SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગયો છે. જેને આત્મા ગમ્યો તેને કોઈનું ખંડન કરવું ન ગમે. જેનામાં વ્યવહાર ધર્મ વણાઈ ગયો છે તેને નિશ્ચય આપવો જોઈએ અને એને નિશ્ચય ન આપે તો દોષ છે. યોગ્યતા આવી છે તો યોગ્યને આપવું જોઈએ. પણ જેનામાં આચારનું પાલન નથી, ત્યાગ નથી, સંયમ નથી, બ્રહ્મચર્યની વાડો પાળતા નથી, તેવા બાલ અજ્ઞાની જીવને નિશ્ચયની દેશના આપવી તે અસ્થાન દેશના છે. ષોડશકમાં કહ્યું છે કે વાત ભલે સાચી હોય, સારી હોય, પણ અસ્થાને કહીએ તો તે ખોટી છે. સાચી વાત સ્થાને કહીએ તો તે સારી છે. લગ્નના ગીત લગ્નમાં ગાઈએ તો સારા પણ કોઈ મરી ગયું હોય ત્યારે ન જ ગવાય. વળી આ દષ્ટિમા લાભાન્તર ફળ પ્રાપ્ત થાય છે. તથા યોગીઓની ભક્તિ-આદરબહુમાનથી હિતોદય થાય છે. ઉત્તરોત્તર હિત જ પ્રાપ્ત થયા કરે. દુર્ગતિ તો દૂર જ ભાગી જાય. નિરંતર સદ્ગતિ થાય, મનુષ્યગતિ, દેવગતિ, મનુષ્યગતિ દેવગતિ પ્રાપ્ત થાય. આ હિતોદય છે. ક્ષદ્રોપદ્રવની હાનિના દષ્ટાંતો આ દષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે તોપદ્રવાનિ:' થાય છે. આ જગતમાં ધર્મ પ્રાપ્ત થાય છે તેના શુદ્ર ઉપદ્રવ નાશ પામે છે. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં સવાસો યોજન સુધી મારી, મરકી, રોગ, ઉપદ્રવ વિગેરે નાશ પામે છે. કારણકે પરમાત્મા પરાકાષ્ઠાની વિશુદ્ધિ પામેલા છે. પુણ્યનો પ્રકર્ષ છે. તેમના સાનિધ્યમાં રોગાદિ દબાઈ જાય છે. પરમાત્માના હવણજળથી શ્રીપાળનો કોઢ રોગ ગયો. શંખેશ્વર પાર્શ્વનાથના હવણ જળથી યાદવોની જરા દૂર થઈ. વાગડ દેશમાં જિતવિજયજી દાદા થઈ ગયા. તેમને વચન સિદ્ધિ હતી. તેમની પાટ પરંપરામાં કનકસૂરિ, દેવેન્દ્રસૂરિ, કલાપૂર્ણસૂરિ થયા છે. તેમને વંદન કરવા એક લંગડો માણસ ઉપાશ્રયમાં આવ્યો. તેને કહે લાકડી મૂકી દે. પગે ચલાતું નથી. પણ હું કહું છું કે લાકડી મુકી દે. અને લાકડી મૂકી દીધી અને તે ચાલતો થઈ ગયો. આ ૫૦-૬૦ વર્ષ પહેલાની વાત છે. મહાપુરૂષો અંદરથી વિશુદ્ધિ પ્રાપ્ત કરનારા હોય છે, અને તેને પ્રભાવે જ્યાં જ્યાં જાય ત્યાં સુદ્રોપદ્રવ ચાલ્યા જાય છે. વર્તમાનમાં આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય યશોદેવસૂરિ થઈ ગયા. તેમણે ૩૬ ક્રોડ નવકારનો જાપ કરેલો. ઘણી શક્તિ હતી. શાસનને જરૂર પડયે ક્યારેક તેનો ઉપયોગ કરે. અમલનેરમાં વરઘોડો હતો. ધોધમાર વરસાદ પડે તેમ છે. વરઘોડો નીકળી શકવાની શક્યતા દેખાતી નથી. પણ આચાર્ય મ.સા. ના આશીષથી વરઘોડો ઉતરી ગયા પછી વરસાદ આવ્યો. એકવાર જમણવારનો પ્રસંગ હતો. માણસ ધાર્યા કરતા ડબલ થઈ ગયું હતું. માણસોએ આચાર્યદેવને વાત કરી તેમણે મંત્રીને કપડું આપ્યું ને કહ્યું કે મીઠાઈ અને ભાત ઉપર ઢાંકી દો. ખુલ્લું નહી કરવાનું. બધાએ જમી લીધું. કાંઈ ખુટયું નહીં. અંદરની દષ્ટિ ખુલી જાય છે, અંદરની શુદ્ધિ વધી જાય છે. અને યોગસિદ્ધિ પેદા થાય છે ત્યારે તેના સાનિધ્યમાં શુદ્રોપદ્રવની હાનિ થાય છે. અને તેના કારણે વ્યાધિ વિગેરેનો નાશ થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy