SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ઓછું ચાલે. મુક્તિનો તલસાટ ઓછો ન ચાલે ૨૭૪ દશવૈકાલિક ભણવાનું છે. કેમકે એ આચારનો ગ્રન્થ છે. આચારથી ભ્રષ્ટ એ ભ્રષ્ટ કહેવાય છે, જે વિચારથી ભષ્ટ હોય પણ આચારથી ભ્રષ્ટ નથી થયો તેને ભ્રષ્ટ ન કહેવાય. ન્યાય-નીતિ-સદાચાર એ પણ આચાર છે. ફક્ત સામાયિક, પ્રતિક્રમણ પૂજા જ આચાર છે એવું નથી. ન્યાય-નીતિ-સદાચારમાં પણ સ્કૂલના ન જોઈએ. વ્યવહારમાં ન્યાયનીતિ સદાચાર આચાર છે. અનાચાર નથી. આ દૃષ્ટિમાં સર્વત્ર આચારમાં અલના ન હોવી જોઈએ. અહીં સુંદર આચાર પાળો, અને બજારમાં દેવાળું કાઢ્યું તો નિંદા જ થવાની છે. નીચે પટકાવું ન હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં, ને એકપણ અનુચિત આચાર પકડો નહીં. ક્રમસર ઊંચે ચઢવું હોય તો આચાર એ પાયો છે. આચારના બળ પર બધું જ આવી જાય છે. અજાણતાં પણ અનુચિત ક્રિયા આ દૃષ્ટિમાં રહેલો જીવ ન જ કરે. નિંદા-ટીકાટીપ્પણ, હિંસા, જૂઠ, ચોરી, બીજાને નુકશાન થાય તેવું કદાપિ ન કરે. कृत्येऽधिकंऽधिकगते, जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले, सन्त्रासो द्वेषवर्जितः ॥ ४६ ॥ જ્ઞાન ઓછું ચાલે. મુક્તિનો તલસાટ ઓછો ન ચાલે આ બીજી દષ્ટિમાં જિજ્ઞાસા ગુણ અભૂત હોય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા ગમે તે અશુભ ઇચ્છા નહી પણ આત્માને હિતકારી એવી ઇચ્છા હોય છે. પોતાનામાં જે તપ-ત્યાગ-ધ્યાન-વંદનાદિ સાધના છે, તેના કરતાં અધિક-ઊંચા જે આચાર્યાદિ મહાત્માઓની જે અધિક સાધના જૂએ છે તે જાણવાની ઇચ્છા હોય છે. આ જિજ્ઞાસા “નાનિશ્વિતા' લાલસા ભરેલી હોય, અભિલાષાના અતિરેકવાળી હોય, ઝંખના હોય કે આ યોગ કેવી રીતે મળે? આ યોગની પ્રાપ્તિ ક્યારે થશે? પોતાની જિજ્ઞાસાને રોકી શકતો નથી. જીવનમાં શુદ્ધિ વધે છે ત્યારે અશુભ જિજ્ઞાસા નીકળતી જાય છે. અને શુભ વસ્તુની ઇચ્છા તીવ્ર બને છે. તેમ તેમ તેની જિજ્ઞાસા વધતી જાય છે. જિજ્ઞાસાના બળ ઉપર જ આખો મોક્ષમાર્ગ ઊભો થાય છે. જેને મોક્ષ જોઈતો નથી. મોક્ષની ઇચ્છા નથી. મોક્ષનું લક્ષ્ય નથી. તેને ધ્યાનાદિ શું કરશે? ઉદ્દેશ-લક્ષ્ય-આશય એ બહુ ચઢિયાતી વસ્તુ છે. ઉદ્દેશ-લક્ષ્ય આશય જ્યાં બળવાન ન બને તો તે માટે કરેલા પ્રયત્ન સફળ ન થાય. જિજ્ઞાસા તીવ્ર બને એટલે તે વિના ચેન ન પડે. વસ્તુની તીવ્ર જિજ્ઞાસા એ જ તે વસ્તુ પ્રાપ્તિની યોગ્યતા છે. તે ચીજ તે પામી જાય છે. શિષ્ય કેવળજ્ઞાન પામે છે અને ગુરુ રહી જાય છે એવું પણ બને છે ને? “જે ગુરુ ઉપદેશથી પામ્યા કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” – (આત્મસિદ્ધિ) ગુરુ છવસ્થતાની સપાટી ઉપર અને શિષ્ય કેવળજ્ઞાનનાં આસમાને. આમ કેમ, શું કારણ? ક્ષપકશ્રેણી માટે એકલું જ્ઞાન-ધ્યાન કામ નથી લાગતું, પણ એને પામવા માટે તમારામાં તલસાટ કેટલો છે ? એ નથી મળ્યું તેનો વિરહ, ક્ષપકશ્રેણીનો વિરહ તમને કેટલો સતાવે છે? તે પણ અગત્યનું છે. ગૌતમ રહી ગયા. અને ૧૫૦૦ પામી ગયા. પંદરસો પાસે જ્ઞાન કેટલું ઓછું હતું, પહેલું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy