ત્વ પામી શકે છે અને તીવ્ર જીજ્ઞાસાના અભાવમાં કરોડપતિ પણ તત્ત્વ પામી શકતો નથી. કરોડપતિ પાસે કસ્તુરી ન હોય એ બની શકે છે એની પાસે કસ્તુરી ખરીદવાની પૈસાની શક્તિ છે પણ એણે ન ખરીદી હોય તો એની પાસે તે ન પણ હોય; અને જંગલના ભીલે મરેલા હરણીયામાંથી કસ્તુરી કાઢી લીધી હોય તો તેની પાસે હોઈ પણ શકે છે. તેમ તત્ત્વની પ્રાપ્તિ મોટા માણસને ન પણ હોય અને સામાન્ય માણસ પાસે હોઈ પણ શકે છે. બહુ ભણેલા જલ્દી મોક્ષે જાય તેવું નથી. પહાડ ઉપર મંદિર હોય ભણેલો માણસ સડકના માર્ગે ચાલતો જાય તો મોડો પહોંચે અને ભીલ કેડીને રસ્તે વહેલો પહોંચી જાય છે. કઈ રીતે વચ્ચેથી નીકળીને ઉપર પહોંચાય તે તેને ખબર છે અને તે રીતે કાર્યસિદ્ધ કરી લે છે, તેવી જ રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસન હોય પણ તત્ત્વની ઝંખના ન હોય તો તત્ત્વ પ્રાપ્ત ન પણ થાય, અને તત્ત્વ પ્રાપ્તિની ઇચ્છા, જીજ્ઞાસા અને લક્ષ્યના બળે જીવ તત્ત્વ પામી શકે છે. ઇચ્છાના બળે સંસાર ચાલે છે. અને ઇચ્છાના બળે મોક્ષમાર્ગમાં આગળ વધવાનું છે. જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. તે વસ્તુને ઓળખાવે છે. જ્ઞાન આત્મા અને પુલાદિને જણાવે છે. તે તે વસ્તુ ઓળખાવીને જ્ઞાનનું કાર્ય પૂરું થઈ જાય છે. જ્ઞાન ચરિતાર્થ થઈ જાય છે. પછી તમે જે પદાર્થનું સ્વરૂપ સમજ્યા, તેમાં જે લાભકારી હોય તેને મેળવવા મથો ને અહિતકારીને છોડો. એમાં જ્ઞાનની સાર્થકતા છે. જે જ્ઞાન સમ્યગુ ઇચ્છાને જન્માવે તે સમ્યગ જ્ઞાન છે. જે જ્ઞાન સમ્યમ્ ઇચ્છાને ન જન્માવે તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, અભવ્યને નવ પૂર્વનું જ્ઞાન છે છતાં સ્વરૂપની ઇચ્છા જ નથી, તો તે મિથ્યાજ્ઞાન છે. અભવ્યનું જ્ઞાન સમ્યગુ ઇચ્છા જન્માવી શકતું નથી, વિપરીત ઇચ્છાનો નાશ કરી શકતું નથી. જેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચન માતાનું જ જ્ઞાન છે અને એ જ્ઞાનના બળે જેને સમ્યગુ ઇચ્છા જન્મે છે તો તે સમ્યગ જ્ઞાન છે. પ્રશન: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને માતાની ઉપમા કેમ આપી? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy