SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ના બદલે “સવકમ્પપ્પણાસણો' લખત. આ શું બતાવે છે કે પાપ બુદ્ધિનો નાશ થયા પછી, પાપ પ્રવૃત્તિનો નાશ થયા પછી, જીવ સડસડાટ આગળ વધે છે કોઈ શેકનાર નથી. પાપબુદ્ધિ નિશ્ચયથી સંસાર છે. પાપ પ્રવૃત્તિ વ્યવહારથી સંસાર છે. એવા પુણ્યના સ્વામી બનવું જોઈએ કે જેનાથી આપણો હિતોદય સર્જાય. જે મળેલી સામગ્રીમાં તૃપ્ત થાય છે, જેને મળેલી સામગ્રીમાં ઘણું છે, એમ લાગે છે તે આત્મા હિતોદય સર્જી શકે છે. સંતોષી આત્માના અંગૂઠા નીચે કુબેરના ભંડાર ભરેલા છે. માનવ જગતના પદાર્થથી તૃપ્ત થઈ જાય છે ત્યારે અંદરની ચક્ષુ ખુલવા માંડે છે. જગતનું ધન તો માટીનું છે. ચક્રવર્તીનું ધન પણ ચાલ્યું જાય છે. ધર્મરાજાનું તૃપ્તિરૂપ ધન પરલોકમાં સાથે આવે છે. આત્મા હિતોદય પામે છે. ભક્તિમાં કેવો હિતોદય સાધી આપવાની તાકાત છે તેને હવે દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ગોશાળાએ તેજલેશ્યા પ્રભુ ઉપર છોડી છે. તે વખતે પ્રભુની પ૬ વર્ષની ઉમર હતી. કેવળજ્ઞાન પછીનો ઉપસર્ગ આ છે. ૬ મહીના લોહીના ઝાડા થયા છે. શરીર અતિ કૃશ થઈ ગયું છે. સિંહ અણગાર અને ભક્તો પ્રભુને ઔષધોપચાર કરવા વિનંતિ કરે છે. પ્રભુ કહે હજી સોળ વર્ષ બાકી છે. હું મરવાનો નથી. તમે ચિંતા ન કરો. પણ ના પ્રભુ !! આપ ઔષધોપચાર કરાવો. આપના શરીર સામું જોવાતું નથી. સિંહ અણગાર અતિ દુઃખી છે. પ્રભુનું દુઃખ જોઈ શકતા નથી. સિંહ અણગારનાં સાંત્વન માટે પ્રભુ તેમને રેવતી શ્રાવિકાને ત્યાં મોકલે છે. કોળાપાક વહોરીને લઈ આવો. પણ રેવતીએ એક મારા માટે બનાવ્યો છે અને બીજો પોતાના માટે બનાવ્યો છે. એને પોતાને માટે જે બનાવ્યો છે તે લાવજો. કેવળજ્ઞાનને પામેલા ભગવાન પણ વ્યવહારમાર્ગ કેટલો સાચવે છે. આધાકર્મી (મારામાટે બનાવેલો) નહીં લાવતા, શા માટે આમ? આધાકર્મી લીધું હોત તો શું સમ્યક્તવ જતું રહેવાનું હતું? કેવળજ્ઞાન ભાગી જવાનું હતું? ના, મોક્ષ અટકવાનો હતો ? છતાં પ્રભુ આચારમાર્ગમાં ચુસ્ત રહ્યા છે. રામકૃષ્ણ પરમહંસના ગુરૂને આત્મસાક્ષાત્કાર થઈ ગયો છે છતા તેઓ હજી પણ માળા ફેરવે છે. લોકો પૂછે છે કે હજી માળા કેમ ફેરવો છો? તો કહે છે કે પહેલા હું મારા (આત્મા) માટે માળા ફેરવતો હતો, હવે તમારા માટે ફેરવું છું. પરમાત્માએ જગતના જીવોને પ્રેરણા આપવા માટે આચારમાર્ગ, વ્યવહારમાર્ગ આચર્યો છે. પરમાત્માએ કે કોઈપણ કેવળીએ કેવળજ્ઞાન પામ્યા પછી ભુલ કરી હોય એવું એક પણ દૃષ્ટાંત બતાવો. નહીં મળે. તીર્થકર નામકર્મની નિકાચના કરે છે ત્યારથી પરમાત્માના આત્માઓ છઠ્ઠી દષ્ટિના માલિક હોય છે. મહાયોગી હોય છે, દેવલોકમાં જાય કે નરકમાં જાય કે ગર્ભમાં હોય તો પણ તેઓ મહાયોગી હોય છે. નરકમાં બીજા નારકીઓ કરતા દુઃખનું વેદન અલ્પ હોય છે. અલ્પ એટલે જેટલા અંશમાં મોહ તુટે ને આત્મા અંદરમાં રહે, પોતાના ઘરમાં રહેતો જાય તેટલા અંશે પરપદાર્થ નિમિત્તક દુઃખ પણ ઘટે છે. પરપદાર્થ નિમિત્તક સુખ પણ તે આત્માને ઘટે છે. દેવલોકમાં મિથ્યાત્વી દેવને પરપદાર્થ નિમિત્તક સુખ જેટલું હોય તેટલા સુખની અનુભૂતિ તીર્થકરનાં આત્માઓને ન હોય. છઠ્ઠી દષ્ટિવાળાને ઘણા બધા વિકલ્પ નીકળી ગયા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy