SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્રોપદ્રવની હાનિના દૃષ્ટાંતો ૨૬૨ શ્રીપાળનો કોઢ રોગ ગયો, કોના પ્રતાપે ? ચરિત્ર વાંચો છો. તેની વિશેષતાઓનો ખ્યાલ રાખતા જાવ. શ્રીપાળ પહેલે ગુણઠાણે છે. મયણા ચોથા ગુણઠાણે છે. મયણાના પ્રતાપે શ્રીપાળ ધર્મ પામ્યો છે. મયણામાં અવસરોચિત નિર્ણય લેવાનો વિવેક છે, મયણા ડાયનેમીક છે. તો શ્રીપાળ Static છે. શ્રીપાળમાં મયણાના નિર્ણયોને સરળ ભાવે સ્વીકારવાની જુતા છે. સંસારમાં બંને જણા સરખા બને તો સંસાર ન ચાલે. તમે ડાયનેમીક છો. તો તમારી પત્ની સ્ટેટીક છે. યુધિષ્ઠિર જુગારમાં હારી જાય છે. જંગલમાં જવાનો પ્રસંગ આવે છે. કાંટા કાંકરા વાગે છે. ત્યારે દ્રોપદીનું માથું ફાટે છે. કૌરવોએ જબરજસ અન્યાય કર્યો છે. તમારે બાર વર્ષ જંગલમાં રહેવાની સજા છે. ભીમ, અર્જુન વિગેરેને થોડી પ્રતિજ્ઞા છે? મોકલો ભીમને. ફરી યુદ્ધ કરીને રાજ્ય પાછું મેળવે. યુધિષ્ઠિર કહે છે ધર્મ એ મારી પ્રતિજ્ઞા છે. આપેલું વચન પૂરું ન થાય ત્યાં સુધી કશું કરી ન શકાય. યુધિષ્ઠિર કહે છે કે તું મને ગુસ્સે કરવાના ગમે તેટલા પ્રયત્ન કરીશ તો પણ ક્ષમા મારો ધર્મ છે. સ્ત્રી ડાયનેમિક બને તો પુરુષે સ્ટેટિક બનવું પડે અને બંને જણ ડાયનેમિક બને છે ત્યારે સંસાર ક્લેશમય બને છે. જેનામાં બુદ્ધિ હોય તેને અનુસરીને કામ કરનારો ડાહ્યો કહેવાય છે. મયણાએ જે કહ્યું તેનો શ્રીપાળે સ્વીકાર ન કર્યો હોય તેવી એક વાત બતાવો. જુતા પણ કેવી છે. ? શ્રીપાળ પહેલે ગુણઠાણે છે પણ કેટલી પાપભીરુતા, સરળતા, ગુણવત્તા છે. બાપ પરણાવવા તૈયાર થાય છે. કોઢીયો ઉંબરાણો. (ભવિષ્યનો શ્રીપાળ)રાજાને ના પાડે છે. મને આ ઉચિત લાગતું નથી. કન્યા માટે હું લાયક નથી, આવું કોણ બોલે ? શ્રીપાળની અહીં ત્યાગની પરાકાષ્ઠા છે. આ એનો ભવ્ય ત્યાગ છે. તમે થર્ડક્લાસ હો અને ઉંચામાં ઉચું પાત્ર મળે તો તમે છોડી દો ? કોઢીયાની લગ્નવિધિ થઈ ગઈ. પરણીને રાત્રે ધર્મશાળામાં બંને ભેગા થાય છે. શ્રીપાળ કહે હજી કંઈ બગડ્યું નથી. બીજા સુયોગ્ય સારા વરને પરણી જીવન સફળ કર. લગ્ન પછી પણ હૈયાથી તેણે મયણાના સુખ માટે તેનો અસ્વીકાર કરેલો હતો તેથી સમજાવે છે. અંતે મયણા રડે છે એટલે તેના દુઃખના નિવારણ માટે તેનો સ્વીકાર કરે છે. કેવી સાત્વિકતા !! યોગ્યતા કરતાં વધારે મળે તો જોઈતું નથી ! આ ઓછી પાત્રતા છે? નવપદની આરાધના કરી બ્રહ્મચર્ય પાળ્યું તો કોઢ ગયો. વિવેકીના, શાણાના વચન ઉપર વિશ્વાસ મુકીને ચાલવાથી ઘણો લાભ થાય છે. શ્રીપાળનું આખું જીવન શ્રદ્ધાથી ભરપૂર છે. તેમાં જે લાભ થયો છે તે કેવળ બુદ્ધિના જોર ઉપર ચાલતા ન થાત ! જીવનમાં જે બુદ્ધિના એકાંત જોર ઉપર ઝોક આપે છે તે થાપ ખાય છે. તમે જ્યારે જીવનમાં પછડાટ ખાધી હોય ત્યારે એનું કારણ તપાસી લો. શાણાવિવેકીની સલાહ લેવાથી મોહનીય કર્મનો એવો સુંદર ક્ષયોપશમ થાય છે, કે અવસરે એને સલાહ ન મળે તો પણ પોતાને વિવેક પ્રાપ્ત થાય છે. તેના બળે તે બીજાને પણ સલાહ આપી શકે છે. જગતમાં શ્રદ્ધા શુ કામ નથી કરતી ? એ જ પ્રશ્ન છે ? - મંત્રીશ્વર પેથડશા એ માત્ર બત્રીસ વર્ષની યૌવન વયે બ્રહ્મચર્યવ્રત લીધું. તેનાથી આંતરિક વિશુદ્ધિ એવી થઈ કે પોતાની ઓઢેલી શાલ રાજાની રાણીને ઓઢવા આપી તો તાવ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy