SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ હૃદયથી ભક્તિ કરે છે. એના ઉપર ઓવારેલું હૃદય, આવર્જિત થયેલું હૃદય તે શુદ્ધ હૃદય કહેવાય.એવી ભક્તિથી જે પુણ્ય બંધાય છે, અને તેનો વિપાકોદય જાગે ત્યારે આત્માને મહાન લાભ થાય છે. ઉત્કૃષ્ટ કોટિના પુણ્યોદયમાં ધરખમ ફેરફારો થાય છે. અશાતા શાતામાં ફરી જાય, અપયશ યશમાં, અનાદેય આદેયમાં, અસમાધિ સમાધિમાં ફેરવાઈ જાય છે. પહેલાં જે કોડીનો ગણાતો હોય તે રાજા-મહારાજા બની જાય છે. શુભાનુબંધ ઉભો થઈ જાય છે. એ પુણ્યના ઉદયમાં અણચિંત્યા લાભો પ્રાપ્ત થાય છે. ચંદનબાળાનો જ્યારે પાપોદય જાગ્યો ત્યારે રાજકુમારી લુંટાણી, ચૌટામાં વેચાણી, ધનાવહ શેઠને ત્યાં એની સ્ત્રી મૂળાએ ઈર્ષ્યાથી તેના માથે મુંડન કરાવ્યું, હાથ-પગમાં બેડી, ભોંયરામાં પુરી, ત્રણ દિવસના ચોવિહાર ઉપવાસ, નિરાધાર અવસ્થા. આ કેવો પાપનો ઉદય હતો? એમાંથી પુણય પ્રકર્ષ થયો. શુભ ભાવ કર્યા. પરમાત્મા પધાર્યા. પાંચ માસને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્માનું એના ઘરે આગમન, એ પહેલામાં પહેલો પુણયનો ઉદય, આવી નિરાધાર અવસ્થામાં, પોતાની પાસે કશું જ નથી એવી અવસ્થામાં પણ પોતાની પાસે જે હતું તે હર્ષોલ્લાસથી દાનમાં આપે છે. આ પુણ્ય અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવે છે. અતિ ઉગ્ર પુણ્ય, અતિ ઉગ્ર પાપ અહીં જ ફળ આપે છે. તત્કાલ ફળે છે. બધા તીર્થ- ક બાર મહિના પહેલા સુવર્ણ મુદ્રા વર્ષીદાનમાં આપે છે. પણ મલ્લિનાથ ભગવાને એવું દાન નથી આપ્યું. તેમણે આખા નગરનાં જ્યાં જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં આવીને જે આવે તે બધાને ૧૨ મહિના સુધી ભોજન આપ્યું છે. દીક્ષા લેતાં વર્ષીદાનમાં પૈસા જ ઉછાળવા એવું નથી. લોકોને પ્રીતિ થાય તેવું આપવું જોઈએ. ચોખાને બદલે હીરા-મોતી, સોનાચાંદીના સિક્કા પણ ઉછાળી શકાય છે. કોઈપણ રીતે બધાના હૃદયમાં આનંદ આનંદ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે દાન છે. ચંદનબાળાને પરમાત્મા પધાર્યા તે પુણ્યોદય ને સુપાત્રદાન આપ્યું તે પુણ્યોદય. પાપપ્રકૃતિ બધી પુણ્યમાં ફેરવાઈ ગઈ. દાનના પ્રભાવે માથા ઉપર વાળ થઈ ગયા. બેડીઓ તૂટી ગઈ, હાથમાં સુવર્ણ કંકણ થયા, પગમાં ઝાંઝર થયા. યશકીર્તિ ફેલાઈ ગઈ. પ્રશ્નઃ તો ભગવાન પાછા કેમ ફર્યા? આ એક ચાલી આવેલી વાતની પરંપરા છે. કિંવદત્તી છે. બાકી પરમાત્મા તેના આંગણે પધાર્યા, એ પ્રભુને જોતાં જ આંખોમાં હર્ષના આંસુ આવ્યાં છે અને પરમાત્માનો અભિગ્રહ પૂર્ણ થયો છે. જ્યારે આદર-બહુમાન પૂર્વકની ભક્તિ થાય છે ત્યારે કેવા કેવા પ્રકારના પુણ્યનો ઉદય થાય છે તે જ વાત અહીં જોવાની છે. વાભટ્ટ મંત્રીનું ઔચિત્ય વાભટ્ટ મંત્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવે છે. તેમાં તેના પિતાની પ્રેરણા છે. તેમના પિતાને ત્રણ ઈચ્છા હતી. (૧) શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવવો. (૨) ગીરનારના પગથીયાં કરાવવા અને (૩) શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કરાવવો. પિતાની આ ત્રણ વાતો ત્રણે છોકરાઓએ ઉપાડી લીધી છે. વાભટ્ટે શત્રુંજયનો સંઘ કાઢયો છે. સંઘમાં હજારોને લાખોની સંખ્યામાં યાત્રિકો છે. વાગભટ્ટ સંઘ સમક્ષ કહે છે કે શત્રુંજયનો ઉદ્ધાર માટે કરાવવો છે. શ્રી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy