SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું પ્રત્યક્ષ ફળ ૨૫૮ હિતોદય છે. અને બહારની વસ્તુ-સામગ્રી આવી મળે તે લાભાન્તર રૂ૫ ફળ છે. શુદ્ધિ પણ જોઈએ અને પુણ્યનો ઉદય પણ જોઈએ. સંસ્કારયુક્ત પુણ્યનો ઉદય એટલે જ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કહેવાય. એ પુણ્યના ઉદયમાં આત્મા સંસ્કારી બને છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ આ બીજી દૃષ્ટિમાં રહેલો જીવ તત્ત્વની જિજ્ઞાસાના પ્રભાવે શું શું કરે છે. તે વાત પ.. હરિભદ્રસૂરિ મ.સા. જણાવી રહ્યા છે. શુદ્ધ આચારને પાળનારા યોગી મહાત્માઓની મન મૂકીને સેવા ભક્તિ કરે છે. જગતમાં આ યોગીઓ જીવોને તારી રહ્યા છે. મહાન ઉપકાર કરી રહ્યા છે, એવા ઉત્કટ ભાવથી ભક્તિ કરે છે, તે વખતે અશુભ કર્મનો નાશ થાય છે. અને સંસ્કાર યુકત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. તેના વિપાકોદય વખતે સંસારમાં ઉત્તમ પ્રકારનાં સુખો આવી મળે છે. ઘાતી કર્મો બળવાન છે. ઘાતીમાં મોહનીય બળવાન છે. અઘાતી કર્મોમાં આયુષ્ય કર્મ બળવાન છે. મોહનીય કર્મ એ ગાઢ મિલ છે. જેમ પેટમાં મલ થાય છે તો પેટ બગડે છે. ખોરાક પચતો નથી, માથું દુખે છે. બેચેની આવે છે. તેમ મોહનીયનો મલ ભેગો થાય ત્યારે મનબુદ્ધિ બગડી જાય છે. સંસાર સાગર તરવા માટે નિર્મળ મન-બુદ્ધિ એ સુકાન છે. અચરમાવર્તમાં મોહનીયના ભાવમલથી મન-બુદ્ધિ બગડેલા હોય છે. ચરમાવર્તિમાં ભાવમલનો હ્રાસ થવાથી મન અને બુદ્ધિમાં સુધારો થાય છે. શુધ્ધ આચારને પાળનારા યોગી મહાત્માઓના આદર, બહુમાન અને ભક્તિથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. યશ-કીર્તિ ફેલાય છે. શુભાનુબંધ સર્જાય છે. આ બધુ લાભાન્તર ફળ રૂપે સર્જાય છે. શ્રદ્ધાયુક્ત અતિશય શ્રદ્ધાયુક્ત ભક્તિ કહી છે. હૃદયના ઉછળતા ભાવો અને શ્રદ્ધાથી યુક્ત સેવા ભક્તિથી જ હિતોદય સાધ્ય છે. બુદ્ધિ અને શ્રદ્ધામાં શ્રદ્ધા ચઢે છે. બુદ્ધિનું પલ્લુ નીચે જ જાય છે. વ્યવહારમાં જીવ સુખેથી જીવતો હોય તો ત્યાં બુદ્ધિ કરતા શ્રદ્ધાથી જીવાય છે માટે શ્રદ્ધા વિના કોઈ ક્ષેત્રે ટકી ન શકો. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરો છો ત્યાં પાયામાં શ્રદ્ધા જ હોય છે. પછી જ્ઞાન વૃદ્ધિ પામે છે, જ્ઞાનવૃદ્ધિ પામવાથી શ્રદ્ધા વિકસતી જાય છે. ભક્તિ સેવા લુખી નથી કરવાની પણ શ્રદ્ધાના અતિશયથી યુક્ત કરવાની છે તેમ લખે છે. તેનાથી લાભાાર તો મળે છે પણ હિતોદય પણ થાય છે. આત્માની શુદ્ધિ ઉભી થાય છે. હિતોદય પણ એવો થાય છે, કે જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી શુભાનુબંધની ચેનલ ચાલુ થઈ જાય છે. શુદ્ધિ જોઈએ છે તેમ પુણ્યકર્મ પણ જરૂરી છે. ગમે તેવા બુદ્ધિમાનને, ગુણસંપન્નને પણ સંસારમાં જીવનની જરૂરી સામગ્રી ન મળે તો કંઈને કંઈ વિચાર આવ્યા કરે છે. કદાચ એ મનને વાળી લે, આપણે મનને વાળી લઈએ, સહન કરી લઈએ. પણ જેની જવાબદારી લઈને બેઠા છીએ તે બધા મનને વાળી શકતા નથી. પુણ્યની ખામી હોય તો સામગ્રીના અભાવમાં વિચારો સ્કૂલના કરે છે. પુણ્યાનુબંધી પુણ્ય એ વ્યવહારનયે મોક્ષમાર્ગ છે. એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય એની પાસે એવી જ પ્રવૃત્તિ કરાવે છે જેનાથી શુદ્ધિ વધતી જાય. વ્યવહાર કેટલો બધો માન્ય છે. ફક્ત નિશ્ચય જ માન્ય હોત, ખરેખર એ રીતે માર્ગ હોત તો ‘સવપાવપ્પણાસણો’ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy