SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નમો અરિહંત સિદ્ધ - આચાર્ય. એમ ભેગું કર્યું હોત તો ચાંલત ને? દરેક વખતે નમો, નમો બોલો એટલે નવું નવું પુણ્ય ઉપાર્જન થાય છે. જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું નામ કેટલીવાર બોલો છો? કારણ કે તે વખતે મનમાં નવાનવા ભાવ આવે છે. આદર એવી ચીજ છે કે તેનું નામ વારંવાર જીવ બોલ્યા કરે છે. ઘણા કહે છે – મારા બાપા આમ કહેતા હતાં, મારા બાપા આમ કરતાં હતાં. અહીં નવકારમાં પણ બધી વ્યક્તિ પૂજ્ય છે. બધા ઉપર આદર છે તેનું સુચક વારંવાર નમો પદ છે. એકવાર નમો બોલો અને વારંવાર નમો બોલો. એ કેટલો બધો આદર બતાવે છે ? જેટલીવાર નમો બોલો તેટલીવાર નવું પુણ્ય બંધાય છે. શાલીભદ્ર ખીર વહોરાવી ત્યારે પાંચ મીનીટનું જ કાર્ય કર્યું છે. પણ પછી અનુમોદનાના જોરે પુણ્યના થોક ઉપાર્જન કર્યા છે. પુણ્યકર્મ કરો અને અનુમોદના ન કરો તો તે પુણ્યાનુબંધી પુણ્ય ન બને. અનુબંધ ન પડે, તે પુણ્ય સંસ્કાર ઊભા ન કરે. જે આત્મા સીધો ધ્યાનમાં ન જઈ શકે તેને વિવિધ યોગો ઉપકારી બને છે. એને જુદા જૂદા યોગ આપો. એક કલાક દહેરાસરમાં, એક કલાક ઉપાશ્રયમાં એક કલાક સ્તવનોમાં, એક કલાક નવું ભણવામાં આ રીતે આત્મા મનને કેળવી શકે છે. આચારપાલન તે ધર્મનો પાયો છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી વિવિધ ક્રિયા, વિવિધ વસ્તુ જીવ માંગે છે. ધ્યાનને ધ્યાનરૂપે પરિણામાવવું હોય તો આચારનું પાલન ખૂબ જરૂરી છે, કોરું ધ્યાન ન ચાલે, ધ્યાન સિવાયના કાળમાં આચારની ચુસ્તતા જોઈએ જ. એના દ્વારા જીવ આગળ વધે છે. પહેલા ગુણાઠાણે રહેલો અભવ્ય આચારના બળે નવમા ગ્રેવેયને જાય છે. શ્રાવકને પાંચમું ગુણઠાણું છતાં આચારમાં સાધુતા નથી તો બારમા દેવલોક સુધી જ જાય છે, આચાર પાલનની વિશેષતા છે. અભવ્યના જીવે કષાયની મંદતા આચાર પાલનના પ્રતાપે ઊભી કરી છે. કાચું પાણી અડી જાય તો તમને સંકોચ થાય છે? સ્ત્રીને અડતાં તમને સંકોચ થાય છે ? વનસ્પતિને અડતાં તમને અરેરાટી થાય છે ? તેઉ-વાયુનો આરંભ કરતાં તમને મનમાં દુઃખ થાય છે? આ પરિણામ પણ પહેલા ગુણઠાણે અભવ્યને આચારના બળે આવે છે. એકેન્દ્રિયની પણ હિંસા ન કરી શકે તેવા પરિણામ ઊભા કરી દીધાં છે. માટે જ ચારિત્ર ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. અને ગૃહસ્થાવાસ હેય છે. ઘરમાં આવા પરિણામ ઊભા થતાં નથી. ચારિત્રમાં આચાર પાલન સહેલું છે. ચારિત્રના પાલનથી અભવ્યના જીવે અનંતાનુબંધી કષાય પાતળા કરી દીધા છે. પણ અભવ્યને ભાવનાયોગ ભળ્યો નથી કારણ કે આત્માનું વાસ્તવિક સુખ તેના મગજમાં બેસતું નથી તેથી તેને અનુરૂપ ભાવના તેની પાસે નથી. આચારપાલન અને ભાવના, આ બેય ભેગા ભળે ત્યારે પરિણતિ ઉત્કૃષ્ટ બને છે, જીવ ગુણઠાણામાં આગળ વધે છે. આચારપાલન વિનાની ભાવના વિશેષ ટકતી નથી. ધ્યાનને ટકાવવું હોય તો ભાવના જોઈએ. બન્ને અન્યોન્ય છે. - દ્વાદશાંગીમાં પણ પહેલું આચારાંગ કહ્યું છે. સાધુને પણ દીક્ષા લઈને પહેલાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy