SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું પ્રત્યક્ષ ફળ ૨૬૦ હોય છે. જે આત્મા, આત્માના ઘરમાં રહે તેને પર પદાર્થ શું દુઃખ આપે? અને પર પદાર્થ શું સુખ આપી શકે? સાચા સુખને પામવા માટે વિષયના ત્યાગના બળે આગળ વધવું જોઈએ. આત્મા, આત્મસ્વરૂપમાં જેમ જેમ રહે તેમ તેમ સાચું સુખ પ્રાપ્ત થાય છે. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ સુખ પ્રાપ્ત થાય છે. સંસારના પદાર્થોની અસર જેમ જેમ ઘટે તેમ તેમ ભૌતિક સુખ અને દુઃખ ઓછા થાય છે, ઘટે છે. દેવલોકમાં જાવ અને ત્યાં સુખ ન અનુભવાય એ તમને ગમે? નારકીમાં જાવ અને ત્યાં દુઃખ ન અનુભવાય એ તો ગમશે. પણ દેવલોકના સુખ ન અનુભવાય તે ફાવશે નહી. સિંહ અણગાર પ્રભુના કહેવાથી કોળાપાક લેવા માટે રેવતી શ્રાવિકાને ત્યાં જાય છે. પધારો! પધારો! હું કોળાપાક માટે આવ્યો છું. હા, મારે ત્યાં તૈયાર જ છે. પણ એમ નહીં. પણ તમારા ઘરમાં જે તમારા માટે બનાવેલો છે તે જોઈએ છે. ક્યાંથી ખબર પડી આપને? પ્રભુએ કહ્યું છે. રેવતી કોળાપાક વહોરાવે છે. વહોરાવવાની ક્રિયા કેટલી છે. બે-પાંચ મિનિટની ક્રિયા છે. પણ એ નાનકડી દેખાતી ક્રિયાથી એ આત્મા કેવો હિતોદય ઉભો કરે છે. આ ક્રિયામાં એવા ઉચ્ચભાવો કરે છે કે તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. આવતી ચોવિશીમાં તીર્થકર થઈને મોક્ષે જશે. માટે ભક્તિ ઉપાદેય છે. બહારના દ્રવ્યોની તાકાત છે, તે ભાવ પેદા કરી શકે છે. સાધન હાથમાં આવ્યું તેના દ્વારા ભાવોલ્લાસની વૃદ્ધિ ક્યાં સુધીની થાય છે? બે-ચાર મીનીટની ક્રિયાથી આવું તીર્થકર નામકર્મ બાંધીને આત્મા મોક્ષે જાય. અહીં ઓછા પ્રયત્ન ઘણું ફળ મળે છે. Minimum Efforts with Maximum Results આ અર્થશાસ્ત્ર (Economics)નો સિદ્ધાંત અહીંયા યથાર્થ ઘટે છે. બંનેને પરસ્પર સંબંધ છે. ભાવને નિશ્ચય સાથે સંબંધ છે, ક્રિયાને વ્યવહાર સાથે સંબંધ છે, વ્યવહાર કારણને પકડે છે, નિશ્ચય કાર્યને પકડે છે. જગતમાં જેઓ (કાનજી સ્વામી વિગેરે)ફક્ત ભાવ ભાવની જ વાતો કરે છે તે ભાવ એમનેમ નથી આવતો. જ્ઞાનીઓએ કહેલા આચારના પાલનથી ભાવ આવે છે. ક્રિયા ભાવને ખેંચી લાવે છે, ક્રિયાના બળ ઉપર ભાવ વૃદ્ધિ પામે છે. ક્રિયાના બળથી ભાવ ટકે છે. જેનામાં વ્યવહારના ઠેકાણા ન હોય તેની આગળ નિશ્ચયની વાતો ન કરાય, સમયસારની નિશ્ચયની વાત શ્રેષ્ઠ છે. પણ તેના પાત્ર કોણ? જેના જીવનમાં વ્યવહાર રગેરગમાં હોય, તાણાવાણાની જેમ વણાયેલો હોય તેની પાસે નિશ્ચયની વાતો કરવાની હોય. વ્યવહાર ધર્મ એ ઉપાશ્રય. દહેરાસર, પૂરતી વાત નથી. પણ ઉપાશ્રયથી ઘરે જાવ પછી પણ વ્યવહાર ધર્મની જરૂર છે. વ્યવહાર ધર્મ વ્યાપક છે, જીવનમાં ધર્મ વ્યાપક હોવો જોઈએ. એનું બેરોમીટર શું? જે ઈચ્છે તે જ બોલે, ગમે તેમ બોલાય નહીં. ગમે તેમ વર્તાય નહી, ગમે તેવી ચેષ્ટા ન કરાય. આવો વ્યવહાર ધર્મ આવે ત્યારે ખોટી નીંદા, ટીકા, ટીપ્પણ, ખંડન, ષ નીકળી જાય છે. જેને ખંડનનો બહુ રસ છે, છાશવારે ને છાશવારે ખંડન કરે છે તે ગમે તે રીતે વ્યવહારથી ઉથલી પડેલા છે. જો તેમને નિશ્ચય ગમે છે તો પારકાની પંચાત શું કામ કરે છે? પારકાની વાતને ખંડન કરીને ખાંડ ખાંડ શું કામ કરે છે? જેને નિશ્ચય ગમ્યો તેને આત્મા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy