SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્રોપદ્રવની હાનિના દૃષ્ટાંતો ૨૬૪ કરે જ. સંસારની પ્રવૃત્તિ હોય કે ધર્મની પ્રવૃત્તિ હોય, અંદરમાં ધર્મ પ્રત્યે નિરંતર આદર બહુમાન હોય. એક તો સાધુ સેવા છે, ઉચિત આદર છે. ઉચિત કર્તવ્યનું પાલન છે. એની દુર્ગતિ જ ન થાય.એ ચૂકે તો દુર્ગતિમાં જાય. આ દૃષ્ટિમાં રહેલો જીવ દીકરા-દીકરીને પરણાવે ત્યારે લાડકોડ ઉમળકાથી પરણાવવાની પ્રવૃત્તિ ન કરે. અંદરમાં ધર્મ હોવાથી કર્તવ્યપાલન કરે છે કે આ દીકરો મનુષ્યભવ હારી ન જાય, તેનો ભવ બગડી ન જાય, સદાચારી બન્યો રહે, દુરાચારી - અનાચારી ન બને. અને ચારિત્ર લે તેમ નથી માટે દીકરાને પરણાવે છે. જૈન કુળમાં આ વિધિ હતી – બાપ દીકરાને સમજાવતાં કે બેટા! સંસાર માંડવા જેવો નથી. જેમાં પાપ સિવાય કંઇ જ નથી. આ સંસાર ઘણા પાપોથી ભરેલો છે, મારા જીવનમાં સંસાર માંડ્યા પછી ઘણા પાપો મેં કર્યા છે. સંસાર પાપનો અખાડો છે વિગેરે કહે. આવું ક્યાં સુધી કહે ? તો ફુલેકે ચઢે, લગ્નનો દિવસ આવે, વરઘોડો આવે, ત્યાં સુધી કહે. અને એકવખત એવો આવે કે દીકરો મૌન રહે એટલે બાપ સમજી જાય હવે લગ્ન કરવું પડે એવું કર્મ બળવાન છે, પછી પરણાવે. અમારા (સાધુના) ઉપદેશથી તમારા દીકરા ધર્મ નહીં પામી શકે પણ તમારા અનુભવો સાચી રીતે તમને કહેતા આવડશે તો એ પામી જશે. કોઈ દિ કોઈ બાપે પોતાના અનુભવો દીકરાને કહ્યાં છે ? કોઈ દિ કોઈ માતાએ એની દીકરીને કહ્યાં છે ? એ કર્તવ્ય એકલું સાધુનું જ નથી. તમે કંઈ કહો જ નહી અને અમે ગમે તેટલું કહીએ તો શું થાય ? લગ્નગ્રન્થિ એટલે લગ્નથી જોડાયેલા સંબંધો. જે મોટામાં મોટો કાદવ કીચડ છે. જે એમાં ગયો તે ખૂઓ જ. એમાંથી નીકળે એ કોઈ વિરલા જ. તેમાં ગયેલા તમને કાદવ કીચડ દેખાતો જ નથી. ઘરનું એક રસોડું જ જૂઓ, એના સાધનો જૂઓ. તેમાં એકેન્દ્રિય જીવોનો સંહાર છે તે જુઓ, કેટલા પૃથ્વીકાય, અપુકાય, તેઉકાય, વાયુકાયના જીવોનાં થતાં સંહારને જૂઓ. એક રસોડું જ જૂઓ, તોય વૈરાગ્ય આવે. સંસારનું સ્વરૂપ નિરંતર વિચારો,-વિચારીને છોડવાનું છે અને આત્માનું સ્વરૂપ પકડવાનું છે. મોક્ષમાર્ગ ક્યારે આવે ? સંસારનું સ્વરૂપ જેમ જેમ વિચારો તેમ તેમ છુટતું જાય, ને ઉપયોગમાં આત્મ સ્વરૂપ પકડાતું જાય તો તેમાં બહાદૂરી છે. ઉપયોગમાં આત્માનું સ્વરૂપ પકડતાં ન આવડે તો રાગમાં ફસાઈ જવાના છો અને તે નાલેશી છે. જો જીવનમાં રાગનું ચણતર છે, દ્વેષનું ઘડતર છે, મોહનું નડતર છે, તો તેનું જીવન બદતર છે. કામરાગે અણનાધ્યા સાંઢ પર ઘસ્યો, સ્નેહ રાગની રાત્રે ભવપિંજર વસ્યો, દૃષ્ટિરાગ રૂચિ કાચ, પાચ સમકિત ગણું, આગમ રીતે ન નાથ નિરખું નિજપણું” (અનંત વીર્ય વિહરમાન જિન સ્તવન) પુદ્ગલનો અતિ પરિચય જ જીવને રખડાવે છે. મોહાંધ જીવો કામવાસનાની પાછળ અણનાથ્થા સાંઢની જેમ તૂટી પડ્યા છે, સ્નેહ રોગના કારણે સંસારમાં અનંતકાળથી ભવરૂપી પિંજરમાં જીવો પુરાયા છે, અને દષ્ટિરાગના કારણે કાચના ટુકડાને પાચ પન્ના સમજે છે એને જ સમક્તિ માને છે, “આગમ રીતે ન નાથ નીરખું નિજપણું” કદી આગમની દૃષ્ટિએ મેં મારા સ્વરૂપને જોવાનો પ્રયત્ન જ કર્યો નથી. આત્માને અને મોહના સ્વરૂપને જુદા પાડીને સમજવાનું છે. મોહનું સ્વરૂપ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy