SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી દૃષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ નહી, ૨૬૮ રૌદ્રધ્યાન ન કરવો જોઈએ. આપણા નિમિત્તે એક પણ આત્મા આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે તો આપણે ધર્મી નથી. એ જ આત્મા જ આયુષ્ય ન બાંધ્યું હોય અને ધર્મ ધ્યાનમાં ચઢી જાય.શુભ પરિણામમાં વૃદ્ધિ પામે તો ક્ષપકશ્રેણી માંડી સંસાર ટૂંકાવીને મોક્ષે પણ જાય. અને આપણે તેના આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં નિમિત્ત બન્યા અને તે સંખ્યાતકાળ અસંખ્યાતકાળ સંસારમાં રખડે તો નિમિત્ત બનનાર આપણને પાપ લાગે ખરું? જરૂર. માટે જ્ઞાનીઓ કહી રહ્યા છે કે તમારી ભૂલનો કોઈ આત્મા ભોગ ન બનવો જોઈએ. શ્રીમદ્ આ બાબતમાં અત્યંત સજાગ હતાં. તેઓ કહે છે કે – શ્રીમદ્ કોઈનું દુધ પી શકે છે, પણ લોહી નહીં. આ વાત ખૂબ વિચારવા જેવી છે. આત્મામાં ધર્મ કેટલો બધો પરિણામ પામ્યો છે. લોભ અને તૃષ્ણાનો કેટલો બધો ફાસ થયો હશે ! પૈસા કરતાં પરિણામ વધુ કિંમતી છે. આ કેવું જીવનમાં વણાયેલું હશે ! ધર્મ કરતાં કરતાં ધર્મનો આદર ન આવે તો આત્મા નીચે ઉતરી જાય છે. ધર્મનો આદર ન આવે અને અર્થનો, કામનો, દેહનો, ઈન્દ્રિયનો, પત્નીનો, પદાર્થનો આદર આવી ગયો તો ત્યાં પરિણામ બગડે છે. પરિણામ બગડ્યા એટલે બાજી ખલાસ. ધર્મનો આદર હોય તો આત્મા પુણ્યપ્રકૃતિ બાંધે છે. શુભાનુબંધ બાંધે છે. બંધ સમય ચિત્ત ચેતીએ રે, શ્યો ઉદયે સંતાપ” કર્મનો બંધ કરતાં વિચાર કરવાનો છે, ચેતવાનું છે. વિવેકી બનવાનું છે. પણ કર્મના ઉદય વખતે આત્માએ સમ રહેવાનું છે. બંધ વખતે જ વિવેકી બનવાનું છે. જેથી અશુભ કર્મબંધ થાય નહીં. પણ અનંતકાળથી અવિવેકીપણામાં બંધાઈ જ ગયેલા અશુભકર્મો ઉદયમાં આવે ત્યારે સમ રહેવાનું છે. હવે જીવે સમજવાનું છે કે કર્મના ઉદયને સમતાથી ભોગવી લે, તારા બાંધેલા જ ઉદયમાં આવ્યા છે. તેમાં સમ રહીશ, શાંત બનીશ, સમતાથી ભોગવી લઈશ તો બાંધેલા કર્મ નિર્જરી જશે ને નવા કર્મ નહીં બંધાય. તીર્થકરનો આત્મા નરકમાં જાય છે. ત્યારે આ જ વાત કહે છે, હે આત્માનું તેં જે કર્યું છે તેનું જ આ ફળ છે. હવે આ ભવમાં શાંત બની જા. લેશ માત્ર પરિણામ બગાડતો નહીં, ડાહ્યો બની જા. શાંત-પ્રશાંત-ઉપશાંત આ એક ભવમાં બની જા. તો આ ભવ પછી ભાવિ ઉજ્જવલ છે. પૂર્વ ભવની કરેલી ભૂલો માટે હવે આ એક જ ભવમાં શાંત થઈ જઈએ તો ઘણા કર્મ નીકળી જાય છે. પછી તો આત્મા વિવેકી બનવાનો છે. આખરે દુઃખ કેટલા વેઠવાના છે? શાંત બનીએ, સમભાવમાં રહેતાં શીખીએ તો પાંચ-સાત ભવ તો બહુ થઈ ગયા. સમરાદિત્યકેવલી ચરિત્રમાં ગુણસેનનો આત્મા સમ બની ગયો તો તેને છ ભવ સુધી સહન કરવું પડ્યું દરેક ભવમાં સમતા વૃદ્ધિ પામી છે. પછી પેલો ઉપસર્ગ કરે તો ય તે સફળ ન બને. નિષ્ફળ જાય છે. પુણ્ય એટલું બધું વધી ગયું છે. સમતા ને સમકિત એવી ચીજ છે તેને તમે સાચવો-રાખો તો રહે અને કાળજી ન રાખો તો ભાગી જાય છે. સમકિતને ટકાવવા માટે ખૂબ કાળજી રાખવાની છે. ચિંતામણી રત્ન જેવું, ચિંતામણી રત્નથી પણ અધિક એવું સમકિત સમતાના આશ્રય વિના ટકી શકતું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy