SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી થવાના ચાર કારણો અતિ પરિચય મને અશુભમાં ખેંચી જશે માટે એ સાવધ રહે છે. પ્રભાતે ચાર ઘડી પહેલા ઊઠી જવું જોઈએ. મનુષ્ય જીવનનો એકેક સમય કિંમતી છે. તે પ્રમાદમાં ન જાય તેનો ખ્યાલ બીજી દષ્ટિમાં છે. આ ઔચિત્ય તમારા ખ્યાલમાં છે? સુખી થવાના ચાર કારણો આ દૃષ્ટિમાં રહેલો આત્મા કેવી કેવી વિશેષતા ધરાવે છે તે જણાવે છે. આ બીજી દષ્ટિનો બોધ-પ્રકાશ છે. અહીં જીવને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી પરલોકમાં સદ્ગતિ જ મળશે. દુર્ગતિ તો નથી જ, તેનો ખ્યાલ આવે છે. કદાચ મૃત્યુ વખતે બેભાન અવસ્થા આવે તો પણ જીવનમાં સારું છુંચ્યું છે. ખોટું કર્યું નથી. પ્રવૃત્તિ પણ સારી જ કરી છે, પાપો કર્યા નથી. નિષ્પાપ જીવન જીવ્યો છે તો તેને ભવનો ભય નથી. સારું જીવન જીવ્યાની એ સફળતા છે કે મૃત્યુ વખતે અંદરની શુદ્ધિ વધે છે. તે વખતે બહારના રોગો, બહારના સંયોગોબહારની પ્રતિકૂળતાઓ તેને ઝાઝી પીડા કરી શકતી નથી, તેને અસર કરી શકતા નથી. કષાયો ઘટી જવાના કારણે મૃત્યુની પીડા વખતે જીવ મુંઝાતો નથી. ચિંતા, વ્યાકુળતા, હાયવોય એને હોતા નથી. એટલે મરતા સમાધિ રહે છે. વેદના હોવા છતાં ખોટું કર્યું નથી તેથી મને મૃત્યુનો ભય નથી.. આ લોકમાં, પરલોકમાં, ભવોભવમાં સુખી થવું હોય તો શું કરવું? સુખી થવાના ચાર કારણો :(૧) માંદા પડે તેવું ખાવું જોઈએ નહીં. (૨) પાપ કરવું પડે તેવું કમાવું નહીં. પાપ કરવાથી અધિક પૈસા મળતાં હોય તો ય ન જોઈએ. હિંસક ધંધાથી લખલૂંટ કમાણી હોય પણ પાપનો ભય હોવાના કારણે તે ચીજોને છોડી દે છે. તેને લાત મારે છે. (૩) દેવું થાય તેવો ખર્ચ ન કરવો. આવક અનુસારે ખર્ચ કરે છે. ૫૦ હજારની કમાણી હોય અને લાખનો ખર્ચ ન રાખે. (૪) સંઘર્ષ થાય તેવું બોલવું ન જોઈએ. જીવન શ્રેષ્ઠ બન્યું હોય તો મૃત્યુનો ભય નીકળી જાય ને ! જીવન જો સારૂં જીવે તો આત્મા કેવો બને છે તેની વાત અહીં કરે છે. આ દષ્ટિનો બોધ-પ્રકાશ એવો હોય છે તેને અશુભ પ્રવૃત્તિ ગમે જ નહીં. પાપ પ્રવૃત્તિ કરવામાં દુર્ગતિ દેખાય છે. જીવનમાં આગળ વધવા માટે પાપ પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ. આજના કાળે ધર્મ કરનારા ઘણા હોય પણ પાપ પ્રવૃત્તિ જો ઘટાડતા ન હોય તો ધર્મ આવ્યો કહેવાય? પાપ પ્રવૃત્તિ કરવાથી અંદરમાં પાપની વૃત્તિ ઊંડે ઊંડે પણ પોષાય છે. જેનાથી ચિત્ત સંક્લેશમય બની જાય છે. એને કઈ રીતે ધર્મ કહેવાય? નિશ્ચય અને વ્યવહાર આપણો વ્યવહાર ધર્મ નિશ્ચય તરફ કેમ લઈ નથી જતો? વ્યવહાર ધર્મ માત્ર વ્યવહારના સ્થાનમાં જ છે. જે નિશ્ચય તરફ લઈ ન જાય તો તેને વ્યવહાર ધર્મ પણ કેમ કહી શકાય? દયાદાન વિગેરે ધર્મ મૈત્રી, કરૂણા, વાત્સલ્યથી ભરપુર હોય અને એનું અણિશુદ્ધ પાલન હોય તો તે વ્યવહાર ધર્મ નિશ્ચય તરફ લઈ જાય છે ને સાચો નિશ્ચય આવે છે. વ્યવહાર ધર્મ એ તળાવ છે. નિશ્ચય એ દરિયો છે, જેને તરતાં શીખવું હોય તો પહેલા તળાવમાં પડાય કે દરિયામાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy