SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ યોગદૃષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તે વખતે કયા પાપો ન ખપે ? ભીમો આનંદથી પુલકિત હૃદયે ઘરે જઈ રહ્યો છે. તેને પૂર્વના પાપોદયે પત્ની કુભારજા મળેલી છે. તેને બધા સમાચાર મળી ગયા છે કે ભીમાએ બધી મુડી ધર્મમાં ખર્ચી નાખી છે પણ તેનું પાપ ખપી ગયું છે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયું છે એટલે અપયશ, યશમાં ફરી જાય છે પેલી સ્ત્રી પતિને આવતા જૂએ છે એટલે સામે લેવા માટે ઘરમાંથી બહાર નીકળી છે. ભીમો વિચારે છે કે આ કજાત આજ સુધી ઘરમાં જ ઝઘડતી હતી. હવે બહાર આવી છે. શું શેરીમાં ઝઘડશે? ત્યાં જ ઉભી રહે તો સારું. ત્યાં તો હસતી હસતી કહે છે કે સ્વામીનાથ ! તમે બહુ સારૂં કર્યું, ધર્મમાં બધી મિલકત આપી દીધી તે સારું કર્યું. આપણે ઓછા ખર્ચે ચલાવીશું, જાત મહેનત કરીશું. આ પુણ્યથી સ્ત્રીના સ્વભાવમાં પણ ધરખમ સુધારો થઈ ગયો. કપર્દિ યક્ષને આની ચિંતા થઈ કે આ આત્માએ બધું જ આપી દીધું છે. ધર્મો રક્ષતિ રક્ષિત: અહીં લાગુ પડે છે. સાંજે તેની સ્ત્રી વાડામાં ગાય દોહવા માટે જાય છે ત્યાં ખીલો ઉખડી જાય છે. તે કહે છે - સ્વામિનાથ ! આ ખીલો ઠોકી દો – જ્યાં ઠોકવા જાય છે ત્યાં નીચેથી અવાજ આવે છે એક સોનાનો ચરૂ નીકળ્યો. તેમાંથી ૪૦૦૦ સોના મહોર નીકળી. ભીમો વિચારે છે કે જગતમાં લોકો સમજ્યા છે કે મેં બધું જ આપી દીધું છે. તો આ હવે મારાથી કેમ રખાય? અંદરમાં રહેલી આ નિર્લોભતા, નિસ્પૃહતા છે. શુભભાવ આત્માને નિર્લોભી ને સંતોષી બનાવે છે. ભીમો સજ્જન છે. તે ચરૂ લઈને વાગ્ભટ્ટની પાસે જાય છે. લ્યો, આ ચરૂ તમે લઈ લ્યો. પુણ્યના ઉદયથી મળેલી ચીજ રાખવા તૈયાર નથી. વાગ્ભટ્ટ કહે ના, તમારા પુણ્યથી મળ્યું છે. તમારે રાખવું પડશે. હા-ના ની ખેંચતાણ વધી પડી. છેવટે ત્યાં કપર્દિ યક્ષને આવવું પડ્યું. ભીમાને તે ચરૂ સોંપ્યો કેમ કે તેને અતિશય શ્રદ્ધાયુક્ત કરેલી ભક્તિથી લાભાન્તર રૂપ ફળ મળે છે. અને હિતોદય એટલે આત્માની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તુકારામને કજીયાખોર પત્ની મળી હતી. તે પ્રભુનો પાડ માને છે કે પ્રભુ તે સારું કર્યું છે કે કજીયાખોર પત્ની મળવાથી હવે મને પત્ની પર રાગ થતો નથી. અને તને હું પામી શક્યો છું. પરમાત્મા અંદરમાં જ છે, જે અંદરમાં જશે તેને પરમાત્મા મળશે. ને જે બહારમાં રહેશે તેને કષાય સિવાય કંઈ જ નહીં મળે. ધન્નાજીને પણ પાપના ઉદયે પરિસ્થિતિ બદલાય છે. પત્નીના કહેવાથી તેના પિયર જવા નીકળ્યો છે. રસ્તામાં ભાથું ખાવા બેસે છે. ત્યાં મહાત્માની અતિશય ભાવોલ્લાસથી ભક્તિ કરે છે. વહોરાવે છે. સાસરે ગયો. અપમાન થયું, કંઈ ન મળ્યું. રસ્તામાંથી પથરાઓની પોટલી ભરી. ઘરે ગયો. મહાત્માની ભક્તિના પુણ્ય પ્રભાવે બધા પથરા રત્નો બની ગયા. શ્રદ્ધાના અતિરેકથી કરાયેલી ભક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રકારના લાભને આપે છે. એટલા માત્રથી ભક્તિ અટકતી નથી. પણ હિતોદય કરનારી છે. ધ્યાન, સમાધિ, ગુણઠાણાની પ્રાપ્તિ થાય એ હિતોદય છે. ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ, મૈત્ર્યાદિ ભાવોની વૃદ્ધિ, આંતરિક પરિણતિની શુદ્ધિ, આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય એ હિતોદય છે. અંદરથી આત્મા શુદ્ધ થતો જાય, ઉપર ઉપરના ગુણઠાણાને પ્રાપ્ત કરતો જાય તે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy