SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨પર - - - ક્રોધ એ જ્ઞાનની વિકૃતિ છે. સોમભટ્ટ કષાયના રવાડે ચડ્યો છે. તે પત્નીને કહે છે કે તું ઘરમાં ન જોઈએ, આ ઘરમાંથી તું નીકળી જા. ગમે તેટલું નુકશાન થાય પણ જો કષાયથી ઘેરાશો, જો કષાય કરશો તો નુકશાન ઓછું નહીં થઈ જાય, અને ગમે તેવા નિમિત્તોમાં આત્માં ગુસ્સો નહીં કરે અને જો ઉપશાંત રહે તો કોઈ દિવ્યમાર્ગ મળી જાય છે. - નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા નેપોલિયન ફ્રાન્સનો મોટો સમ્રાટ થઈ ગયો. તે પહેલા ઠીંગુજી હતો, કદરૂપો હતો, કઠીયારો હતો. તેણે જીવનમાં સાહસિકતા કેળવી હતી. તેનો એક ગુણ ખૂબ ખીલેલો હતો. તે એ કે કદી પણ ભાવાવેશમાં આવતો ન હતો. સારા કે ખોટા નિમિત્તમાં કદી આવેશમાં આવવાનું જ નહીં. પ્રશસ્ત કષાય પણ બને ત્યાં સુધી કરવાનો નથી. ઉપશમભાવમાં જ રહેવાનું છે. નેપોલિયનને કદી ગુસ્સો આવતો ન હતો. એક રાત્રે તે નિઃશસ્ત્રપણે ફરવા નીકળ્યો છે. એક છાવણીમાં આવ્યો.તેમાં એક સૈનિક હતો તે કહે છે – નેપોલિયન! આ પસ્તોલ તારી રાહ જુએ છે. તો નેપોલિયનને ગુસ્સો નથી આવતો તેમ ભય પણ નથી લાગતો. બીજાને નિર્ભયતા આપવી એ શ્રેષ્ઠ છે. તેના કરતાં આપણી જાતને નિર્ભય બનાવવી તે વધુ શ્રેષ્ઠ છે. નિર્ભયતા વગર મોક્ષ નથી. નેપોલિયન પણ એટલી જ નિર્ભીકતાથી કહે છે. ઓ મેન શુટ મી!” એના અવાજમાં જે નિર્ભયતા હતી તે જોઈને પેલો તો ભાગી ગયો પણ નેપોલિયનના મનમાં તેના પ્રત્યે દુર્ભાવ ન થયો. તે વિચારે છે આ માણસ નિડર અને સાહસિક છે તેનો જે લાભ લેવાનો હોય તે લઈ લેવો જોઈએ. અને કોઈપણ વિચાર કર્યા વગર બીજા દિવસે પોતાનો અંગરક્ષક બનાવ્યો. અને આગળ જતાં એવો વિશ્વાસુ બની ગયો કે ઈજીપ્તની લડાઈમાં, કાવાદાવામાં તેણે પોતાના પ્રાણના ભોગે પણ નેપોલિયનને બચાવ્યો. કોઈની ભુલને ન જુઓ પણ તેની શક્તિનો કઈ રીતે સદુપયોગ કરી શકાય તે જ જુઓ. અને કદી ભાવાવેશમાં ન આવો તો ઘણા પાપોથી બચી શકાય છે. પ્રસન્નતા જીવનનો પર્યાય બનાવી દ્યો. ૨૪ કલાકની પ્રસન્નતા આપણા મુખ પર હોવી એ પરમાત્માની ભાવપૂજા છે. જેઓ ભાવાવેશને ટાળતાં શીખ્યા અને જેણે પ્રસન્નતા આત્મસાત કરી તે આગળ વધી ગયા. તેના હાથમાં મોક્ષમાર્ગ આવ્યો. ગુસ્સો આવે તે માણસ કદી ધાર્યું કામ કરી ન શકે. કોઈપણ વસ્તુના સફળ સંચાલક બનવું હોય, ધાર્યું કાર્ય પાર પાડવું હોય તો ક્યારે ભાવાવેશમાં ન આવો. નિરહંકારી અને વિવેકી નેતૃત્વ હોવું જોઈએ. નિરહંકારી અને વિવેકી નેતૃત્વ એ સફળતાની પૂર્ણ ચાવી છે. જે નેતા બન્યો હોય તે અહંકારી બને તો કાર્યની સફળતા ન કરી શકે. આ જગતમાં હીટલર હાર્યો છે. દુર્યોધન હાર્યો છે. તેઓ અહંકારના બળે હાર્યા છે. જેટલો ક્રિયાકાંડ ઉપર ભાર મૂકો છો તેના કરતા અધિક પરિણતિ જોતાં શીખીશું તો અલ્પ પ્રયત્ન પણ ઘણું સાધી શકીશું. સોમભટ્ટ સ્ત્રીને કહે છે તું ઘરમાંથી નીકળી જા, મારે ન જોઈએ, બે બાળક લઈને ઘરમાંથી અંબિકા નીકળી ગઈ, જંગલમાં ગઈ, એક સુકા સરોવર પાસે આવી. પાણી નથી. બન્ને બાળકો પાણી માંગે છે. જો અત્યારે આ સરોવર પાણીથી ભરેલું હોત તો કેવું સારું થાત? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy