SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ બોલે, વાતો કરે, બહાર જાય, ફરવા જાય. બધું જ કરે. ફક્ત મારી સાથે જ નહીં. આનો કોઈ ઉપાય બતાવો ને ? ડૉક્ટરે બાઈને ઉલટ-સુલટ પ્રશ્નો પૂછયા કે તમારા બેમાં પહેલું કોણ ઉઠે છે ? હાવાનું પાણી તમે કરી દો છો કે તે હાથે કરે છે ? ચા વિગેરે તમે બનાવો છે કે તે જાતે બનાવે છે ? કપડાને ઇસ્ત્રી તમે કરો છો કે તે જાતે કરે છે ? અને આ બધું કામ તમારા પતિ કહે પછી કરો છો કે પહેલાં જ બધું તૈયાર કરી દ્યો છો? તમારા પતિ કહે ત્યારે તમે શું જવાબ આપો છો અને તમે કહો ત્યારે તે શું જવાબ આપે છે ? આ બધું પૂછ-પરછ કરતાં ડોક્ટરે જોયું કે બાઈ બધું બરાબર કરતી હતી, પણ જ્યારે તેના પતિની કંઈ ભૂલ થાય ત્યારે કહી દે કે સ્વામિનાથ ! આ તો હું છું તો સહન કરું છું. તમારું બધું નભાવી લઈ છું. મારી જગ્યાએ બીજી સ્ત્રી હોત તો તમને ખબર પડી જાતી ક્યારનીય તમને મૂકીને જતી રહી હોત. કેટલાય કકળાટ અને ભવાડા કર્યા હોત !! બસ, ડોક્ટરને ખ્યાલ આવી ગયો. પતિને ન ગમવાનું કારણ મળી ગયું. ડોક્ટરે સલાહ આપી કે ન ગમવાનું કારણ આ તમારી કર્કશ વાણી છે. હવે તમને ઉપાય બતાવું છું. તમે કરશો ને ? હા, હા, જરૂર કરીશ. ડૉક્ટર એનો પ્રતિપક્ષી ઉપાય બતાવે છે. જૂઓ જયારે તમારી ભૂલ થાય ત્યારે તમારે કહેવાનું કે સ્વામિનાથ! આ તો તમે છો તો મને રાખો છો. આ જગ્યાએ કોઈ બીજો પતિ મળ્યો હોત તો લાત મારીને મને કાઢી મૂકત. અને પતિની ભૂલ હોય ત્યારે એમ કહેવાનું કે આ કંઈ તમારી ભૂલ નથી. મારી ભૂલ છે. મેં ધ્યાન ન રાખ્યું. આ કપ તમે હાથમાં પકડ્યા પહેલાં મેં છોડી દીધો. માટે પડી ગયો, ફુટી ગયો. મારી ભૂલ છે. વિગેરે. એક મહિનો ઉપાય કરી જોજો, પછી મારી પાસે આવજો. બાઈને ઉપાય ગમી ગયો. એ તો પર દિવસમાં જ ડોક્ટર પાસે આવી અને અભિનંદન આપવા લાગી. ડોક્ટર સાહેબ! સરસ ઉપાય બતાવ્યો. હવે તો હું એમને એટલી બધી ગમું છું ને ! મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે. હરવાનું - ફરવાનું છોડીને ઘરમાં મારી સાથે ખૂબ પ્રેમથી રહે છે. - પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા અનુચિતના ત્યાગ દ્વારા, ઔચિત્યના પાલન દ્વારા કેટલું મોટું હાર્દ બતાવી રહ્યા છે, ધર્મ પામવો છે? તો તેણે ઔચિત્ય કર્તવ્યના પાલન સમયે જે કરવાનું હોય તે કરવું જ જોઈએ. આ દૃષ્ટિમાં “ર વાણવિશિયા સર્વત્રવ” અનુચિત બોલવાનું, અનુચિત પ્રવૃત્તિ કરવાનું, કોઈ પણ અનુચિત વર્ષ છે. અનુચિત કરવાથી સ્ત્ર અને પરનું અત્યાર સુધી ઘણું બગાડ્યું છે. અનુચિત બોલના ત્યાગથી બાઈનું જીવન સુધરી ગયું. ઔચિત્યના પાલનથી શુભભાવ પુષ્ટ થાય છે. ઉત્સાહ વધે છે. સ્વસ્થતા વધે છે. પ્રસન્નતા વધે છે. આવો આત્મા એકાંતમાં જઈને ધ્યાનની શ્રેણી પર ચઢે તો ધ્યાન લાગી શકે છે. જેને નિશ્ચય અને વ્યવહાર તાણા-વાણા-ની જેમ ગૂંથતા આવડે તે આગળ વધી જાય છે. ધ્યાન બે-ચાર કલાક કરી શકો છો. ચોવીસ કલાક તો ન કરી શકો. એવું મનોબળ નથી. કાયબળ તેવું નથી. તો શેષકાળમાં શું કરવું? પરોપકારના અવસરે નિઃસ્વાર્થ ભાવે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy