SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નથી. સમકિતને સંબંધ છે સમતા સાથે, સમકિતને ઉપશમભાવ સાથે સંબંધ છે. પણ સમકિતને કષાય સાથે લેશ પણ સંબંધ નથી. સમકિત આવ્યા પછી કષાય કરે, સમતા ગુમાવે તો સમકિત ચાલ્યું જાય છે “જ્ઞાન ધ્યાન તપ શીલ-સમ્યકત્વસહિતોપ્યહો !, તં નાખોતિગુણ સાધુર્ય પ્રાપ્નોતિ શાન્વિત:' જ્ઞાન ધ્યાન, તપ, સદાચાર અને સમ્યક્તથી યુક્ત એવો પણ આત્મા જે ગુણ પ્રાપ્ત કરી શકતો નથી તે સમતાથી યુક્ત આત્મા પામે છે સમતાવાળો વહેલો મોડો ગ્રન્થિભેદ કરશે. કષાયના ચાર ભેદ, સોળ ભેદ ને ચોસઠ ભેદ છે. જીવે હંમેશા મારો આત્મા આ કષાયોમાં, નવ નોકષાયોમાં ક્યારે ફસાય છે તેનું ચેકીંગ કરતાં રહેવાનું છે. કયા નિમિત્તો મને હેરાન કરે છે તેનું સતત ચેકીંગ કરતો રહે તેનાથી દૂર રહે, અને પરિણતિને સમતામય બનાવતો જાય, પોતાની શુદ્ધ પરિણતિને કષાયનો સ્પર્શ પણ કરવા ન દે, તે આત્મા સમકિત પામ્યો છે ને પામશે. અપૂર્વકરણ શું છે ? સજાતીય પ્રત્યે પરાકાષ્ઠાનો પ્રેમ સતત વહેતો રહે. વિજાતીય પ્રત્યે પરાકાષ્ઠાનો વૈરાગ્ય-પ્રવાહ સતત વહેતો રહે. એવો પૂર્વે કદી નહીં સ્પર્શેલો પરિણામ તેનું નામ અપૂર્વકરણ છે. અનંતકાળથી આજ સુધી જીવને સજાતીય સાથે પ્રેમ સ્પર્યો નથી. અને આજ સુધી વિજાતીય સાથે વેરાગ્ય પેદા થયો નથી. માટે ગ્રંથિભેદ થયો નથી. અપૂર્વકરણનો પરિણામ આવ્યો નથી. પર પદાર્થ સાથે આત્માનું attachment જેમ વધતું જશે, તેમ તેનું આકર્ષણ વધશે, તેમ તે સજાતીય પ્રત્યે ઉપેક્ષાવાળો બનશે. તો તે સાધક આત્માને ગ્રન્થિભેદમાં વિલંબ થશે જ. આ દૃષ્ટિમાં જીવને ધર્મનો આદર હોય છે. આત્મા, આત્માનું સ્વરૂપ, મોક્ષ અને તેના ઉપાયો પ્રત્યે આદર-પ્રેમ હોય છે. ઉચિત કાર્યોમાં કર્તવ્યનો ભંગ થતો નથી. ઉત્સાહથી કર્તવ્ય કરે છે. કર્તવ્ય ભૂલ્યા પછી ધર્મ છે જ નહીં. જ્ઞાનીએ બતાવેલો ધર્મ ઉચિત કર્તવ્ય સાથે સંકળાયેલો છે. ઉચિત કર્તવ્યના ભંગથી હૃદય નિષ્ફર બને છે. રાગાદિ પુષ્ટ બને છે, ઔચિત્યના, કર્તવ્યના પાલનથી જ હૃદય મુલાયમ બને છે. જેમ જેમ ઉચિત કાર્ય બજાવે તેમ તેમ અંતરમાં શુભભાવ વૃદ્ધિ પામતો જાય છે. આ મનુષ્ય જન્મમાં શુભભાવો, શુભ અધ્યવસાયો જ કરવા જેવા છે. ઉચિત કર્તવ્ય કેટલું મહાન છે ! આ બાબતમાં એક દષ્ટાંત છે. ધર્મમાં પુનરાગમન - અમેરિકામાં એક અંગ્રેજે પુસ્તક લખ્યું છે “Return to Religion' નામના પુસ્તકમાં એક બાઈની વાત લખી છે. કે તે સ્ત્રી ઉચિત બોલના ભંગમાં પોતાના પતિનો પ્રેમ ચૂકી છે. અને પછી જ્યારે ઉચિત બોલમાં આવી ત્યારે પતિનો પ્રેમ કેવો પામી છે. એ વાત જણાવતાં તે લેખક લખે છે. કે હું નાનો હતો ત્યારથી મારા પિતાની સાથે વીસ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy