SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨૫૪ કેમેરો વસ્તુનો સ્વીકાર કરે છે, અને સંગ્રહ પણ કરે છે. દર્પણ તો તમે ખસ્યા એટલે તમને કાઢી નાંખે છે. સારામાં કેમેરા જેવા બનવાનું છે. ખરાબમાં દર્પણ જેવા બનવાનું છે. સારી ચીજનો સંગ્રહ કરવાનો છે. અને ખરાબ ચીજને કાઢવાની છે. જે ચીજ ઉપયોગી નથી તેને કાઢો, તરત કાઢો. કોઈ ગાળો દે, ભુલી જાવ, કોઈ અપમાન કરે, ભુલી જાવ. આપણે બધા આજે આંખ સામે જે વસ્તુ આવે તેને અનુરૂપ ભાવો કરીએ છીએ. એટલે એનો ફોટો પડી જાય છે. પછી તેને અનુરૂપ ભાવો-કષાયો કરીએ છીએ. સંસાર આખો મન ઉપર ચાલે છે. સંસારમાં પ્રતિકૂળ પદાર્થો મળ્યા, પ્રતિકૂળ સંયોગો મળ્યા અને મન બગાડ્યું તો તે મન કાળું કર્યું. પ્રતિબિંબ કાળું પડ્યું કહેવાય, પ્રતિબિંબ જે કાળું ધોળું-- પીળું વિગેરે પડે છે તે બધા લેશ્યાના રંગો છે, તેનાથી આત્માને બચાવવાનો છે. કષાયનો ઉપશમ ત્યાં સુધી કરવાનો છે કે પદાર્થ આપણાં મનને કંઈ કરી ન શકે. કોઈ અસર ન કરે. પદાર્થ પદાર્થમાં રહે, જગત જગતમાં રહે અને આપણે આપણામાં રહીએ. બાહ્ય પદાર્થ આપણા મનને કંઈજ કરી ન શકે, આપણે આપણી સાધનામાં રહીએ. દરેક પ્રસંગોમાં ઉપશમભાવમાં રહીએ તો એ જ્ઞાતા-દષ્ટાભાવ આવ્યો કહેવાય. અનંતકાળથી કર્તા-ભોક્તા ભાવ અભ્યસ્ત જ છે. તમે પદાર્થને જોયા જ કરો તેટલા માત્રથી જ્ઞાતા-દષ્ટાભાવ લાવવો સહેલો નથી. જ્ઞાતા-દષ્ટાભાવ ફક્ત વાતોમાં જ રહેશે કષાયનો ઉપશમ થયા વગર જ્ઞાતાદષ્ટાભાવ આવતો નથી. સીધી નિચયની વાત ન કરાય, સીધો નિશ્ચય આવતો નથી. નિશ્ચય વ્યવહારથી આવે છે. વ્યવહારના સ્તર પર કષાયરસની હાનિ કરવાની છે. જેમણે ઘણા પુસ્તકો લખ્યા છે તે કૃષ્ણમૂર્તિનું આ સુત્ર હતું choiceless બનો, effortless બનો, awareness રાખો, (૧) પસંદગી શુન્ય બનો. (૨) પ્રયત્ન શુન્ય બનો. (૩) ખૂબ જાગૃતિ રાખો. જીવે આવા બનવાનું છે પણ આ બધું એમ સીધું આવતું નથી. માટે જૈન શાસન પહેલા વ્યવહાર ઉપર ભાર મૂકે છે. એના દ્વારા વ્યવહારના માધ્યમે તમે આવા બની શકશો. જીવ જ્યારે છઠ્ઠી દષ્ટિમાં આવે છે ત્યારે ભ્રમ નીકળી ગયો હોય છે. સંસારના પદાર્થોમાંથી રસ નીકળી ગયો હોય છે, અને ઉદાસીનભાવ હોય છે. પણ એ છઠ્ઠી દૃષ્ટિ છે. આત્માને પૂછો કે તું તો બીજી દૃષ્ટિમાં છે અને છઠ્ઠી દૃષ્ટિની વાતો કરે તો તેટલા માત્રથી પરિણામ નહીં આવે, બીજી દૃષ્ટિના ઠેકાણાં ન હોય ત્યાં છઠ્ઠીના પરિણામ નહીં આવે. સોમભટ્ટને અંબિકાના વાહનદેવ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. અંબિકાની પાસે શીલ, સદાચાર, ઔદાર્ય, સરલતા, દેવ-ગુરૂ ભક્તિ, આદર-બહુમાન વિગેરે ગુણો હતા. સોમભટ્ટ પાસે અજ્ઞાન, અવિવેક હતા, છેલ્લે પ્રશ્ચાતાપ રૂપે શુભભાવ થયો. છતા પશ્ચાત્તાપના કારણે દેવ થયો અવિવેક, અજ્ઞાનતાના કારણે સાચું ને સારું સ્થાન દેવલોકમાં ન મળ્યું. યોગિ ઉપર આદર-બહુમાન ભક્તિથી કેવા કેવા લાભોની પ્રાપ્તિ થાય છે. શુધ્ધ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy