SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨૫૬ સંઘ (તમે બધા) મને આદેશ (અનુજ્ઞા) આપો. યાત્રિકો કહે છે અમે એકલા કરી શકીએ એમ નથી. પણ અમારું કંઈક જરૂર સ્વીકારો, અમને પણ લાભ મળી શકે. વાગભટ્ટમાં બુદ્ધિ છે, સત્ત્વ છે, ગુણો છે, વિવેક છે, તે વિચારે છે કે એમના ભાવોને ઠુકરાવી ન શકાય. આ કેટલી હદયની વિશાળતા છે. આપણે આપણા પ્રસંગોમાં હૃદયને ક્યારે ક્યારે સંકુચિત કરીએ છીએ? તે જોવાનું છે. - તળેટીમાં લાખો માણસો ભેગા થયા છે. ટીપ ચાલુ થઈ છે. કોઈ કહે લાખ તો કોઈ કહે સવાલાખ, કોઈ પાંચ લાખ તો કોઈ પંદર લાખ લખાવે છે. તે વખતે ભીમો કુંડલીઓ આવે છે. ટીંબા નામનું ગામ છે. ત્યાં ભીમો રહે છે. ઘીનો વેપાર કરે છે. પાલીતાણાથી ઘી લાવે અને ગામડામાં વેચે છે. ૧ રૂપીયો ને ૭ દ્રમ મેળવે છે. પછી તે ગિરિરાજ ઉપર ચઢ્યો. પરમાત્માની ભક્તિ કરે છે. ફુલ લીધાં, ભાવથી ભક્તિ કરી.આનંદ આનંદ થયો. પછી નીચે ઉતરે છે, નીચે તળેટીમાં ભેગા થયેલા યાત્રિકોને જોયાં.બધા શત્રુંજયતીર્થની ભક્તિમાં પોતાનું દ્રવ્ય ખર્ચી રહ્યા છે. લાખ, બેલાખ, પાંચલાખ એમ ટીપ ચાલી રહી છે. ભીમો મનમાં વિચારી રહ્યો છે મારે પણ કંઈક આપવું છે. મન આપવા માટે તલપાપડ થઈ રહ્યું છે. સો છેલ્લે તે ઉભો છે. પહેરવેશમાં વિશેષતા નથી. કપડામાં ઠેકાણાં નથી. પણ ભાવ હૃદયમાં છે, વિવેક હૃદયમાં છે. જે છે તે હૃદયમાં છે. તેના મુખ ઉપર ભાવો તરવરે છે. મંત્રીની નજર તેના પર પડે છે. મંત્રીની આંખો તેના ભાવોને વાંચે છે. હાથની ઈશારતથી તેને આગળ આવવા કહે છે. ધંધા પાણી વિગેરે પૂછી લીધું. મંત્રીશ્વર ! મારે પણ કંઈક આપવાની ભાવના છે. આપ મારી અરજી સ્વીકારો. મારી પાસે કંઈ નથી. પણ, મંત્રી કહે : ભગવાનના શાસનમાં દરિદ્રી અને તવંગરનો ભેદ નથી. તમારે જે આપવું હોય તે આપી શકો છો. સાત જ દ્રમ હતા તે આપી દીધાં. ભલે આ સાત દ્રમ કહેવાય, પણ તેણે સર્વસ્વ આપી દીધું છે. વાભટ્ટ તેનું નામ પહેલું લખે છે. લોકો કહે ઉભા રહો, તેણે શું આપ્યું? વાભટ્ટ કહે છે એણે જે આપ્યું છે તે તમે અને મેં પણ નથી આપ્યું. એણે સર્વસ્વ આપી દીધું છે. સાંજની કે કાલની પણ ચિંતા કરી નથી. વાભટ્ટ તેનું નામ સૌથી પહેલું લખે છે. જે સ્થાનમાં, જે વ્યક્તિની કદર કરવાની હોય તે તમે ન કરો તો તમે વિવેક ચૂક્યા કહેવાશો. અંદરના ગુણોના પેજ સિવાય આવો નિર્ણય લઈ શકાતો નથી. અંદરમાં અહંકાર ભરેલો હોય, અહંકાર જેને સતાવતો હોય તે કઈ વખતે કયો નિર્ણય લેવો તેમાં ભૂલ કરી બેસે છે. હાથમાં ઓઘો હોવા છતાં પણ આત્માના વૈકાલિક સ્વરૂપને ભૂલી જવાથી જીવનમાં ઘણી ભૂલો થઈ જતી હોય છે. જેને વર્તમાન પર્યાયમાં વિશેષતા દેખાય છે તેને સૈકાલિક પર્યાય ભૂલાઈ જાય છે. તેને જ અહંકાર આવે છે કે હું મોટો, મારા જેવું કોઈ નથી. આવું જ્યારે અંદરથી થાય ત્યારે જાતને પૂછો - તું શેનાથી મોટો? શરીરથી, પૈસાથી, માંસના લોચાથી, ઊંચાઈથી કે જાડાઈથી? આત્માએ ગુણો પ્રાપ્ત કરવાના છે. અને ગુણોથી મોટા મહાન બનવાનું છે. ભીમાનો આનંદ વધી રહ્યો છે. તારક તત્ત્વોની ભક્તિ કર્યાનો આનંદ આનંદ થાય છે. તે વખતે કેવું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy