SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ સંકલ્પ કરતાની સાથે જ સરોવર પાણીથી ભરપૂર બની ગયું આ તેના શીલનો પ્રભાવ. બાળકો ભૂખ લાગતા ખાવાનું માંગે છે ત્યારે તે જે વૃક્ષની નીચે બેઠી તે આંબો ફળ્યો. આંબા ઉપર કેરીઓ આવી છે. બાળકોને ફળ આપ્યા.બાળકોને શાંત કર્યા. બહુમાન-આદરપૂર્વકની ભક્તિ આ લોકમાં અને પરલોકમાં શું ફળ આપે છે તે જુઓ. જેવો અહીંયા જંગલમાં ચમત્કાર થયો તેમ તેના ઘરમાં પણ ચમત્કાર સર્જાયો તેના ઘરના રસોડામાં બધા વાસણો સોનાના થઈ ગયા. સાધુ મહાત્માને ભાત વહોરાવ્યાં હતા તે તપેલી મોતીથી ભરાઈ ગઈ. બીજી બધી રસોઈ પણ ભરચક બની ગઈ છે. સાસુ તો જોઈને જ દિંગ થઈ ગઈ. આ શું? આવો અદ્ભુત ચમત્કાર? પોતાના દીકરાને બુમ પાડે છે. અહીં આવ, અહીં આવ, જલ્દી આવ. આ ચમત્કાર તો તું જો. આ અંબિકાનો પ્રભાવ તો જો, આ બધા વાસણો સોનાના થઈ ગયા. બધી રસોઈ તો જો. અને આ મોતી તો તું જો. આહા! આપણે એને નથી કાઢી મૂકી. પણ આપણે ઘરમાંથી દેવીને કાઢી મૂકી છે. જા દીકરા, દોડ, જલ્દી જા, એને બોલાવી લાવ. જંગલમાં શોધવા નીકળ્યો. અંબિકા દૂરથી પોતાના પતિને આવતાં જુએ છે અરે! ઘરમાં તો શાંતિ ન મળી, અને અહીં પણ મને મારવા આવ્યો છે. એમ વિચારી તેણે બે બાળકોને લઈને બાજુના કૂવામાં પડતું મૂક્યું. તરત જ પ્રાણ નીકળી ગયા. સોમભટ્ટ જોયું તેને ખૂબ દુ:ખ થયું. પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ કરે છે. અતિશય કલ્પાંત કરે છે. મેં એને કેટલું દુઃખ આપ્યું. એક સતી સ્ત્રીને મેં ત્રાસ આપ્યો. હવે મારે જીવીને શું કામ છે ? તેણે પણ કૂવામાં પડતું મૂક્યું. અને તે પણ મરી ગયો. કષાયમાંથી ઉપશમભાવમાં આવ્યો છે. અંબિકાનું જીવન પવિત્ર હતું. તે સતી સ્ત્રી હતી. અતિશય શુભભાવ હતો. તે મરીને નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી (અંબિકા) બને છે. પરમાત્માનું સાનિધ્ય મળ્યું, પરમાત્માની સેવા મળી. સોમભટ્ટ પણ મરીને અંબિકા જ્યાં ગઈ છે ત્યાં ઉત્પન્ન થયો અને અંબિકાદેવીનો વાહન દેવ થયો. અંબિકાનું વાહન સિંહ છે. સિંહ રૂપે દેવ બન્યો. દેવમાં પણ સારું સ્થાન મળવું મુશ્કેલ છે. હાસા-પ્રહાસાના સ્વામી કુમારનંદીની શું સ્થિતિ થઈ છે? આભિયોગિક દેવ થયો છે. દેવલોકમાં પણ આવા દેવ થવું પડે છે. જેને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન અને ભક્તિ હોય તથા સતત ઉપશમભાવમાં જે રહે છે તેને પાપ પ્રકૃતિ બંધાય નહીં. અને ઊચ્ચ કોટિનું પુણ્ય બંધાય છે. સંસ્કારો ઊંચી કોટિના પડે છે. મૃત્યુ વખતે બધા સંસ્કારોનો સરવાળો થઈને, ગુણાકાર થઇને મરતી વખતે સમાધિ રહેશે. એક અંતર્મુહૂર્તમાં છએ વેશ્યા પરાવર્તમાન થાય છે. પરંતુ જે લેગ્યા વારંવાર ઘુંટી હશે, જે વેશ્યાને જીવનભર ઘુંટી હશે ને તેના દ્વારા આત્માને કાળો કે ધોળો બનાવ્યો હશે, તે જ વેશ્યા અંતે મૃત્યુ વખતે આવીને ઉભી રહે છે. કષાય અને વેશ્યાને ઘણો સંબંધ છે. કષાય આત્માને કાળો કરે છે. મનના પરિણામને મલિન કરે છે માટે કષાય કરવા જેવા નથી. આંખ સામે જેવા પદાર્થ આવે તેવા મનમાં આકાર પડે છે, ફોટો પડે છે. દર્પણ અને કેમેરામાં ફરક શું છે? દર્પણ વસ્તુનો માત્ર સ્વીકાર કરે છે, પણ સંગ્રહ કરતું નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy