SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ માનસચિકિત્સાથી રોગમુક્તિ ૨૭૦ વર્ષનો થયો ત્યાં સુધી રોજ દેવળમાં ચર્ચમાં જતો હતો. પણ વીસ વર્ષ પછી દેવળમાં જવાનું મેં છોડી દીધું. કેમ? એમાં કારણ એ જ કે રોજ પાદરી એકનું એક સંભળાવે, એકનું એક ગીત, એકનો એક રાગ, એકનો એક ટયુન, એમાં શું મઝા આવે ? એના કરતાં જયાં નવા નવા ગીત નવા નવા રાગ સાંભળવા મળે તો કેવું સારું? આ કારણે પિતાના મરી ગયા પછી દિવળમાં જવાનું છોડી દીધું હતું. પણ આજે ૨૫ વર્ષ વીત્યા બાદ ૪૫ વર્ષની ઉમરે ફરી. દેવળમાં જવા લાગ્યો. આમ થવાનું કારણ શું? જીવનમાં કયા કારણે પરિવર્તન આવ્યું? શું શરીરમાં રોગો થયાં હશે! કાં તો પત્ની અનુકૂળ નહીં હોય, હેડંબા જેવી પત્ની મળી હશે, છોકરા બરાબર નહીં હોય ! આબરૂને બટ્ટો લગાડે તેવા પાકયા હશે ! અથવા તો પૈસાટકાનો વાંધો હશે. આવાને આવા કોઈ લેશ-કંકાશના કારણે શાંતિ માટે ફરી દેવળમાં જવા માંડયો હશે !! ના, આમાંનું કોઈ કારણ ન હતું. તેનો સંસાર બધી રીતે, કહેવાતા સુખોથી ભરપૂર હતો. તો પછી ફરી ધર્મમાં જોડાયો તેમાં એવું તે શું કારણ બન્યું ? તેના જવાબમાં તેઓ કહે છે કે – હું એક માનસશાસ્ત્રનો ડોક્ટર છું. મને અભિમાન હતું કે મારા જેવો હોંશિયાર બીજો કોઈ નથી. હું જેવું નિદાન કરું છું તેવું કોઈ નિદાન કરતું નથી. હું જેવી સલાહ આપું છું તેવી સલાહ બીજો આપી શકતો નથી. હું લોકોના મનને પારખી શકું છું. તેમના પ્રોબ્લેમ શાંત કરું છું. એમના રોગ-માનસિક પીડાઓ દૂર કરી શકું છું. મારા જેવી બુદ્ધિ જગતમાં કોઈની પાસે નથી. એક વખત મારા ટેબલ ઉપર કોઈએ બાઈબલ મૂકેલું. મારે કંઈ કામ ન હતું, તેથી સહજ ભાવે તેનું એક પાનું વાંચ્યું, ને હું આશ્ચર્ય પામ્યો. પછી તો એક પછી એક પાનું ફેરવતો ગયો, ને વાંચતો ગયો તેમ તેમ આશ્ચર્યવિભોર બનતો ગયો. મારું અભિમાન તો ઓસરી જ ગયું. ઓહો !! હું જે કિંમતી સલાહ લોકોને આપું છું, તે તો ૨૦૦૦ વર્ષ પહેલાના આ પુસ્તકમાં લખેલી જ છે. હવે શા માટે ગર્વ કરવો? મેં લોકોને નવું કંઈ જ કહ્યું નથી. મેં જે કહ્યું છે તે બધું જ બાઇબલમાં ભરેલું જ છે. મારા હૃદયમાં, મારા મગજમાં છે તે કેટલાય વર્ષોથી મહાપુરુષોના હૃદયમાં બેઠેલું જ હતું, ને છે. મારા અભિમાનના તો ભાંગીને ભૂકા થઈ ગયા – જીવન જીવવા માટે જીવોને ધર્મ-ધર્મશાસ્ત્ર કેટલા બધા ઉપયોગી છે ! જગતમાં જેને સુખી થવું છે તેને ધર્મ જ માર્ગ બતાવે છે. હું કેવો હતભાગી ! એ જ ધર્મની ને ધર્મશાસ્ત્રની મેં ઉપેક્ષા કરી ? મને ખૂબ પસ્તાવો થયો. તે દિવસથી હું દેવળમાં નિયમિત જવા લાગ્યો. મારી શ્રદ્ધા ખૂબ વધી ગઈ. અને પછી તો એ બાઈબલના મુદ્દાઓ લઈને હું લેકચરો આપવા લાગ્યો. લોકો સાંભળવા ભેગા થતાં હતાં. માનસચિકિત્સાથી રોગમુક્તિ આ પુસ્તકમાં તેમણે સ્ત્રી પતિને અપ્રિય બની હતી તે કઈ રીતે પ્રિય બની તે વાત લખી છે. એકબાઈ એક વખત મારી પાસે આવી. તે કહે ડોક્ટર! જૂઓને! હું મારા પતિની ૨૪ કલાક સેવા કરું છું. તેમને કંઈ પણ ઓછું ન પડે તેની સતત કાળજી રાખું છું, છતાં મારા પતિને હું ગમતી નથી. મારી સાથે બોલતાં નથી. બીજા-ત્રીજા બધાની સાથે પ્રેમથી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy