SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઓળખાય નહીં તે દષ્ટિરાગના વમળમાંથી છૂટે નહીં. આજે બહુલતાએ ઉપદેશકો બીજી ત્રીજી વાતો માંડે છે. તેના કેટલામે અંશે આત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ બતાવે છે? મોક્ષનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તત્ત્વ ક્યાંથી સમજી શકાય? તત્ત્વનો આગ્રહ રાખો. બીજી ચીજનો આગ્રહ રાખવો એ બરાબર નથી. તત્ત્વ શું છે? નવતત્ત્વમાં બતાવી દીધું છે. સંવર નિર્જરા મોક્ષ એ તત્ત્વ છે. પુણ્ય, પાપ, બંધ એ અતત્ત્વ સ્વરૂપ છે. છોડવા યોગ્ય છે. સંવર, નિર્જરા, મોક્ષને, તત્ત્વને સમજી લ્યો. તેમાં આગળ વધો. આત્મા અશુભ ભાવમાં ચઢે એ મહાઅતત્ત્વ છે. મારું સાધન અને સંવર-નિર્જરા મોક્ષ તરફ લઈ જાય છે કે નહિ ? તે જ જોવાનું છે પણ જો તે સાધનો આશ્રવ, બંધ તરફ લઈ જાય, અને છતાં એમાં જ ધર્મ માનતા હોઈએ તો તે દષ્ટિરાગ છે. સાધનોનો આગ્રહ એવો ન હોવો જોઈએ કે જે બીજા સાધનોની નીંદા કરાવે. મેં જે સાધનો પકડ્યા તે બીજા બધાએ પકડવા જ જોઈએ અને જેઓ એ ન પકડે તેને ગમે તેવા શબ્દો કહેવા તે દષ્ટિરાગ છે. સાધનમાંથી સાધના કરતાં ન આવડે અને સાધન દ્વારા સાધન જ નવા નવા નીકળે તો આપણે ખોટા છીએ. સાધનમાંથી સાધન નીકળે ત્યાં આશ્રવ, બંધ સિવાય કંઈ ન હોય. આ બીજી દૃષ્ટિમાં જીવને અંતરમાં ધર્મનો આદર છે, સંસારની પ્રવૃત્તિનો જરાય આદર નથી. સંસારની પ્રવૃત્તિ સમજીને કરે છે. ઔચિત્યનું પાલન કરે છે ત્યાં તેને કોઈ નુકશાન થતું નથી. આ દૃષ્ટિમાં આવેલો આત્મા અજાણતા પણ અનુચિત ક્રિયા નથી કરતો. અત્યંત અનુચિત ક્રિયા તો ન જ કરે. પણ સામાન્ય અનુચિત ક્રિયા પણ અજાણપણે પણ ન કરે. કોઈના પ્રાણ જાય તેવી, પંચેન્દ્રિય જીવોનો વધ થાય તેવી, કોઈના મર્મસ્થાન પર ઘા થાય તેવી, વિશ્વાસઘાત થાય તેવી, કોઈની વસ્તુ આંચકી લેવી એવી અનુચિત ક્રિયા ન કરે. સામાન્ય અનુચિત કુતુહલ, મશ્કરી, પણ બહુલતાએ ન કરે. ઉચિત કાર્યનો ભંગ કરતો નથી. સર્વત્ર ધર્મનો આદર હોય છે. એટલે અજાણતા પણ અનુચિત પ્રવૃત્તિ તેના જીવનમાં હોતી નથી. જીવ અતિ સાવધ બન્યો છે. યોગ પામવાની ઈચ્છા છે. જિજ્ઞાસા છે, યોગી પ્રત્યે આદર છે, સેવાભક્તિ છે. એ સેવા-ભક્તિ હું કરું, હું કરું એવી ભાવના સતત હોય છે. તેમાં જ આગળ વધે છે. તો તેની દુર્ગતિ કઈ રીતે થાય? પહેલી દષ્ટિ કરતાં બીજી દૃષ્ટિના ઔચિત્યપાલનમાં વિશેષતા પહેલી દષ્ટિમાં સહજમલના હૃાસ પછી ઔચિત્યનું પાલન હતું. પણ ત્યાં જીવને એની બુદ્ધિપૂર્વકનું હતું. પોતાની સમજ પ્રમાણે હતું. કોઈને દુઃખ ન અપાય, કોઈને ત્રાસ ન અપાય, કોઈને હેરાન, પરેશાન ન કરાય. એવું સામાન્યથી હતું. આ બીજી દૃષ્ટિની અપેક્ષાએ એ ઔચિત્ય સ્થલ હતું. અહી આ દષ્ટિમાં જીવ આગળ વધ્યો છે - પ્રમાદ મારક છે. અપ્રમાદ તારક છે. બહુરસથી ખવાય નહીં, બહુરસથી ઊંઘાય નહીં. સંસાર મોહમાયાના કારણે છે અને મારી ધર્મારાધનાને ચૂકાવી દે, આત્મભાવનું વિસ્મરણ કરાવે એવો રસ મારે જોઈએ નહીં. આવું ઔચિત્ય અહીં આવે છે. પુદ્ગલનો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy