SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઉતરી ગયો. જામનગરવાળા ગુલાબચંદભાઈનું કેન્સર નવકાર અને મૈત્રીભાવના આલંબનથી ગયું અને પછી ૨૦ વર્ષ સમાધિપૂર્વક જીવ્યા. પાણીને ઓપ આપવાથી તે અમૃત બની જાય છે. કલ્યાણ મંદિરની ૧૭મી ગાથામાં આ વાત કરી છે. પાનીયમધ્યકૃત....! ડૉ. સુરેશ ઝવેરી M.B.B.s. ભણ્યા પછી ઈંગ્લેન્ડ ભણવા ગયા. ત્યાં તેમણે ભયંકર રોગ થયો. હોસ્પીટલમાં કોઈ દાખલ ન કરે. લાગવગથી પ્રેસીડેન્ટનો ખાલી રૂમ મળ્યો. જોયું કે હવે નવકાર સિવાય કોઈ ઉદ્ધાર કરનાર નથી. શ્રદ્ધાનું તત્ત્વ વધી ગયું, બચી ગયા. આજે હિંસા નિવારણ સંઘના પ્રમુખ થઈને કેટલી હિંસા અટકાવી છે. આવા પ્રકારની ભક્તિ શિષ્ટપુરુષોને માન્ય છે. આથી ભક્તિ કરનાર જીવ ઉપર શિષ્ટપુરુષોને બહુમાન થાય છે. તમે કંઈપણ સારું કામ કરો તો એની અનુમોદના સાધુઓ પણ કરે. માર્ગાનુસારી ગુણની પણ અનુમોદના કરવાની છે. આ આત્મા મોક્ષમાર્ગે આગળ વધી રહ્યો છે. હવે પામી જવાનો છે. આચારોનું ચુસ્ત પાલન કરવાથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ શકે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મથી કેવળજ્ઞાન અટક્યું છે, એવું કહેવા કરતાં મોહનીયકર્મના ઉદયથી કેવળજ્ઞાન અટક્યું છે એવું કહેવું વધારે સારું છે. મોહનીય કર્મ ગયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. એટલે સાધકે જ્ઞાનપ્રાપ્તિ કરી તેને સાધન બનાવી મોહક્ષયમાં લાગી જવાનું છે. આ દષ્ટિમાં આવેલો જીવ હજી કેવો હોય છે તે કહે છે. भयंनातीव भवजं, कृत्यहानिर्न चोचिते ।। तथानाभोगतोप्युचैर्न चाप्यनुचितक्रिया ॥४५॥ આ દૃષ્ટિમાં રહેલા આત્માને હું ક્યાં જઈશ ? ભવાંતરમાં મારું શું થશે? મરીને દુર્ગતિમાં જઈશ? આવો ભય નથી હોતો. કારણકે ઘણી બધી અશુભ પ્રવૃત્તિ નીકળી ગઈ હોય છે. જીવનમાં શુભ પ્રવૃત્તિ હોવાથી ભવથી ઉત્પન થનારો અતિશય ભય હોતો નથી. પણ તેને સતત સાવધ કરે તેવો ભય તો હોય છે. જેમકે હું જાગૃતિ ચૂકીશ તો મને જ નુકશાન થશે. જો પ્રમાદી બન્યો અશુભભાવમાં પકડાઈ ગયો ને ચુક્યો તો કર્મ સત્તા ક્યાંય ઉથલાવી નાંખશે, દુર્ગતિમાં ફેંકી દેશે. આવી જાગૃતિ રખાવે તેવો ભય હોય છે. એટલે અહીં સદા સાવધાન રહે છે. હું આ દષ્ટિમા રહું, આ દષ્ટિના આચારોનું પાલન કરીશ તો મને દુર્ગતિનો ભય નથી. બીજા જીવોને સતાવે તેવો ભય, અજ્ઞાનતાના કારણે થતો ભય અહીં હોતો નથી. આપણને મૃત્યુ આવે તો સમાધિ જ ને?નિયમા સદ્ગતિ જ થશે? અને તે સદ્ગતિ એક વખત કે ભવોભવ સદ્ગતિ પ્રાપ્ત થશે? તમે કહી શકો છો કે હું દુર્ગતિમાં જવાનો જ નથી ? નિર્ન વોરા આ સુંદર વાત કરી છે. અહીં એની દૃષ્ટિમાં જે જે ઉચિત દેખાય તેમાં, કર્તવ્યના પાલનમાં હાનિ કદી ન કરે. જે ઉચિત દેખાય તે સર્વ કર્તવ્યનું પાલન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy