SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ પડાય? જેને શીખવું છે તે તો તળાવમાં જ પડે, તે બચી જાય છે. તે શીખી જાય છે. પણ સીધો દરિયામાં પડે તો બચે? જે આચારની ઉપેક્ષા કરે છે વ્યવહાર ધર્મ જીવનમાં પરિણામ પામ્યો નથી. તેને નિશ્ચય ધર્મ પરિણામ પામતો નથી. બીજી દષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ નહીં. આ દષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ થતી નથી. કેમ કે સર્વ પ્રવૃત્તિમાં, સર્વ કર્તવ્યમાં ધર્મનો જ આદર હોય છે. ભલે પ્રવૃત્તિ સંસારની હોય, પણ આદર ધર્મમાં છે. જે જીવને વૃત્તિ ધર્મની જ હોય, અંદરમાં ધર્મનો આદર આવ્યો હોય પછી તે સંસારની પ્રવૃત્તિ કરતો હોય, ઉચિત કર્તવ્યને કરતો હોય ત્યારે તેને કર્મબંધ અલ્પ થાય છે. ત્યારે તેને ઝાઝું નુકશાન થતું નથી. ધર્મ ઉચિત કર્તવ્યની સાથે સંકળાયેલો છે. જેને આત્મા, પરમાત્મા, મોક્ષ અને ધર્મમાં આદર છે, પ્રેમ છે, રાગ છે તે અવસરોચિત કાર્ય કરવાનું ચૂકે નહીં. અવસરોચિત કાર્ય કરવા સતત તૈયાર હોય છે. જ્યાં વૈરાગ્ય જવલંત ત્યાં ઔચિત્ય પાલનનો ભંગ નહી. શ્રીમદ્ રાજચન્દ્ર, ગૃહસ્થપણામાં હતા, ત્યારે મુંબઈમાં રહેતા હતા. ઝવેરી બજારમાં હીરાનો ધંધો કરતાં હતા. પૂર્વના ભવમાં આરાધના કરીને આવેલો આ જીવ છે. જન્મથી-નાનપણથી વૈરાગ્યવાસિત આત્મા છે. એકેક પગલું કેવી રીતે ભરવું તેનો ખ્યાલ હતો. વૈરાગ્ય તીવ્ર બનેલો હતો, છતાં કર્મના ઉદયે વેપારમાં જોડાવું પડે છે, લગ્નગ્રંથિથી જોડાય છે. આવો કર્મનો વિચિત્ર સ્વભાવ છે. તેઓ કર્મની વિચિત્રતા જાણે છે. એક વખત એક હીરાના વેપારી પાસેથી આટલા ભાવે, આટલા હીરા, આટલા સમયમાં આપવાના-લેવાના તેવું સહી કરીને, લેખિત નક્કી કર્યું છે. થોડા સમયમાં બજારમાં ભાવ ઉંચકાયા. બજારમાં તેજી આવી, પેલો વેપારી વિચારે છે કે જો આ લેખિત પ્રમાણે આપું તો મારા તો છાપરા-નળીયા નહીં રહે. શ્રીમદ્ પાસે જતાં તે ખચકાય છે, જવાની હિંમત થતી નથી, ના પડાય તેવી સ્થિતિ નથી. આ અવસરે શ્રીમદ્ વિચારે છે કે – એનું શું થતું હશે? અત્યારે તે કેવા સંક્લેશમાં જીવતો હશે ? અંદરથી કેવો દુઃખી થતો હશે? શ્રીમદ્ પોતે સામેથી જાય છે. પેલો કહે હું આવી શક્યો નથી. શું તમે આપના હીરા લેવા આવ્યા છો ?સર્વસ્બિન્નેવ થાત્ અહીં લાગુ પડે છે. અહીં જોવા મળે છે. શ્રીમદ્ કહે હું હીરા લેવા માટે નથી આવ્યો. પણ કોલકરાર રદ કરવા આવ્યો છું. કોલ-કરાર કેન્સલ કરવા માટે આવ્યો છું ને તરત શ્રીમદે કાગળ ફાડી નાંખ્યો. રાત દિવસ, તમને સતત આર્તધ્યાન થતું હશે, બજાર તેજીમાં છે અંદરમાં તમારી શું સ્થિતિ હશે તે હું સમજી શકું છું. જે આત્મા સતત આર્તધ્યાનમાં રહે તે કેટલો નીચે ઉતરી જશે? અને કદાચ તે વખતે આયુષ્ય બાંધે તો કયું બાંધે? આવી વિચારણા કરતાં શ્રીમદ્ભ હયું વલોવાઈ જાય છે. ખરેખર ! આપણામાં ધર્મ વસ્યો હોય તો કોઈપણ આત્મા આપણા નિમિત્તે આર્તધ્યાન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy