SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ - માટે અતિ સુંદર બહુમાન થાય છે. મનુષ્યગતિમાં જ આવા ઊંચા પ્રકારની ભક્તિ શકય બને છે તેનાથી જે કમાણી થાય છે, જે Solid લાભો પ્રાપ્ત થાય છે તેનું ગણિત આપણી પાસે નથી. તે આપણી કલ્પના બહારની વાત છે. અંબિકાની ગુરૂભક્તિ નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબીકાદેવી છે. જે બધાના મનોરથો પૂરે છે તે અંબિકા કોણ છે તેનો ઈતિહાસ જાણવા જેવો છે. ગીરનાર ગિરિની જ્યાં છાયા પડે છે ત્યાં એક નાનું ગામડું છે. ત્યાં અંબિકા નામે સ્ત્રી રહેતી હતી. તેને સોમભટ્ટ સાથે પરણાવી છે. સોમભટ્ટ શૈવ ધર્મથી વાસિત છે. અંબિકા જૈન ધર્મથી વાસિત છે. તેના પિતાના ઘરે તેને સાધુ-મહાત્મા વિગેરેને દાન આપવાના સંસ્કાર મેળવ્યા છે. તેથી કોઈ અનાથ-અશરણ જે આવે તેને દાન આપે છે તથા ઉત્કૃષ્ટ કોટિનું શીલ પાળે છે. સોમભટ્ટ બ્રાહ્મણને પરણી છે છતાં તેનો સંસાર સુખરૂપ ચાલે છે. સોમભટ્ટ કે તેની સાસુ તેને ધર્મમાં કોઈ વિરોધ કરતા નથી. અને લગ્ન પછી પણ તે શીલનું પાલન મનસાવાચા-કર્મણા કરી રહી છે તેને સિદ્ધ, બુદ્ધ નામે બે પુત્ર થાય છે. ગમે તેમ તોય સંસાર છે. એક સરખા દિવસો ચાલે તો સંસાર ન કહેવાય. જેમાં ચઢતી પડતી આવ્યા જ કરે તે સંસાર કહેવાય છે. એકવખત તેને ત્યાં શ્રાદ્ધનાં દિવસો આવ્યા. તેવામાં માસક્ષમણના પારણે મુનિમહાત્મા ગોચરીએ પધાર્યા છે. મલ-મલિન ગાત્ર છે, મેલા-ઘેલા વસ્ત્રો છે, સુકલકડી કાયા છે. પણ ભવ્ય લલાટ ઉપર તપ-ત્યાગ-સંયમનું તેજ ઝગારા મારે છે, જેને જોતાં જ આનંદ આનંદ થયો. શીશ નમાવી વિનંતિ કરે છે, મન મૂકીને ભક્તિ કરે છે. હજી પ્રાતઃ સમય જ થયો છે. મને સુપાત્રદાનનો અપૂર્વ લાભ મળ્યો. ભાવોલ્લાસ વૃદ્ધિ પામે છે. પાડોશણ જૈન નથી. તેણે આ જોયું. તેની સાસુ તે વખતે કોઈ કારણે બહાર ગયેલી હતી. અજ્ઞાન અને પારકી પંચાત કેટલી ખરાબ છે. પાડોશણ કહે, અંબિકા! તે આ શું કર્યું ? શ્રાદ્ધના દિવસો છે, હજી પૂર્વજોની પૂજા કરી નથી. પૂર્વજોનું શ્રાદ્ધ કર્યું નથી. અને આ મલ-મલિન ગાત્રવાળા મુંડિયાને પહેલા દાન આપ્યું ? અંબિકા મૌન રહે છે. કંઈ જ બોલી નહીં. પેલી એટલેથી અટકી નહીં. એની સાસુ દેવીલા બહારથી આવી, તેને વાત કરી. દેવીલાએ એના વરને (પોતાના દીકરાને) વાત કરી. આ બધાજ એના ઉપર તૂટી પડ્યા, પિતા-પિતામહનું શ્રાદ્ધ કરવાનું હજી બાકી છે. કુળદેવીની પૂજા કરવાની છે. અને તે પહેલા સાધુને આપી દીધું? તેના પતિનો ગુસ્સો આસમાને ચઢે છે. કષાય એ ચંડાળ છે. જ્યાં સુધી કષાય-ચંડાળ ન સ્પર્શે ત્યાં સુધી જ માણસ સારો છે. માણસ ગમે તેટલો રૂપાળો હોય પણ કષાય અંદરથી સ્પર્શે તેનું રૂપ કેવું? તેનું મુખ કેવું? અને માણસ ગમે તેટલો કદરૂપો હોય પણ ચિત્તમાં પ્રસન્નતા રહેતી હોય તો તેનું મુખ(રૂ૫) કેવું? એમાં સારું કોણ? રૂપ સંપન્ન હોય છતાં કષાયવાળો હોય, કદરૂપો હોય છતાં ઉપશમવાળો હોય, બેમાંથી કોની સાથે તમે બેસો? કષાય એ આગ છે. જે એની સાથે બેસે તે બધાને બાળે છે. પહેલાં પોતાને બાળે પછી બાજુનાને પણ આગ બાળે છે. પ્રકાશ એ આનંદ આપે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy