SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ એ જીવંત પરમાત્મા છે રપ૦ ફેરવી નાંખ્યું. વાભટ્ટ કહે કેમ સાહેબ ! આ સેવકનો શું અપરાધ ? તમે દાન કરે અને મારી કીર્તિને ફટકો લાગે છે, એ બરાબર છે ? સેવક કહે છે – એ દાન કરવાની તમારી તાકાત નથી. તમે ન આપી શકો એ તો હું જ આપી શકું. કહો તમારો બાપ કોણ ? ત્રિભુવનપાળ. અંતો ૧૨ ગામનો ઠાકોર ને ? તો તારો બાપ કોણ ? મારો બાપ ? મારો બાપ ૧૮ દેશનો માલિક રાજા કુમારપાળ !! બોલો હું આપી શકું ને? બંને ભેટી પડયા. ગુરુ એ જીવંત પરમાત્મા છે આ જગતમાં મહાત્માઓ - ગુરુઓ મહાન ઉપકારી છે. એમનો ઉપકાર સમજાય તો હદયમાં ભક્તિ જામે છે. પરમાત્માની ભક્તિ કરો છો. રોજ દર્શન કરો છો. દર્શન કર્યા પછી બહાર ભટકવું ગમે ? એનો વિશેષ ખ્યાલ ગુરુના ઉપદેશથી જ મળે છે. પણ આ પરમાત્માની મુદ્રા કહે છે કે તું અત્યાર સુધી બહાર બહુ ભટક્યો, એના કારણે ઘણા દુઃખો ભોગવ્યા છે. હવે અંદરમાં જા. આવો મૂક ઉપદેશ આપણા બહેરા કાને ન પડે, ન સંભળાય, ન સમજીએ તો પરમાત્માની ગેર હાજરીમાં ગુરુઓ ઉપદેશ આપે છેગુરુનું બહુમાન એ પરમાત્માનું બહુમાન છે. ગુરુની ભક્તિ એ પરમાત્માની ભક્તિ છે. ગુરુને સાક્ષાત પરમાત્મા માનીને તેમની ભક્તિ કરવાની છે. ગુરુને કેવળજ્ઞાની સમજીને ભક્તિ કરવાની છે. જેમ કેવળજ્ઞાની હોય, તો નનુ - નચ કરીએ? શંકા કુશંકા કરીએ? જેમ તીર્થકર ભગવાનની આજ્ઞાને સ્વીકારીએ છીએ તેમ ગુરૂ આજ્ઞાને નિર્વિકલ્પ-નિર્વિચારપણે સ્વીકારવાની છે. કબીરે કહ્યું છે - યા તન વિષકી વેલડી, ગુરૂ અમૃતકી ખાણ, સિસ કટાયે ગુરૂ મિલે, તો ભી સસ્તા જાણ.' ગુરૂ માટે શું આપવા તૈયાર છો? હાથ, પગ, માથું, પૈસા શું આપવા તૈયાર છો? પરમાત્માની ગેરહાજરીમાં આવા માર્ગસંપન્ન ગુરૂ મળવા, આવા માર્ગના જ્ઞાતા ગુરૂ મળવા એ મનુષ્યભવમાં છેલ્લામાં છેલ્લું, ઊંચામાં ઊચું પુણ્ય છે. આવા ગુરૂ દીવો લઈને ગોતો તોય ન મળે. ક્યારેક જ મળે. આજના અમારા ઘણા ભાઈઓને પરમાત્મા સાથે મેળ મળે છે. પણ ગુરૂ સાથે મેળ મળતો નથી. પરમાત્મામાં નિર્દોષતા દેખાય છે. ગુરૂમાં દોષો દેખાય છે. ગુરૂમાં ગૌતમ સ્વામીની કલ્પના કરવાની છે. ધર્મ તે છે કે જેને ગુરૂ વિના ફાવે નહીં. શુદ્ધિ અને વૃદ્ધિ लाभान्तरफलश्चास्य, श्रध्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च, शिष्टसम्मतता तथा ॥४४॥ ગ્રન્થકારશ્રી યોગી-ભક્તિને જ વિશેષરૂપે કહે છે કે યોગીઓની આદર, બાહુમાન, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરનારને અન્ય લાભોનું પણ ફળ મળે છે કારણ કે શુદ્ધભક્તિથી પુણ્યકર્મનો સંચય થાય છે અને અશુભકર્મનો અનુબંધ શિથિલ થાય છે. આત્મગુણોની પ્રાપ્તિ થવા રૂપ, પરલોકમાં સદ્ગતિ વિ. થવા રૂ૫ હિતોદય થાય છે અને શુદ્રોપદ્રવહાનિક નાના નાના ઉપદ્રવો, વિનો, રોગાદિનો નાશ થાય છે. વળી આ ભક્તિ શિષ્ટજનોને સંમત છે એટલા જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy