SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગુણઠાણું હતું, સમકિત પણ ન હતું. પણ “જિજ્ઞાસા લાલસાવિતા” હતી. તેમના મતિજ્ઞાનના ઉપયોગમાં રાગાદિ ભાવો (વિપરીત ભાવો) સ્પર્શે તેવા બધા દરવાજા બંધ હતાં. બસ, મતિજ્ઞાનના ઉપયોગમાં કેલાસનાથને ભેટવાનો, સ્વરૂપને પામવાનો જ એક તલસાટ હતો. જિજ્ઞાસા બળવાન હતી, અભિલાષાની તીવ્રતાના બળે બીજી બધી ઇચ્છાઓ ઉપયોગમાંથી કાઢી નાંખી હતી. આ કંઈ સામાન્ય વાત નથી. આ કંઈ સામાન્ય ગુણ નથી. બહુ મહત્ત્વની વાત છે. લાલસાવિતા જિજ્ઞાસા છે. આપણને સ્વરૂપની ઇચ્છા નથી થતી. તેથી બીજી બધી ઇચ્છાઓ આપણા ચિત્ત ને ઉધઈની જેમ કોરી ખાય છે. જે કોઈ સારી ચીજ જૂએ તે જોયા પછી તે મેળવ્યા વિના આત્મા રહી નથી શકતો. સારું જૂએ અને આટલી બધી ઝંખના હોય એટલે તે વસ્તુને તે જરૂર મેળવી આપે છે. બીજી દૃષ્ટિમાં સંસારની બીજી બધી ઇચ્છાઓ સાવ મરી ગઈ છે એવું નથી તે બેઠેલી છે. પણ ઉંચી વસ્તુને પામવાની ઇચ્છા-તાલાવેલી તે આત્માની યોગ્યતા સૂચવે છે. આ દૃષ્ટાંત આટલા માટે જ છે. લાલસાવિતા જિજ્ઞાસાના બળે ૧૫૦૦ તાપસો કેવળજ્ઞાનને પામ્યા છે. તમે બધા ખરાબ ઇચ્છા કેમ કરતાં નથી ? કારણ કે તમે સજ્જન છો. પણ સારી ઇચ્છા કેમ નથી થતી ? કારણ કે પ્રમાદ છે. મુક્તિનો તલસાટ નથી. જીવ પ્રમાદી બન્યો છે, ગળીયા બળદ જેવો બન્યો છે. વીર્યંતરાયનો ક્ષયોપશમ થતો નથી. વર્ષોલ્લાસની ખામી છે. કલિકાલમાં જીવોનું મોટામાં મોટું દૂષણ હોય તો તે સત્ત્વની ખામી છે. સાત્ત્વિક જીવો દીવો લઈને શોધો તો જડે નહીં તેવી પરિસ્થિતિ આજે છે. સજ્જન ઘણા છે. પણ કાયર જીવો, સત્ત્વહીન જીવો બધે ભરેલા છે. સાચી વાત કહેવાની હોય ત્યાં ચાલે ચાલે કરીએ તો કેમ ચાલે? ભૂલ વધતી જ જાય, વધતી જ જાય. ભેંસના શીંગડા ભેંસને ભારે. એવું ન રખાય. બચાવ કરીએ તે અહીં નહીં ચાલે. ઘરમાં ચલાવો છો ? જ્યારથી ચલાવતાં થયા છો ત્યારથી ઘરો બગડતા ગયા છે. ચાલશેની વૃત્તિ બધે ન ચાલે. પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજે. યોગની બીજી દ્રષ્ટિમાં જીવ કેવા વિકાસને પામે છે ? એની આંતરિક સ્થિતિ કેવી બને છે તે વાત કહે છે. અહીં રહેલો જીવ પોતાનાથી ઉચ્ચસ્થાનમાં રહેલા આચાર્યાદિના ધ્યાનાદિ જુએ ત્યારે તેની ખૂબ અનુમોદના કરે છે. આ કેટલું સરસ છે? કેવું મહાન છે? આનાથી જ કલ્યાણ થનાર છે. હું આવું ક્યારે પામું? એવી સતત ઝંખના થતી હોય છે. આ ઝંખના એને ઉત્તરોત્તર ગુણવિકાસમાં કારણ બને છે. આત્માને કેવા પ્રકારના વિચારો આવે છે? કેવા પ્રકારની જિજ્ઞાસા થાય છે? કેવી ઇચ્છાઓ તેને સતાવે છે ? એના ઉપરથી તેનું જીવદળ કેવા પ્રકારનું છે, તેનું ભાવિ કેવું હોઈ શકે? એ બધું જાણી શકાય છે. વળી તમારું સ્થાન કોના હૃદયમાં છે ? એના ઉપરથી તમારી ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. તમે આ જગતના કોઈ મહાન વ્યક્તિના હૃદયમાં સ્થાન - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy